________________
જ્ઞાનવિષયક સમસ્યાઓનો
સામાન્ય પરિચય
સને, વસ્તુને (Realityને) આપણે કેવી રીતે જાણી શકીએ છીએ એ પ્રશ્ન અત્યન્ત મહત્ત્વનો છે. જેના વડે આપણે વસ્તુને જાણી શકીએ એવાં કોઈ સાધનો છે? જો હોય તો કેટલાં છે અને શા આધારે આપણે તેમને યથાર્થ જ્ઞાનનાં (પ્રમાનાં) સાધનો ગણી શકીએ? જ્ઞાનના યથાર્થની (પ્રામાણ્યની) કસોટી શી છે? જ્ઞાનને અને જ્ઞાનના યથાર્બને આપણે કેવી રીતે જાણીએ છીએ? જ્ઞાન અંગેની આ કેટલીક સમસ્યાઓ છે. આ સમસ્યાઓનો ઉત્તર ભારતીય દર્શનોએ શો આપ્યો છે તે આપણે સંક્ષેપમાં અહીં નિરૂપીશું. પ્રમા(=પ્રમાણ યથાર્થ જ્ઞાન)નું લક્ષણ
કણાદને મતે જે જ્ઞાન દોષરહિત છે તે જ્ઞાન જ યથાર્થ છે, પ્રમાણ છે, વિદ્યા છે.' તેમનો કહેવાનો આશય એ છે કે જે જ્ઞાનનું કારણ દોષરહિત છે તે જ્ઞાન જ યથાર્થ છે. વાત્સ્યાયન સર્વ ઉપલબ્ધિને યથાર્થ જ્ઞાન કહે છે. પરંતુ એ હકીકત એમના ધ્યાન બહાર નથી કે બધાં જ્ઞાનો યથાર્થ (પ્રમા=પ્રમાણ) નથી પરંતુ તે જ્ઞાનો જ યથાર્ય છે જે વસ્તુને જેવી છે તેવી રજૂ કરે છે (અર્થવનું પ્રમાણ). વાચસ્પતિ “અર્થવત્ શબ્દનો અર્થ કરે છે અર્થાવ્યભિચારિ. ‘અર્થવ્યભિચારિથી પોતે શું કહેવા માગે છે તે વાચસ્પતિ વિશદ રીતે સમજાવે છે. આ ધર્મને પ્રમાલક્ષણમાં તે અક્ષરશઃ મૂકે છે.* આમ જ્ઞાનનો અર્થ સ્વભાવ સાથે અવિસંવાદ જ જ્ઞાનનું યાયાÁકે પ્રામાણ્ય છે. ઉત્તરકાલીન તૈયાયિકો વાચસ્પતિનું અનુસરણ કરે છે અને કહે છે કે અર્થમાં જે ધર્મ ખરેખર હોય તે ધર્મસહિત અર્થને રજૂ કરનારું જ્ઞાન પ્રમાણ (યથાર્ય છે. તેથી તર્કસંગ્રહમાં યથાર્થ અનુભવનું લક્ષણ આ પ્રમાણે છે- તતિ તત્વIRોડનુભવો યથાર્થ ! વળી, જ્ઞાનના તજન્ય પ્રવૃત્તિ સાથેના સંવાદને પ્રમાણના એક લક્ષણ તરીકે રજૂ કરતાં પણ તૈયાયિકો ખચકાતા નથી. જે જ્ઞાન અર્થક્રિયાકારી છે, અર્થાત્ જે જ્ઞાન પ્રવૃત્તિને સફળ બનાવે છે તે જ્ઞાન યથાર્થ (અર્થવત્ = પ્રમાણ) છે. આ છે શાનનો સ્વજન્ય પ્રવૃત્તિ સાથેનો અવિસંવાદ
પ્રભાકરે અનુભૂતિને જ પ્રમાણના લક્ષણરૂપે પ્રસ્તુત કરી છે. બૌદ્ધ પ્રભાવ હેઠળ ભટ્ટ મીમાંસકોએ અગૃહીતગ્રાહિત્યને પ્રમાણના એક અનિવાર્ય ધર્મ તરીકે સ્વીકાર્યું છે. તેઓ એવા મતના છે કે તે જ જ્ઞાનને પ્રમાણ ગણી શકાય જે યથાર્થ હોવા ઉપરાંત અગૃહીતગ્રાહી હોય. જે જ્ઞાન કંઈ નવું જ્ઞાન નકરાવે અને પિષ્ટપેષણરૂપ હોય તે જ્ઞાન યથાર્થ હોવા છતાં વ્યર્થ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org