________________
સપ્તભંગી
૨૨૫
ત
કે અવ્યાપક જેટજેટલા ધર્મો હોય તે દરેકને લઈ તેની બીજી બાજુ વિચારી સંપ્તભંગ ઘટાવી શકાય.
પ્રાચીન કાળમાં આત્મા, શબ્દ આદિ પદાર્થોમાં નિત્યત્વ-અનિત્યત્વ, સત્ય-અસત્વ, એકત્વ બહુત્વ, વ્યાપકત્વ-અવ્યાપકત્વ આદિની બાબતમાં પરસ્પર તદન વિરોધી વાદે ચાલતા. એ વાદોને સમન્વય કરવાની વૃત્તિમાંથી ભંગકહપના આવી. એ ભંગકલ્પનાએ પણ પાછું સાંપ્રદાયિક વાદનું રૂપ ધારણ કર્યું અને સપ્તભંગીમાં પરિણમન થયું.
સાતથી વધારે ભેગે સંભવતા નથી, માટે જ સાતની સંખ્યા કહી છે. મૂળ ત્રણની વિવિધ સંજના કરો અને સાતમાં અંતર્ભાવ ન પામે એવો ભંગ ઉપજાવી શકે તે જૈન દર્શન સપ્તભંગિત્વનો આગ્રહ કરી જ ન શકે.
આનો ટૂંકમાં સાર નીચે પ્રમાણે --
૧. તત્કાલીન ચાલતા વિરોધી વાદોનું સમીકરણ કરવું, એ ભાવના સપ્તભંગીની પ્રેરક છે.
૨. તેમ કરી વસ્તુના સ્વરૂપની એકસાઈ કરવી અને યથાર્થ જ્ઞાન મેળવવું, એ એનું સાધ્ય છે.
૩. બુદ્ધિમાં ભાસતા કોઈ પણ ધર્મ પરત્વે મૂળમાં ત્રણ જ વિકલ્પો સંભવે છે અને ગમે તેટલા શાબ્દિક પરિવર્તનથી સંખ્યા વધારીએ તે સાત જ થઈ શકે.
૪જેટલા ધર્મે તેટલી જ સપ્તભંગી છે. આ વાદ અનેકાંતદષ્ટિનો વિચારવિષયક એક પુરાવે છે. આના દાખલાઓ, જે શબ્દ, આત્મા વગેરે આપ્યા છે, તેનું કારણ એ છે કે પ્રાચીન આર્ય વિચાર આત્માને વિચાર કરતા અને બહુ તે આગમપ્રામાણ્યની ચર્ચામાં શબ્દને લેતા.
૫. વેદિક આદિ દશમાં , ખાસ કરી વલ્લભદર્શનમાં, “સર્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org