SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપસર્ગ સાધુઓ જેમ સ્વેચ્છાએ સમતાભાવથી પરીષહ સહન કરે છે તેમ તેઓએ મનુષ્ય, દેવતા વગેરે દ્વારા થતા ઉપસર્ગો પણ સમતાભાવથી સહન કરવા જોઈએ. એ વખતે મનમાં જરા પણ ોધ, ક્લેશ વગેરે ન આણવાં જોઈએ અને કસોટીમાંથી પાર પડવાનું લક્ષ્ય રાખવું જોઈએ. સાચા મુમુક્ષુ સાધુઓએ દુ:ખ કે કષ્ટ આવી પડે ત્યારે પણ સમતામય જીવન જીવવું જોઈએ. ભયંકર કર્મોની નિર્જરા માટે પોતાને એક અપૂર્વ નિમિત્તે મળ્યું છે એમ સમજવું જોઈએ. અલબત્ત એવી મનની સ્થિતિએ કોઈ વિરલ મહાત્માઓ જ પહોંચી શકે. ૧૪૧ શાસ્ત્રકારે આ ચાર મુખ્ય પ્રકારના ઉપસર્ગના સોળ પેટાપ્રકાર નીચે પ્રમાણે કહ્યા છે : ૧. દેવકૃત : (૧) રાગથી અથવા હાસ્યથી, (૨) દ્વેષથી, (૩) વિમર્શથી અથવા પરીક્ષાથી (વેદના સહન કરી શકે છે કે નહિ તે દૃઢતા જોવા માટે પરીક્ષા કરવી તે), (૪) પૃથવિમાત્રા (ધર્મની ઈર્ષ્યા આદિને અંગે વૈક્રિય શરીર કરીને ઉપસર્ગ કરે છે તે). ૨. મનુષ્યકૃત : (૧) રાગથી અથવા હાસ્યથી, (૨) દ્વેષથી, (૩) વિમર્શથી, (૪) કુશીલથી (ઉ.ત., બ્રહ્મચારીથી પુત્ર થાય તે બળવાન હોય છે એમ ધારીને કોઈ સ્ત્રી ધર્મવાસના વિનાના સાધુને બ્રહ્મચર્યથી ચલિત કરવા અનુકૂળ ઉપસર્ગ કરે તે.) ૩. તિર્યંચકૃત : (૧) ભયથી (મનુષ્યને જોઈને તે મને મારશે એમ ધારીને વાધ, સિંહ વગેરે સામે ધસે તે), (૨) દ્વેષથી, (૩) આહાર માટે (ભૂખ લાગ્યાથી તેનું નિવારણ કરવા માટે વાઘ, શિયાળ, ગરુડ વગેરે ઉપસર્ગ કરે તે) અને (૪) પોતાના સંરક્ષણ નિમિત્તે સામો પ્રહાર કરે તે. ૪. આત્મકૃત અથવા આત્મસંવેદનીય : (૧) વાતથી (વાયુથી), (૨) પિત્તથી, (૩) કફથી અને (૪) સંનિપાતથી થતા ભયંકર રોગરૂપી ઉપસર્ગ. આત્મસંવેદનીયના આ ચાર પેટાપ્રકાર બીજી રીતે પણ ગણાવવામાં આવે છે; જેમ કે, (૧) નેત્રમાં પડેલ કણું વગેરે ખૂંચવું, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249502
Book TitleUpsarga
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherZ_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf
Publication Year2007
Total Pages9
LanguageGujarati
ClassificationArticle & Religion
File Size339 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy