SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ વિનય आणानिद्देसरकरे गुरुणमुववायकारए । इंगियाकारसंपन्ने से विणीए त्ति वुच्चई ।। (જ ગુરુની આજ્ઞા અને નિર્દેશનું પાલન કરે છે, જે ગુરુની સુશ્રુષા કરે છે તથા એમનાં ઇંગિત અને આકારને સમજે છે તે વિનીત-વિનયવાન કહેવાય नापुट्ठो वागरे किंचि पुट्ठो वा नालियं चए । कोहं असच्चं कुब्बेज्जा धारेज्जा विषमप्पियं ।। (વગર પૂછે કંઈપણ બોલે નહીં. પૂછવામાં આવે તો અસત્ય ન બોલે, ક્રોધ ન કરે, મનમાં ક્રોધ ઊઠે તો એને નિષ્ફળ બનાવે અને વિષમ કે અપ્રિયને મનમાં ધારણ કરે અર્થાતું ત્યારે સમતા રાખે.) नेव पल्हत्थियं कुज्जा पक्वपिंडं वे संजए । पाए पसारिए वा वि न चिढे गुरणंतिए 11 (ગુરુની સાવ પાસે પલાંઠી વાળીને ન બેસે, ઊભડક પણ ન બેસે તથા પગ લાંબાપહોળા કરીને ન બેસે.) आसणगओ न पुच्छेज्जा नेव सेजागओ कयाइ वि । आगम्मुक्कुडुओ संतो पुच्छेज्जा पंजलीयडो ।।२२।। (પોતાનાં આસન કે શય્યા પર બેઠાં બેઠાં ગુરુને કશું પૂછે નહીં, પરંતુ પાસે જઈને, ઊકડું બેસીને, હાથ જોડીને પૂછે.) स देव गंधब्ब मणुस्सपूइए चइत्तु देहं मलपंकपुव्वयं ।। सिद्धे वा हवइ सासए देवे वा अप्परए महिडिढए ।।४।। (દેવ, ગંધર્વ અને મનુષ્યથી પૂજિત એવો વિનયી શિષ્ય મળ અને પંકથી બનેલા દેહનો ત્યાગ કરીને શાશ્વત સિદ્ધગતિ પ્રાપ્ત કરે છે અથવા મહદ્ધિક દેવ બને છે.) ‘દસવૈકાલિક' સૂત્રના નવમા અધ્યયનમાં “વિનય સમાધિ” નામના ચાર ઉદ્દેશક આપવામાં આવ્યા છે. એ ચારે ઉદ્દેશક બહુ ધ્યાનથી સમજણપૂર્વક વાંચવા જેવા અને જીવનમાં ઉતારવા જેવા છે. એમાંથી નમૂનારૂપ થોડીક ગાથાઓ જોઈએ : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249504
Book TitleVinay
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherZ_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf
Publication Year2007
Total Pages21
LanguageGujarati
ClassificationArticle & Achar
File Size525 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy