SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ભૂકંપથી પરિણામ શું આવે? તે બતાવે છે TY}@cZc, - 2u CÚÇADIC YU}www.poiael" Ek1 અર્થ - જ્યારે જમીનમાંથી મોટો ધડાકો-અવાજ થાય અથવા જમીન કંપી ઉઠે ત્યારે રાજા, દિવાન, સેનાપતિ અને દેશના ઉપર ભારે સંકટ આવી પડે, અને રોગચાળો વૃદ્ધિ પામે. આ વાત તમામ જગત માટે નથી પરંતુ જે સ્થાન ઉપર ભૂમિકંપ થયો હોય તે સ્થાનને આશ્રયીને જ કહેવામાં આવેલ છે. jainuni ziva fallatey.org વ્યંજન એટલે તલ, મસા અને લહસન. આ ત્રણે વસ્તુઓની પુરેપુરી હકીકત આ નિમિત્તમાં જણાવવામાં આવેલી છે. (૧)શરીરની ચામડી ઉપર તલ જેવા આકારના અને શ્યામ વર્ણનાં જે ચિન્હ દેખાય છે. તેને તલ કહેવામાં આવે છે. (૨) શરીરની ચામડીથી કંઈક ઉંચી વધેલી નાની માંસની ગાંઠ કે જે રાઈ અથવા બાજરીના દાણા જેવડી હોય છે તેને મસા કહે છે. એથી જો મોટા મસા હોય તો તે સારા નથી. (૩) લહસન તે કહેવાય છે કે જે કસુંબાના રંગ જેવા લાલ રંગના ચિન્હ શરીરની ચામડી ઉપર ઉત્પન્ન થાય છે. તલ, મસા અથવા લહસન પૈકી કોઈ પણ ચિન્હ સ્પષ્ટ રીતે દેખાવ આપે અને તેનો આકાર સુંદર હોય તો શુભ ફળદાયક થાય છે. જોનો આકાર કે ઘાટ કદ્રયો હોય અથવા ખંડિત થયેલો હોય તો તે સારૂં ફળ આપવાને અસમર્થ નીવડે છે. જૈનાગમના મહાનિશીથ સૂત્રમાં અને પ્રવચનસારો દ્વારા ગ્રંથમાં વ્યંજન શબ્દનો અર્થ તલ અને મસા એ બેજ લખેલ છે. તલ, મસાનો રંગ શ્યામ અને લહસણનો રંગ લાલ અથવા કંઈક કાળાશ ઉપર હોય છે. મસ્તક ઉપર તલ, મસા અથવા લસણનું ચિન્હ હોય તો તે શખ્સ દરેક સ્થાને યશ-આબરૂ અને લાભ પ્રાપ્ત કરે. કપાળની જમણી બાજુ તલ હોય તો ધનપ્રાપ્તિ થાય. અને ડાબી બાજુ હોય તો તેનું થોડું પણ ફળ અવશ્ય મળે છે. પણ સાવ નિષ્ફળ તો ન જ થાય. ભૂ.નેણની ઉપર તલ થયો હોય તો દેશ-પરદેશમાં મુસાફરી કરે અને લાભ પ્રાપ્ત કરે. આંખ ઉપર તલ હોય તો નાયકની પદવી પ્રાપ્ત થાય, મોઢા ઉપર તલ હોય તો ધન-વૈભવ મળે. ગાલ ઉપર તલ હોય તો ખુબસુરત સ્ત્રી પ્રાપ્ત કરે. ઉપલા હોઠ ઉપર તલ હોય તો ધનપ્રાપ્તિ થાય અને બોપેલું વચન કાયમ રહે – માન્ય થાય. નીચલા હોઠ ઉપર તલ હોય તો કંજુસ થાય. કાન ઉપર તલ હોય તે શખ્સ ઘરેણાં તથા ઝવેરાતનો ભોગી થાય. ગરદન – ડોક ઉપર તલ હોય તો એશ – આરામનો ઉપભોગ કરે, સ્ત્રીની તરફથી વારસો સાંપડે અને દીર્ધાયુ ભોગવે. જમણી છાતી ઉપર તલ હોય તો સારી સ્ત્રી તરફથી ફાયોદ થાય તથા મનની ધારણા પૂર્ણ થાય. ડાબી તરફ તલ હોય તો ઓછું ફળ મળે પણ સાવ વ્યર્થ તો ન જ થાય. જમણા હાથ ઉપર તલ હોય તો સ્વકમાઈ ઉપર નિર્ભર રહે એટલે પોતાના હાથની કમાઈ ભોગવે. ડાબા હાથ ઉપર હોય તો પણ લાભ થાય પરંતુ વ્યર્થ ન જાય. ખંભા ઉપર તલ હોય તો દરેક જાતની વિધામાં હશીયાર થાય, ડાબા ખંભા ઉપર તલ હોય તો ઓછા ઈલ્મવાળો – ઓછી વિદ્યાવાળો થાય. હાથના પંજા ઉપર તલ હોય તો દિલનો દિલાવર - ઉદાર દિલનો થાય. જાંઘ ઉપર તલ હોય તો અશ્વાદિ ઉપર સવારી કરવાનું સુખ મળે અને લશ્કર - સેનામાં ફતેહ મેળવે. પગ ઉપર જે મનુષ્યને તલ હોય તે પરદેશની મુસાફરી કરે અને ફાયદો હાંસિલ કરે. પુરૂષોને જમણી બાજુ તલ, મસા અથવા લહસણ હોયતો સારો લાભ-ફાયદો થાય. પરંતો જો ડાબા અંગ ઉપર તલ હોય તો પણ થોડો ઘણો ફાયદો તો અવશ્ય કરે છે. મતલબ કે સાવ નિષ્ફળ હોતા નથી. Lib topic 12.3 # 14 www.jainuniversity.org
SR No.249561
Book TitleAshtang Nimitta ni Zalak
Original Sutra AuthorN/A
AuthorJain University
PublisherJain University
Publication Year
Total Pages31
LanguageGujarati
ClassificationArticle & 0_not_categorized
File Size124 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy