________________
પ્રતિસેવના
કોઈકના માંદગીના સમાચાર સાંભળતાં આપણાથી સહજ પુછાઈ જાય છે : “શું થયું છે ?’ સામાન્ય રીતે કોઈક રોગનું નામ કહેવાય છે. દાક્તર રોગનું બરાબર નિદાન કરે તે પછી ઉપચાર થાય છે.
કોઈક વખત એવું પણ સાંભળીએ છીએ : “છેલ્લી ઘડી સુધી શું રોગ હતો તે જ ખબર ન પડી. યોગ્ય નિદાન થયું નહિ અને મૃત્યુ પામ્યો.”
કોઈક વખત એવું પણ સાંભળીએ છીએ : “નિદાન બરાબર હતું, પરંતુ દવા બરાબર નિયમિત થઈ નહિ.”
તો કોઈ વખત એવું સાંભળીએ છીએ કે : “નિદાન બરાબર હતું, પરંતુ દવા લાગુ પડી નહિ, કારણ કે રોગ ઘણો આગળ વધી ગયો હતો.'
રોગ થવો, એનાં કારણોની તપાસ થવી, યોગ્ય નિદાન થવું, ઉપાચર નક્કી થવો, ઉપચારનો તરત બરાબર અમલ થવો અને દર્દી સાજો થવો – આ બધા તબક્કામાં જેઓ અત્યંત સાવધ રહી ચીટપૂર્વક વર્તે છે તે રોગથી મુક્ત થઈ શકે છે.
જેમ શરીરના રોગ હોય છે એમ મનના અને આત્માના રોગ પણ હોય છે. શરીરના રોગના ચિહનો તરત નજરે પડે છે. પરંતુ મન અને આત્માના રોગનાં ચિહ્નો જણાતાં વાર લાગે છે. ક્યારેક જણાતાં પણ નથી. વળી તેના ઉપચારો પણ સૂક્ષ્મ હોય છે અને તેનું પરિણામ ક્યારેક વિલંબિત હોય છે.
રોગના નિરાકરણ માટે દર્દીએ પોતાની વાત પ્રામાણિકપણે કહી દેવી જોઈએ. એથી દાક્તરને નિરાકરણ કરવામાં અનુકૂળતા રહે છે. જો તે છુપાવે તો કેટલીક વાર ઉપચાર ઊંધા પણ પડે.
પ્રાચીન સમયનું એક સરસ દૃષ્ટાંત છે. એક તાપસ વનમાં ખૂબ તપશ્ચર્યા કરતો અને ફળફળાદિ ખાઈને પોતાનો નિર્વાહ ચલાવતો. એક દિવસ એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org