SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ કિવર સ્ટોરી | દેવાંશુ દેસાઈ (અગાસ-ધરમપુર-પરલી-કોબા-સાયલા) તસવીર : મૌલિક કોટક ગાંધીજીના આધ્યાત્મિક માર્ગદર્શક શ્રીમદ્ રાજચંદ્રનો દેશ BIવિત્ર શ્રાવણ મહિનો પૂરો થયો અને હમણાં જૈનોનાં પવિત્ર પર્યુષણ પણ સમાપ્ત થયાં. હિંદુ હોય કે જૈન, આ સમયગાળા દરમિયાન મુંબઈ-અમદાવાદ કે નવસારી-વલસાડ જેવાં નાનાં-મોટાં શહેરોથી લઈને ગામડાગામમાં સૌથી વધુ ધાર્મિક વ્યાખ્યાન, પ્રવચનો થાય છે. ધર્મ શું છે? સત્ય શું? ઉપવાસ કેવી રીતે કરવા? નિર્જળા ઉપવાસમાં શું પી શકાય અને શું નહીં? શંકરનાં દર્શન કેવી રીતે કરવાં? સૂર્યાસ્ત પહેલાં ભોજન શા માટે કરવું, વગેરે વગેરે જિજ્ઞાસાના જવાબ ભક્તો-મુમુક્ષુઓ શોધતા રહે છે અને શ્રદ્ધાળુઓ જીવનભર આ પંથ, પેલા પંથ વચ્ચે ભટકતા રહે છે. બહુ ઓછાને સાચો પંથ-સાચા ગુરુ મળે છે, છતાં એકવીસમી સદીમાં વધુ ને વધુ લોકો ધર્મ-ગુરુને શરણે જઈ રહ્યા છે એ હકીકત છે. ચિત્રલેખામાં અત્યાર સુધી તમે સ્વામિનારાયણના પંથ, ઓશો, બ્રહ્માકુમારીથી લઈને વિવિધ પંથ-ધર્મ-સંપ્રદાય વિશે વાંચ્યું હશે. આજે અહીં શ્રીમદ્ રાજચંદ્રની વાત કરવી છે. આમલોકો માટે તો શ્રીમદ્દ એટલે ગાંધીજીના આધ્યાત્મિક માર્ગદર્શક. બાપુને જ્યારે આધ્યાત્મિક પ્રશ્નો મૂંઝવતા ત્યારે એ શ્રીમદને પત્ર લખીને સલાહ લેતા. ગાંધીજીએ લખ્યું છે કે મારા પર ત્રણ વ્યક્તિનો પ્રભાવ-કવિ રાયચંદભાઈ, રસ્કિન અને ટોલસ્ટૉય. આ ત્રણેમાં કવિ રાયચંદભાઈનો વિશેષ પ્રભાવ. આ રાયચંદભાઈ એ જ શ્રીમદ્ રાજચંદ્ર... શ્રીમદ્ માટે કહેવાય છે કે આયુષ્યના સાતમા વર્ષે જ એમને જાતિસ્મરણ જ્ઞાન થયું હતું. પરિણામે એમને પાછલા નવસો ભવનું જ્ઞાન થયું, જે મુજબ પચ્ચીસસો વર્ષ પહેલાં એ ભગવાન મહાવીરના અંતિમ શિષ્ય હતા. જન્મે વૈષ્ણવ એવા શ્રીમદ ભગવાન મહાવીરના વિચારોને આગળ ધપાવ્યા. બાહ્યક્રિયા કરતાં એ આત્માના કલ્યાણ માટે આંતરિક ક્રિયા પર વધુ ભાર મૂકતા અને અહીં એ જૈનાચાર્યો કરતાં અલગ પડતા હતા. શ્રીમદ્ માનતા કે ધર્મ એટલે આત્માની ઓળખ-આત્માની સેવા. માત્ર સવાર-સાંજ બે-બે કલાક પ્રભુસેવા કરવી કે સમાજસેવા એવું નહીં. તમારા આત્માને ઓળખો તો આપોઆપ વિચારો સુધરશે. ઈશ્વર બહાર નથી, તમારી અંદર છે. એની ઓળખ થશે પછી બહાર ક્યાંય ખોટાં ફાંફાં મારવાં નહીં પડે. બસ, આટલી સરળ વાત શ્રીમદ્ એમના ટૂંકા આયુષ્યમાં સમજાવી ગયા. માણસ પોતે જ પોતાનું કલ્યાણ કરે તો આપોઆપ સમાજનું કલ્યાણ થાય. એમના વિચારોમાં અધ્યાત્મની સાથે વિજ્ઞાન પણ હતું. જોવાની ખૂબી એ છે કે ગૃહસ્થ શ્રીમદની હયાતીમાં એમનો પોતાનો કોઈ પંથ કે આશ્રમ નહોતા. એમના મૃત્યુનાં છેક પંદર વર્ષ પછી નાનકડો આશ્રમ બન્યો. ત્યાર બાદ ૮૬ વર્ષ વહી ગયાં. એમાંય છેલ્લાં પંદર વર્ષમાં દેશ-વિદેશમાં શ્રીમદના વિચારોને આગળ ધપાવતી આશરે ૫૬ અલગ અલગ સંસ્થા શરૂ થઈ છે. દરેકની મંજિલ એક છે, પણ રસ્તા અલગ છે. સંસ્થાઓ વચ્ચે વિવાદ નથી. શ્રીમદ્ રાજચંદ્રનો આ એકમાત્ર એવો પંથ છે, જેમાં કોઈ એક પીઠ-ગાદી નથી. હા, આ બધામાં સૌથી જૂના આશ્રમ અગાસની મહત્તા-મહત્ત્વ બધા કરતાં કાવ, - નમો - મા i + વિશેષ છે. શ્રીમદ્ વિશે વાત કરતી વખતે તમામ ભક્તો એમને પરમ કૃપાળુ દેશું સંબોધન કરે છે. કૃપાળુ દેવને જ એ લોકો ભગવાન માને. જલારામબાપા કે શિરડીના સાંઈબાબાની જેમ શ્રીમદ્ રાયચંદ પણ અવતારી પુરુષ રે મા છે અને શું છે કે મમ જિ -૩ છે કે છે. જ છે ઉલને કા , નાક કે અને એ * * મ મ ર ા * . * આશરે ૧૦૬ વર્ષ જૂનો શ્રીમદનો ઓરિજિનલ ફોટો અને હસ્તલિખિત લખાણે એમના એક વંશજ પાસે છે. શ્રીમદ્ રા ગણાતા તો આવા આજથી ૧૪૦ વર્ષ પહેલાં જન્મેલા શ્રીમદજીનું કેવું હતું જીવન? શ્રીમદનો જન્મ સૌરાષ્ટ્રના વવાણિયા ગામે ૧૮૬૭ની સાલમાં થયો હતો. શ્રીમદના પિતા રવજીભાઈ વૈષ્ણવ હતા, જ્યારે માતા દેવબાઈ જૈન હતાં એટલે શ્રીમદમાં બન્ને સંસ્કારોનું સિંચન થયું હતું, પણ જૈન સંસ્કારની અસર એમના પર વધુ. - શ્રીમદની સ્મરણશક્તિ એટલી સતેજ હતી કે શાળામાં * * * ? શિક્ષક પાઠ વાંચે એ દરમિયાન આખેઆખા પાઠ એમને w w 1* મેં કંઠસ્થ થઈ જતા. આઠમા વર્ષે એમણે કવિતા લખવાની fiને ન ઢ. ફળ શરૂઆત કરી. પ્રથમ વર્ષે પાંચ હજાર કડી રચી હતી. ટૂંકમાં, > આ મેધાવી, જ્ઞાની પુરુષ સાત-આઠ વરસના હતા ત્યારે જ એમના વિશે આગાહી થવા માંડી હતી કે આ છોકરો આગળ જતાં મહાપ્રતાપી થશે. બારમે વર્ષે ઘડિયાળ પર તત્ત્વસહિત ત્રણસો કડી એમણે એક જ દિવસમાં રચી હતી. રી, અ “ , કે » વિ . * w જાન આ મક, કે. . મનો, પE ૩૮ ચિત્રલેખા ૧૧ સપ્ટેમ્બર, ૨૦૦૬
SR No.249541
Book TitleShrimad Chitralekha Article
Original Sutra AuthorN/A
AuthorDevanshu Desai
PublisherChitralekha Magazine
Publication Year2006
Total Pages7
LanguageGujarati
ClassificationArticle & 0_not_categorized
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy