SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનધર્મને પ્રાણુ પણ સત્યસિદ્ધ થયેલી કલ્પના હોઈ તે તત્વજ્ઞાન છે અને વિવેકી આચરણને વિષય તે ધર્મ પણ છે. અનેકાંતનું વિતપણું એમાં છે કે તે જેમ બીજા વિષયોને બધી બાજુથી તટસ્થપણે જેવા, વિચારવા, અપનાવવા પ્રેરે છે, તેમ એ પિતાના સ્વરૂપ અને જીવિતપણું વિશે પણ ખુલ્લા મનથી વિચાર કરવા ફરમાવે છે. જેટલું વિચારનું ખુલ્લાપણું, સ્પષ્ટપણું અને તટસ્થપણું તેટલું જ અનેકાંતનું બળ કે જીવન. [ અચિં ભા. ૧, પૃ. ૮૭૩] કેઈ પણ વિશિષ્ટ દર્શન હેય કે ધર્મપથ હોય, એના આધારરૂપ –એના મૂળ પ્રવર્તક પુરુષની—એક ખાસ દષ્ટિ હોય છે, જેમ કે શંકરાચાર્યની પિતાના મતનિરૂપણમાં “અતદષ્ટિ' અને ભગવાન બુદ્ધની પિતાના ધર્મપંથ-પ્રવર્તનમાં મધ્યમપ્રતિપદાર્દષ્ટિ” એ ખાસ દષ્ટિઓ છે. જૈન દર્શન ભારતીય દર્શનેમાં એક વિશિષ્ટ દર્શન છે; સાથે સાથે વિશિષ્ટ ધર્મ-પંથ પણ છે; તેથી એના પ્રવર્તક અને પ્રચારક મુખ્ય પુરુષની એક ખાસ દષ્ટિ એના મૂળમાં હેવી જ જોઈએ, અને એ છે પણ ખરી. આ દૃષ્ટિ જ અનેકાંતવાદ છે. જૈન તત્વવિચાર હોય કે આચાર-વ્યવહાર હોય, ગમે તે હોય, એ બધુંય અનેકાંતદૃષ્ટિને આધારે જવામાં આવે છે. અથવા એમ કહી શકાય કે અનેક પ્રકારના વિચારે અને આચારમાંથી જૈન વિચાર અને જૈન આચાર શું છે? એ કેવા હેઈ શકે?એ નકકી કરવાની અને એની આકારણી કરવાની એકમાત્ર કસોટી પણ અનેકાંતદષ્ટિ જ છે. [દઔચિં૦ નં૦ ૨, ૫૦ ૧૪૯] અન્ય દશામાં દેખાતી અનેકાંતદષ્ટિ આપણે બધા જાણીએ છીએ કે બુદ્ધ પિતાને વિભજ્યવાદી કહે છે. જેના આગમોમાં મહાવીરને પણ વિભજ્યવાદી કહ્યા છે. વિભ ૧. મઝિમનિકાચ સુવ ૯૯, ૨. સૂત્રકૃતાં ૧-૧૪-૨૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249518
Book TitleAnekantvad
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Jaindharma_no_Pran_002157.pdf
Publication Year1962
Total Pages7
LanguageGujarati
ClassificationArticle & Anekantvad
File Size295 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy