________________
=
=
4
૯૦
જૈનધર્મને પ્રાણ જીવનધનના મૌલિક પ્રશ્નોની એકતા
આ રીતે આપણે જોયું કે જેના દર્શનમાં મુખ્ય બે ભાગ છેઃ એક તત્વચિંતનને અને બીજે જીવનશોધનને. અહીં એક વાત ખાસ નોંધવા જેવી છે અને તે એ કે વૈદિક દર્શનની કેાઈ પણ પરંપરા લે કે બૌદ્ધ દર્શનની કઈ પરંપરા લે અને તેને જૈન દર્શનની પરંપરા સાથે સરખાવો તે એક વસ્તુ સ્પષ્ટ જણાશે કે આ બધી પરંપરાઓમાં જે ભેદ છે તે બે બાબતમાં છે. એક તે જગત, જીવ અને ઈશ્વરના સ્વરૂપચિંતન પરત્વે અને બીજે આચારનાં સ્થળ તેિમ જ બાહ્ય વિધિવિધા અને સ્થૂળ રહેણીકરણી વિશે. પણ આર્ય દશનની દરેક પરંપરામાં જીવનધનને લગતા મૌલિક પ્રશ્નો અને તેના ઉત્તરોમાં જરા પણ તફાવત નથી. કાઈ ઈશ્વર માને કે નહિ, કઈ પ્રકૃતિવાદી હોય કે કોઈ પરમાણુવાદી, કોઈ આત્મભેદ સ્વીકારે કે આત્માનું એકત્વ સ્વીકારે, કાઈ આત્માને વ્યાપફ અને નિત્ય માને કે કઈ તિથી ઊલટું માને, એ જ રીતે કોઈ યજ્ઞયાગ દ્વારા ભક્તિ ઉપર ભાર મૂકે કે કોઈ વધારે કડક નિયમને અવલંબી ત્યાગ ઉપર ભાર મૂકે; પણ દરેક પરંપરામાં આટલા પ્રશ્નો એકસરખા છે: દુઃખ છે કે નહિ ? હોય તે તેનું કારણ શું? તે કારણને નાશ શક્ય છે? અને શક્ય હોય તે કઈ રીતે ? છેવટનું સાધ્ય શું હોવું જોઈએ? આ પ્રશ્નોના ઉત્તરા પણ દરેક પરંપરામાં એક જ છે. ભલે શબ્દભેદુ હેય, સંક્ષેપ કે વિસ્તાર હેય, છતાં દરેકને ઉત્તર એ જ છે કે અવિદ્યા અને તૃષ્ણા એ દુઃખનાં કારણે છે. તેને નાશ સંભવિત છે. વિદ્યાર્થી અને તૃષ્ણાછેદ દ્વારા દુઃખનાં કારણે નાશ થતાં જ દુઃખ આપોઆપ નાશ પામે છે, અને એ જ જીવનનું મુખ્ય સાધ્ય છે. આર્ય દર્શનની પરંપરા જીવનશોધનના મૌલિક વિચાર વિશે અને તેના નિયમ વિશે તદ્દન એકમત છે. તેથી અહીં જૈન દર્શન વિશે કાંઈ પણ કહેતાં મુખ્યપણે તેની જીવનશોધનની મીમાંસાનું જ સંક્ષેપમાં કથન કરવું વધારે પ્રાસંગિક છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org