________________
પ્રતિસેવના
મુખ્ય કારણો છે. “ભગવતીસૂત્રમાં કહ્યું છે : સવિદ્દા પડવUT THી. આ દસ પ્રકારની પ્રતિસેવના નીચે પ્રમાણે છે :
(૧) દપ પ્રતિસેવના : અહંકારને કારણે થતી સંયમની વિરાધના.
(૨) પ્રમાદ પ્રતિસેવના : મદ્યપાન, વિષય, કષાય, નિદ્રા અને વિકથા એ પાંચ પ્રકારના પ્રમાદના સેવનથી જીવનમાં આવતી અશુદ્ધિ.
(૩) અનાભોગ પ્રતિસેવના : અનાભોગ એટલે અજ્ઞાન. એને કારણે થતાં દુષ્કર્મો.
(૪) આતુર પ્રતિસેવના સુધા, તૃષા વગેરેની પીડાથી વ્યાકુળ થઈ મનુષ્ય જે પાપનું સેવન કરે તે.
(૫) આપ~તિસેવના : આપત્તિ આવી પડતાં થતી ચારિત્રની શિથિલતા, ચાર પ્રકારની મુખ્ય આપત્તિ ગણાવાય છે : (અ) દ્રવ્યાપત્તિ (યોગ્ય આહાર આદિ ન મળે), (બ) ક્ષેત્રાપત્તિ (ભયંકર જંગલ કે અનાર્ય પ્રદેશમાં સંયમ ન સચવાય), (ક) કાલાપત્તિ (દુકાળ, રેલ, ધરતીકંપ વગેરે કુદરતી સંકટોમાં વ્યાકુળ થઈ મનુષ્ય અકાર્ય કરે), (ડ) ભાવાપત્તિ (માંદગી, અસ્વસ્થતા વગેરેને કારણે મનુષ્ય ચિત્ત ઉપરનો સંયમ ગુમાવી બેસે તે).
(૬) સંકીર્ણ પ્રતિસેવના : આહાર વગેરમાં દોષની શંકા થવા છતાં તેનો ઉપયોગ કરવાથી થતી વિરાધના.
(૭) સહસાકાર પ્રતિસેવના : અચાનક વગર-વિચાર્યું થઈ જતું અનુચિત કાર્ય.
(૮) ભય પ્રતિસેવના : અપમાન, લોકનિંદા, સજા, મૃત્યુ ઇત્યાદિના ભયને કારણે મનુષ્ય અસત્ય બોલે, બીજા ઉપર આળ ચઢાવે અથવા નિંદા કરે, ભયને ભૂલવા વ્યસનો સેવે ઇત્યાદિ અકાર્ય.
(૯) પ્રદોષ પ્રતિસેવના : ક્રોધ વગેરે કષાય દ્વારા થતી અશુદ્ધિ.
(૧૦) વિમર્શ પ્રતિસેવના : કોઈની પરીક્ષા કે કસોટી કરવાના ઇરાદાથી જાણીજોઈને ખોટો આરોપ મૂકવામાં આવે તેવું કાર્ય.
ચિત્તશુદ્ધિ માટે આ દશ પ્રકારની પ્રતિસેવનાથી બચવાની આવશ્યકતા છે. જીવન એટલું બધું સંકુલ અને ગહન છે કે પ્રતિસેવનારૂપી સૂક્ષ્મ રોગ ક્યારે ચિત્તમાં પેસી જાય છે તેની ખબર પડતી નથી. એ રોગનું નિદાન વ્યક્તિએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org