SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનધર્મને પ્રાણ આપે છે. એ સાચું છે કે હજાર પ્રયત્ન કરીએ તે પણ સાપને ળિયા, ગાય-વાઘને વિરોધ નિમૂળ નથી થઈ શકતો, જ્યારે, પ્રયત્ન કરવામાં આવે તો, બ્રાહ્મણ અને શ્રમણ વચ્ચેને વિરોધ નિર્મૂળ થવાનો સંભવ છે. અને ઇતિહાસમાં કેટલાક દાખલા એવા મળે પણ છે કે જેમાં બ્રાહ્મણ અને શ્રમણની વચ્ચે કોઈ પણ પ્રકારનું વૈમનસ્ય કે વિરોધ જોવામાં નથી આવતું. પરંતુ પતંજલિનું બ્રાહ્મણ-શ્રમણ વચ્ચેના શાશ્વત વિરોધ સંબંધીનું કથન વ્યકિતને અનુલક્ષીને નહીં પણ વર્ગને અનુલક્ષીને છે. કેટલીય વ્યકિતઓ એવી હોઈ શકે કે જે આવા વિરોધથી પર હોય યા પર થઈ શકતી હોય, પરંતુ સમસ્ત બ્રાહ્મણવર્ગ યા સમસ્ત શ્રમણવર્ગ આ મૂળભૂત વિરોધથી પર નથી, એ જ પંતજલિના કથનનું તાત્પર્ય છે. “શાશ્વત’ શબ્દનો અર્થ “અવિચલ” ન કરતાં અહીં પ્રાવાહિક” –“પરંપરાથી ચાલ્યું આવતું'] એટલે જ અભિપ્રેત છે. પંતજલિ પછી અનેક શતાબ્દીઓ પછી થયેલા જૈન આચાર્ય હેમચંકે ૨ પણ બ્રાહ્મણ-શ્રમણનું ઉદાહરણ આપી પંતજલિના અનુભવની યથાથતા ઉપર મહેરછાપ મારી છે. આજે સમાજવાદી યુગમાં પણ આપણે એ નથી કહી શકતા કે બ્રાહ્મણ અને શ્રમણવર્ગ વચ્ચેના વિરોધનું બીજ નિર્મળ થયું છે. આ સમગ્ર વિરોધનું મૂળ, ઉપર સૂચવેલ વૈષમ્ય અને સામ્યની દષ્ટિ વચ્ચે રહેલ પૂર્વ-પશ્ચિમ જેટલું અંતર છે. એકબીજા ઉપર પ્રભાવ અને સમન્વય બ્રાહ્મણ અને શ્રમણ પરંપરા એકબીજાના પ્રભાવથી સાવ અલિપ્ત રહી નથી; નાની-મેટી બાબતોમાં એકનો પ્રભાવ બીજા ઉપર ઓછાવત્તા પ્રમાણમાં પડેલ જેવામાં આવે છે. દાખલા તરીકે, શ્રમણધર્મની સામ્યદષ્ટિમૂલક અહિંસાભાવનાને બ્રાહ્મણ પરંપરા ઉપર ક્રમે ક્રમે એટલે પ્રભાવ પડ્યો છે કે, જેથી યજ્ઞીય હિંસાનું સમર્થન કેવળ પ્રાચીન શાસ્ત્રીય ચર્ચાઓને વિષય જ બની ગયું છે; વ્યવહારમાં ૧. મહાભાષ્ય ૨-૪-૯, ૨. સિદ્ધહેમ૦ ૩-૧-૧૪૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249507
Book TitleJain Dharm no Pran
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Jaindharma_no_Pran_002157.pdf
Publication Year1962
Total Pages22
LanguageGujarati
ClassificationArticle & Philosophy
File Size480 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy