SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ ભદ્રાર્યાચાર્ય અને દક્તિલાચાર્ય ૨૧ થયાનો ઉલ્લેખ છે. આ સ્પષ્ટ ઉલ્લેખ જોતાં અને અગમ્યસિંહના સંભાવ્ય સમયથી લેખની મિતિના હિસાબે આશરે સવાસો વર્ષ જેટલું તેમનું પુરોગામીપણું લક્ષમાં લેતાં, ચૂર્ણિકથિત દત્તિલાચાર્ય અને સાંપ્રત શિલાલેખ ઉલ્લિખિત દરિલાચાર્ય અભિન્ન હોવા જોઈએ. જો પ્રસ્તુત દત્તિલાચાર્ય દ્વારા પણ દશવૈકાલિકસૂત્રની એક વૃત્તિ રચાઈ હોય તો તે વૃત્તિનો સમય ઈસ્વીસના પાંચમા શતકનો દ્વિતીય પ્રહર હોવાનું નિશ્ચિતરૂપે અનુમાની શકાય. આ બન્ને પ્રાચીન ઉલ્લેખોનાં પ્રમાણોથી અગત્યસિંહ દ્વારા થયેલ બે પૂર્વવિદ્ આચાર્યો સંબદ્ધ ઉલ્લેખની પ્રામાણિકતા સિદ્ધ થવા ઉપરાંત તેઓની વિદ્યમાનતાના કાળનો પણ મહદંશે નિર્ણય થઈ જાય છે. ભદ્રાયંચાર્ય ઈસ્વીસના પાંચમા શતકના પૂર્વાર્ધમાં થયા હશે અને દત્તિલાચાર્ય તો ઈ. સ. ૪૩૨-૩૩માં વિદ્યમાન હોવાનું હવે સુનિશ્ચિત બને છે. આ ગણતરીએ ભદ્રાર્યાચાર્ય અને દત્તિલાચાર્ય સમકાલિક સ્થવિરો હોવા ઘટે. પ્રસ્તુત બન્ને આચાર્યોએ દશવૈકાલિકસૂત્ર પર વૃત્તિઓ રચી હોય તો તે બન્ને કૃતિઓ જૈનાગમોની વાલભી વાચના (ઈ. સ. ૧૦૩ વા ઈ. સ. ૫૧૬)થી પૂર્વે થઈ ચૂકી હતી. હાલ અપ્રાપ્ય એવી આ વૃત્તિઓના આશય-અંશ અગત્યસિંહની ચૂર્ણિમાં અભિપ્રાયરૂપે જળવાયા હોઈ, પ્રસ્તુત ચૂર્ણિનું મૂલ્ય અધિક્તર બની જાય છે. અલબત્ત ચૂર્ણિકારનાં નિજી મંતવ્યો અને પૂર્વવર્તી વૃત્તિકારોનાં મંતવ્યો વચ્ચે બાવર્તક રેખાઓ દોરવાનું કાર્ય તો આગમોના અધ્યેતાઓ જ કરી શકે. ટિપ્પણો : ૧. આ અંગબાહ્ય” વર્ગમાં ગણાતા આગમનું વર્તમાન ભાષા-સ્વરૂપ અલબત્ત ઈસ્વીસનુ પૂર્વેની એકાદ સદીથી વિશેષ પુરાણું નથી. મૂળ કૃતિ બન્યા બાદ ચારસો એક વર્ષ પછી ભાષામાં યુગાનુકૂલ પરિવર્તન કરવામાં આવ્યું હોવાનો સંભવ છે. (આર્ય શäભવ જિન વર્ધમાન મહાવીર નિર્વાણ ઈ. સ. ૪૭૭ પછીના ક્રમમાં પાંચમા પુરષ છે.) પરંતુ તેના પ્રારંભના બે જ અધ્યાયો અસલી છે. બાકીના શયંભવથી બેએક સદી બાદના છે. ૨. મોહનલાલ મહેતા તેને જિનદાસ ગણિ મહત્તર-કક (ઈસ્વીસનના ૭મા શતકનું આખરી ચરણ) માને છે : (જુઓ જૈન સાહિત્ય માં વૃદ્ધ તિહાસ, માગ રૂ, પાર્શ્વનાથ જૈવાશ્રમ પ્રમાતા, વારાફી, ૨૨૬૭, પૃ. ૩૦૬) પણ (સ્વ) મુનિવર્યશ્રી પુણ્યવિજયજીનો એ વિશેષ પ્રાચીન હોવાનો મત ગ્રાહ્ય લાગે છે. કારણ એ છે કે આવશ્યકચૂર્ણિ, કે જેમાં જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ(આ. ઈસ. ૧૯૪)ની કોઈ જ કૃતિઓનો ઉલ્લેખ નથી, તેમાં આ ચૂર્ણિનો નહીં પણ અગત્યસિંહની ચૂર્ણિમાંથી ઉતારો મળે છે. આ છેલ્લી કહી તે ચૂર્ણિ ઉપર જોઈ ગયા તેમ છઠ્ઠા સૈકાના ઉત્તરાર્ધથી તો અર્વાચીન નથી જણાતી (જુઓ નવી સુd, પ્રતિ પ્રન્થ પર પ્રસ્થા , અમાર, ૨૬૬૬, પૃ. ૨૦). 3. नाथूराम प्रेमी, "यापनीयों का साहित्य", जैन साहित्य और इतिहास, संशोधित-साहित्यमाला, प्रथम पुष्प, વસ્વ ૨૬૬૬, પૃ. ૬૦, ૬૭, તથા પ્રસ્તુત સંકલનમાં “મારjધના શૌર ડી ટીવેં'', પૃ. ૭૬. ૪. જુઓ સહ્યાત્મિયગુરૂં (. મુનિ કુવનય), પ્ર9િ19ન્થપરિષ પ્રસ્થા ૬૭, ૩દમવા ૧૨૭રૂ. ૫. એજન, “પ્રસ્તાવના,' તસુ માનવળયા, પૃ. ૨૨, ૧૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249355
Book TitleBhadracharya ane Dattilacharya
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherZ_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2
Publication Year2002
Total Pages4
LanguageGujarati
ClassificationArticle & History
File Size311 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy