SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્ઝન્ય ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ અનભિજ્ઞ છે. આથી મલ્લવાદીને મૈત્રકયુગમાં, એના પ્રથમ તબક્કામાં, મૂકવા ઠીક લાગે છે, 8. Ed. Muni Shri Punyavijaya, Ahmedabad-Varanasi, 1975. પ, એજન, પૃ. ૨૬, આ પદ્ય શીલાચાર્યની સૂત્રકૃતાંગ-વૃત્તિમાં પણ ઉદ્ધત થયું છે; પણ ત્યાં પ ડ્યું નીતાડWIFT ને બદલે વ 8 તાકૂડાનો એવો પાઠાંતર મળે છે. For details, see V. M. Kulkarni, "Svabhāva (Naturalism) : A Study," English Section, Shri Mahavira Jain Vidyalaya Golden Jubilee Volume, Part 1, Bombay 1968, pp. 10-20. ૬. “પોયણા' શબ્દની વ્યુત્પત્તિ (સં.) 'પાથી નીપજતા (પ્ર) ઉમ” પરથી માનવામાં આવી છે, પણ અહીં તો એનો પુરોગામી શબ્દ “પૌ’ મળે છે : તો શું સમજવું ? “પૂર્ણ' પરથી “પૉર્ણ શબ્દ બન્યો છે ? પર્ણની વા પૂનમ સાથે એના ખીલવાને સંબંધ હશે કે તેની પાંખડીઓના પૌણે કલાપને કારણે પર્ણ' નામ સંસ્કૃત લેખકોએ બનાવ્યું હશે, કે પછી “પઉમ'નું પુનઃસંસ્કૃતીકરણ “પૉર્ણ કર્યું હશે? આનો નિર્ણય તો ભાષાવિદો જ કરી શકે ૭. નિવૃતિ કુલના આચાર્ય જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ ઈ. સ. પ૯૪ના અરસામાં દિવંગત થયા છે. સ્વર્ગગમન પૂર્વે પ્રાકૃત-ભાષા-નિબદ્ધ સ્વરચિત વિશેષ-આવશ્યક-ભાષ્યની ૨૩૧૮ના અંક પર્યત્તની ગાથાઓની સંસ્કૃત ટીકા રચી શકેલા. આ વૃત્તિથી અગાઉ, પણ ભાષ્ય રચી રહ્યા બાદ, વચ્ચેના ગાળામાં એમણે જીતશ્ય-ભાણ તેમ જ વિશેષણવતી સરખા ગ્રંથોની રચના કરી છે. આથી એમના વિશેષ-આવશ્યકભાષ્યનો સમય ઈ. સ. ૫૮૫ના અરસાનો હોવાનું મેં અનુમાન કર્યું છે. 6. Ed. Pt. Dalsukh Malvania, Pt. II, Ahmedabad 1968. ૯. એજન પૃ. ૪૨૮. ૧૦. એજન. ૧૧. જંબૂવિજય, ઉર્યુક્ત, પૃ. ૧૯૧. ૧૨. જો કે જંબૂવિજયજીએ સિંહસૂરિ ક્ષમાશ્રમણની નયચક્રવૃત્તિનો સમય કોઢાર્યવાદિગણિ તેમ જ ધર્મકીર્તિથી પૂર્વનો, પણ જિનભદ્રગણિ ક્ષમાશ્રમણથી કદાચિતુ બાદનો, એટલે કે લગભગ ઈ. સ. ૬૦૦-૬૨૫નો માન્યો છે, પણ એમના પ્રશિષ્ય-તત્ત્વાર્થાધિગમસૂત્રના વૃત્તિકાર ગંધહસ્તી સિદ્ધસેન-નો સમય ઈસ્વીસનના આઠમા શતકના પૂર્વાર્ધમાં નિશ્ચિત થતો હોઈને અને તત્ત્વાર્થવૃત્તિમાં દિગંબરાચાર્ય ભટ્ટ અકલંકદેવના તત્ત્વાર્થરાજવાર્તિક તેમ જ સિદ્ધિવિનિશ્ચયનો પરિચય વર્તાતો હોઈ સિંહસૂરિનો સમય જંબૂવિજયજીની ગણનાથી પચાસેક વર્ષ બાદનો હોવો ઘટે. (ભટ્ટ અકલંકદેવની ઉપરિકથિત કૃતિઓ લગભગ ઈ. સ. ૭૪૦-૭૫૦ના અરસાની હોવાનો સંભવ હોઈ સિદ્ધસેનાચાર્યની કૃતિની સમયસ્થિતિ વહેલામાં વહેલી ઈ. સ. ૭૫૦-૭૬૦ના અરસાની સંભવી શકે. એ વાત લક્ષમાં લઈએ તો દ્વાદશાહનચક્રવૃત્તિને ઈસ્વી ૬૭૫ પહેલાં મૂકી શકાય એવા સંજોગ નથી) ૧૩. મુનિ જંબૂવિજય, ઉપર્યુક્ત, પૃ. ૨૨૨. ૧૪. દ્વાદશાનયચક્રવૃત્તિની પ્રતો બહુ મોડેની છે અને તેથી એમાં સહેજે જ પાઠવિકૃતિ એવું વર્ણવિકાર થવાનો મોકો રહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249356
Book TitleSwabhav Saral Vishayak Tran Juna Jain Granth
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherZ_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2
Publication Year2002
Total Pages5
LanguageGujarati
ClassificationArticle & Literature
File Size316 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy