SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ દારિત હત્યા - ઇતર અને જૈન તત્ત્વદૃષ્ટિ ૩૮૭ મારવાની ક્રિયા, ચેતનતત્ત્વને હરી લેવાની ઘટના ભયંકર અનિષ્ટ મનાય છે. દયાપ્રેરિત હત્યાના વધુપડતા ઉપયોગથી મનુષ્યજીવનમાં, સમાજજીવનમાં જડતા, ભાવવિહીનતા, નિષ્ફરતા વધવા લાગશે. શબની અંદર પ્રાણ પૂરવાની શક્તિ જો માણસ પાસે ન હોય તો જીવતા શરીરમાંથી પ્રાણતત્ત્વ લઈ લેવાનો અધિકાર પણ માણસને મળતો નથી. જેવી રીતે આવી કોઈક વ્યક્તિની બાબતમાં એનાં સ્વજનોને એ વધુ સમય જીવે એવો ભાવ થાય છે તેવી રીતે પોતાના પ્રાણપ્યારા ધર્મનેતા, સમાજનેતા કે રાષ્ટ્રનેતા વગેરેના જીવનના અંતકાળે એના ભક્તો, અનુયાયીઓ, ચાહકો વગેરેમાં પણ એવો ભાવ થાય છે. તે વખતે એ વૃદ્ધ, બીમાર અને બિનઉપયોગી પરંતુ પ્રાણપ્રિય વ્યક્તિના જીવનનો અંત જલદી આવે તો સારું એવો ભાવ એકંદરે એના ચાહકવર્ગમાં ઉદભવતો નથી હોતો, એ બતાવે છે કે જીવંત વ્યક્તિની કિંમત કેટલી બધી છે ! કેટલાક વખત પહેલાં એવી એક ચર્ચા ચાલી હતી કે વૃદ્ધો સમાજને માટે આર્થિક રીતે બોજારૂપ છે. જે દેશની આર્થિક સ્થિતિ નબળી હોય તેવા દેશોમાં કશું ન કમાતા અને આરામથી ખાતાપીતાં એવાં વૃદ્ધ માતાપિતા સંતાનોને માથે આર્થિક દૃષ્ટિએ બોજારૂપ બની જાય છે. રહેઠાણ વગેરેના પ્રશ્નો પણ તેમને સતાવતા હોય છે. એવે વખતે વૃદ્ધોએ સ્વેચ્છાએ જીવન પૂરું કરી નાખવું જોઈએ. અર્થાત્ સરળ ઉપાયથી આત્મહત્યા કરી નાખવી જોઈએ અથવા સરળ ઉપચાર વડે બીજાઓએ તેમના જીવનનો અંત આણવો જોઈએ કે જેથી તેઓ સમાજને બોજારૂપ ન રહે; પરંતુ આવા પ્રશ્નમાં પણ ઘણાં પાસાં રહેલાં છે. જે વૃદ્ધોએ અથાગ પરિશ્રમ કરીને પોતાની આજીવિકા ચલાવવા ઉપરાંત વિશેષ સંપત્તિ એકત્ર કરી હોય તે વૃદ્ધોને નિવૃત્તિના સમયમાં પોતાની સંપત્તિનો ઉપયોગ કરીને જીવવાનો હક ખરો કે નહિ ? વારસાની લાલચથી સંતાનો એમ ઇચ્છતાં હોય કે વૃદ્ધ માતા-પિતા સંસારમાંથી જલદી વિદાય લે તો પોતાને મળનારી સંપત્તિ જલદી પોતાના હાથમાં આવી જાય. એ રીતે વિચારનારાં સંતાનોને વૃદ્ધ માતાપિતા કે અન્ય વૃદ્ધ વડીલો બોજારૂપ જ લાગવાનાં, પરંતુ તેમાં સામાજિક, આર્થિક, ધાર્મિક કે નૈસર્ગિક ન્યાયષ્ટિ રહેલી નથી. યુવાનો પોતે જ્યારે વૃદ્ધ થાય છે ત્યારે તેમને આ દૃષ્ટિ વધુ સારી રીતે સમજાય છે. કેટલાકે એવો મત વ્યક્ત કર્યો છે કે જે વૃદ્ધો ઉપયોગી જીવન જીવતાં હોય તે વૃદ્ધોએ પોતાના જીવનનો વહેલો અંત આણવાની જરૂર નથી. પરંતુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249449
Book TitleDayaprerit Hatya Itar ane Jain Tattvadrushti
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherZ_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf
Publication Year2007
Total Pages14
LanguageGujarati
ClassificationArticle & Philosophy
File Size441 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy