________________
૪૬.
જિનતત્ત્વ અને કાયાથી સાવદ્ય યોગની અનુમોદના કરીશ નહિ એવું પચ્ચક્ખાણ ગુહસ્થને લેવાનું હોતું નથી. તેઓ લેવાને સમર્થ કે અધિકારી હોતા નથી. તે તો ભંગ થવાનો સંભવ રહે છે. એટલે સાધુઓના “કરેમિ ભમાં “તિવિહે તિવિહેણ” અને “કરસંપિ અને ન સમણુજ્જાણે મિ” પાઠ આવે છે.
સાધુઓએ માવજીવન સમભાવમાં, અનાસક્ત ભાવે, સાક્ષી ભાવે રહેવાનું હોય છે. ગુહસ્થ બે ઘડી માટે તેની સાધના કરવાની હોય છે. આથી સામાયિક દરમિયાન ગૃહસ્થ ખાય કે પીએ તો તે તેને માટે સાવઘ યોગ છે. સાધુ ભગવંતો આહારાદિ લે, શૌચાદિ ક્રિયા કરે પરંતુ તે તેમને માટે સાવદ્ય ક્રિયા નથી.
સાધુ ભગવંતોને ત્રણ કરણ અને ત્રણ યોગથી પાપરૂપ કાર્યો ન કરવાનાં પચ્ચખાણ હોય છે. તેના નવ ભાંગા આ પ્રમાણે થાય છે : (૧) મનથી કરીશ નહિ, (ર) વચનથી કરીશ નહિ, (૩) કાયાથી કરીશ નહિ, (૪) મનથી કરાવીશ નહિ, (૫) વચનથી કરાવીશ નહિ, (૬) કાયાથી કરાવીશ નહિ, (૭) મનથી અનુમોદના નહિ કરું, (૮) વચનથી અનુમોદના નહિ કરું અને (૯) કાયાથી અનુમોદના નહિ કરું.
આમ “કરેમિ ભિન્ત'માં સાધુ ભગવંતોએ નવ ભાંગા અથવા નવ કોટિએ પચ્ચખાણ લેવાનાં હોય છે. ગૃહસ્થ છ ભાંગા અથવા છ કોટિએ પચ્ચક્ખાણ લેવાનાં હોય છે.
સામાયિક વિધિપૂર્વક કરવામાં “કરેમિ ભજો સામાઇય' એ સૂત્ર દ્વારા પ્રતિજ્ઞા લેવાની હોય છે. ભારતીય પરંપરામાં ધાર્મિક વિધિઓમાં પ્રસંગાનુસાર અને ધ્યેયના મહત્ત્વાનુસાર મંત્ર, સૂત્ર, સ્તોત્ર ઇત્યાદિનું એક વાર, બે વાર, ત્રણ વાર, પાંચ વાર, સાત, નવ, બાર, એકવીસ કે તેથી વધુ વાર પઠન થાય છે. ઉચ્ચારણમાં ઉતાવળને લીધે, અનવધાનને લીધે કે અન્ય કોઈ કારણે તેના અર્થ અને આશયમાં ચિત્ત એકાગ્ર ન થયો હોય તો વધુ વાર ઉચ્ચારવાથી એકાગ્ર થઈ શકે છે. આવી કેટલીક વિધિઓમાં મંત્રસૂત્રાદિને વધુ વાર દોહરાવવાની પદ્ધતિ સર્વમાન્ય છે. (જાહેર જીવનમાં પણ ક્યાંક સોગંદવિધિમાં કે કાયદો પસાર કરવામાં ત્રણ વારનું વાંચન સ્વીકારાયું છે.)
સામાયિકની વિધિમાં એનું પ્રતિજ્ઞાસૂત્ર સૌથી મહત્ત્વનું હોવાથી એનું ઉચ્ચારણ એક વાર નહિ પણ ત્રણ વાર થવું જોઈએ એવો મત કેટલાક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org