SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વપ્રમાં મકાન અથવા પહાડ પડી ગયેલો જોવે અથવા મગરમચછ પોતાને ભક્ષણ કરી ગયેલો જોવે તે અનિષ્ટ – ખરાબ છે. અને તેથી કષ્ટ ઉત્પન્ન થાય છે સ્વપ્રમાં જેનો હાથ-પગમાં બેડી નાખેલી દષ્ટિગોચર થાય. તે ઈષ્ટ છે અને તેથી ફાયદો થાય છે. દુહો MCC }(RÝÜLT ESTE OSSÚ.& ¢ ;} }ses, 21, ,[f &ાફ્સ 8| hish LÚa1°0 કૅ ĐăUỆữIÚà | HG đi dÝg બીમાર -માદો માણસ સ્વપ્રમાં પાલખીમાં બેસીને દક્ષિણ દિશા તરફ જાય તો તેના ઉપર મરણાત્ત કષ્ટ પ્રાપ્ત થાય, વળી કહ્યું છે કે - xeviús Béçule vynikiemřec aviats Païcią bÝ Ü ¢¢¢¢¢ સ્વપ્રમાં કોઈ મનુષ્ય ગાયન કરે તેને રોવું પડે, નાચ કરે તેને વધબંધનનો ભોગ થવું પડે, હસે તો ચિંતા થાય, અને પાઠ કરે તો કષ્ટ પ્રાપ્ત થાય. ભગવતી સૂત્રના ૧૬માં શતક-છઠ્ઠ ઉદ્દેશમાં ફરમાવ્યું છે કે – સ્વપ્રમાં કોઈપણ માણસને બીજે માણસ આવીને પકવ ફળ હાથમાં આપે તો થોડા જ દિવસોમાં લાભ થાય અને દૌલત - ધન મળે. સ્વપ્રમાં કોઈ મનુષ્ય પોતાને હાથી ઉપ્ર સવાર થયેલો જોવે તો તેને પણ દૌલત-ધન અને હુકુમ હોદ્દા-અમલદારી પ્રાપ્ત થાય, સ્વપમાં ઘોડા ઉપર સવાર થઈ સફર કરતો જોવે તેને થોડા દિવસમાં લાભ મળે છે. સ્વરમાં કોઈ મનુષ્ય આવીને એમ કહે કે - “તમે અહીંથી ચાલ્યા જાઓ” એ ભવિષ્યમાં ખરાબ દિવસોની નિશાની આગાહી સમજવી. સ્વપમાં જેને દૂધ ઝરતી ગાય નજરે પડે તેને જમીનથી અથવા જવાહરાતથી ફાયદો થાય છે. સ્વપ્રમાં અરિહંત દેવ, સૂર્ય, ચંદ્ર, દેવવિમાન, સમુદ્ર, સરોવર, સિંહ, કલ્પવૃક્ષ, કલશ, રાજા, હાથી, વૃષભ કે લક્ષ્મી દેવીનાં જેને દર્શન થાય તે લાભદાયક હોઈ થોડા દિવસમાં હકુમત પ્રાપ્ત કરે. તેમજ ભૂત, પિશાચ, ગંધર્વ, રાક્ષસ, ચાંડલા સ્મશાન. કુવો, હાડકાં, કદરૂપી સ્ત્રી, ચામડું, લોહી, પથ્થર, કાંટાવાળા વૃક્ષ, અંધકાર, લુલા-લંગડા, વામન, મોટો વાયુ અને ખૂબ આકરો તડકો જે મનુષ્ય સ્વપ્રમાં જોવે તેને ખરાબ દિવસો ભોગવવાનો વખત આવે. જે મનુષ્ય પોતાને સ્વપમાં હંસ ઉપર સવાર થયેલો જોવે તેની આબરૂ વધે, સિંહ ઉપર સવાર થયેલો જોવે તેને ઈનામ મળે, દોસ્ત-મિત્રનો મેળાપ થયેલો દેખાય તો લાભ થાય, કપડા ધોતો નિહાળે તો દેવાથી મુક્ત થાય, પોતે પોતાને હાથ પગ ધોતો જોવે તો એશ -આરામ પ્રાપ્ત કરે અને માત્ર પગ જ ધોતો ભાળે તો આબરૂ વધે છે. સ્વપ્રમાં જે મનુષ્ય પોતાને જમણા હાથ ઉપર સર્પ કરડી ગયેલો જોવે તો દોલત-ધન પ્રાપ્ત થાય, તેમજ સફેદ વર્ણનો સર્પ જોવે તો લાભ થાય છે. સ્વપ્રમાં જે મનુષ્ય કુવો ઉલ્લંઘી જાય – ટપી જાય તેને અચાનક ધન પ્રાપ્તિ થાય, પોતે પોતાને કડવું તેલ પીતો જોવે તો તેને મરણાત્ત કષ્ટ થાય, તેમજ સ્વપ્રમાં અગ્નિના અંગારા, પથ્થર, દુલ કે લોહીના વરસાદનું જોવું એ ખરાબ દિવસોની નિશાની-આગાહી છે. Lib topic 12.3 #8 www.jainuniversity.org
SR No.249561
Book TitleAshtang Nimitta ni Zalak
Original Sutra AuthorN/A
AuthorJain University
PublisherJain University
Publication Year
Total Pages31
LanguageGujarati
ClassificationArticle & 0_not_categorized
File Size124 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy