________________
કર્મ તત્ત્વ
૧૮૭
નિવર્તક ધર્મને ઉલ્લેખ આવે છે ત્યાં બધેય એ આ મતને જ દર્શાવે છે. એની માન્યતા પ્રમાણે જ્યારે કર્મની નિવૃત્તિ શકય અને ઇષ્ટ છે ત્યારે એને કર્મની ઉત્પત્તિનું મૂળ કારણું પહેલા પક્ષની માન્યતાથી વિરુદ્ધ જ જણાવવું પડ્યું. એણે કહ્યું કે ધર્મ અને અધર્મનું મૂળ. કારણ પ્રચલિત સામાજિક વિધિ-નિષેધ નહીં પણ અજ્ઞાન અને રાગ-- દેશ છે. આચરણ ગમે તેવું શિષ્ટસંમત અને વિહિત કેમ ન હોય. પણ જો એ અજ્ઞાન તેમ જ રાગદેષજન્ય હેય તે એથી અધર્મની, જ ઉત્પત્તિ થાય છે. એના મતે પુણ્ય અને પાપના ભેદ કેવળ સ્થૂળ. દૃષ્ટિવાળાઓને માટે છે, તાત્ત્વિક રીતે તે પુણ્ય અને પાપ બને અજ્ઞાન. તેમ જ રાગદેષજન્ય હેવાને લીધે અધર્મ તેમ જ હેય જ છે. આ નિવકધર્મવાદી પક્ષ સામાજિક નહીં પણ વ્યક્તિવિકાસવાદી હતા.
જ્યારે એ પક્ષે કર્મને નાશ અને મેક્ષ પુરુષાર્થ સ્વીકારી લીધે ત્યારે એને કમનો ઉચ્છેદ કરનારાં અને મોક્ષને અપાવનારાં કારણે પણ વિચાર કરવો પડ્યો. આ વિચારણાના ફળરૂપે એણે કર્મને દૂર કરનારાં જે કારણે નક્કી કર્યા એ જ એ પક્ષને નિવર્તક ધર્મ છે. પ્રવર્તક ધર્મ અને નિવર્તક ધમની દિશા એકબીજાથી સાવ વિરુદ્ધ છે. એકનું ધ્યેય સામાજિક વ્યવસ્થાનું સ્થાપન છે, જ્યારે બીજાનું ધ્યેય પોતાના આત્યંતિક–સંપૂર્ણ સુખની પ્રાપિત છે; તેથી એ કેવળ આત્મગામી છે. નિવક ધર્મ જ બમણ, પરિત્રાજક, તપસ્વી અને
ગમાર્ગ વગેરે નામે પ્રસિદ્ધ છે. કર્મની પ્રવૃત્તિ અજ્ઞાન તેમ જ રાગદૈષજન્ય હેવાને લીધે એની સંપૂર્ણ નિવૃત્તિના ઉપાય અજ્ઞાનનું વિરોધી સમ્યજ્ઞાન અને રાગ-દ્વેષને વિરોધી-રાગદ્વેષના નાશ રૂપ–સંયમ જ નક્કી થયાં. બાકીનાં તપ, ધ્યાન, ભકિા વગેરે બધાય ઉપાયો ઉપર, સૂચવેલ જ્ઞાન અને સંયમના જ સાધનરૂપ લેખવામાં આવ્યા છે. કર્મત સંબંધી વિચાર અને એને જ્ઞાતાવર્ગ
નિવકધર્મવાદીઓને મેક્ષના સ્વરૂપ તથા એનાં સાધનની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org