SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ માંડલનાં જિનાલયોની ધાતુપ્રતિમાઓના લેખો લક્ષ્મણભાઈ ભોજક માંડલ. મધ્યકાલીન મંડલીગ્રામમાં સોલંકીયુગમાં કેટલાંક જિનાલયો બંધાયેલાં જે સૌનો મુસ્લિમ આક્રમણો દરમિયાન સંપૂર્ણ વિનાશ થઈ ચૂક્યો છે. વર્તમાનમાં અસ્તિત્વ ધરાવતાં ત્રણ દહેરાસરો આધુનિક યુગમાં બંધાયેલાં છે, તેમાંનાં શાંતિનાથ-દહેરાસર અને મોટા દહેરાસરની ધાતુમૂર્તિઓ ઉપરના લેખો અહીં પ્રસ્તુત કરવામાં આવે છે. તેમાં કોઈ કોઈ મૂર્તિ ઉપર ૧૩મી સદીના લેખ છે પરંતુ તે પૂરા વંચાતા ન હોઈ છોડી દીધા છે. બાકીના છે તેમાં મોટા ભાગના ઈસ્વીસનની ૧૫મી શતાબ્દી અને કોઈ કોઈ સોળમી શતાબ્દીના તુલ્યકાલીન છે, જે બધા અહીં પ્રકાશિત કરવામાં આવે છે. પહેલાં શાંતિનાથના દહેરાસરના લેખો જોઈશું. પાટણના શ્રીમાલજ્ઞાતિના શ્રાવકાદિએ સં. ૧૫૦૭ | ઈ. સ. ૧૪૫૧માં ભરાવેલ પાર્શ્વનાથની આ પંચતીર્થી ધાતુપ્રતિમાની વૃદ્ધતપાગચ્છના પ્રસિદ્ધ આચાર્ય રત્નસિંહસૂરિએ પ્રતિષ્ઠા કરેલી હોઈ તે મહત્ત્વની છે. सं० १५०७ वर्षे वैशाष वदि .... पत्तनवास्तव्य श्रीश्रीमालज्ञा० व्य० वाधा० भा० टबकू गाधा-जावडपुत्राभ्यां भली-झलीपुत्रीभ्यां युतेन बाई भली नाम्न्या स्वभर्तुर्म० समधर श्रेयसे श्रीपार्श्वबिंब कारितं प्र० श्री वृद्धतपापक्षे श्री रत्नसिंहसूरिभिः ॥श्री: તીર્થકર ધર્મનાથની ચતુર્વિશતિપટ્ટયુકત આ ધાતુપ્રતિમા પણ પાટણના શ્રાવક-શ્રાવિકાદિએ ભરાવેલી છે. લેખ સં. ૧૫૯ | ઈસ. ૧૪૫૩નો છે. પ્રતિષ્ઠાપક આચાર્ય પિપલગચ્છના ઉદયદેવસૂરિ છે. संवत १५०९ वर्षे ज्येष्ठ बदि ९ ऊकेश श्रीश्रीमालज्ञातीय श्रे० घेता भा० घेतलदे भ्रातव्य आसापांचा भा० डाही द्वि० भा० वाल्ही सुत जूठा-शाणा-जिणदासै सर्वपूर्वजश्रेयोर्थं श्रीधर्मनाथप्रमुखचतुर्विशतिपट्टः कारित: प्रतिष्ठित: पिप्पलगच्छे भट्टा० श्री उदयदेवसूरिभि: शुभं भवतु શ્રી પ્રત્તનવાર્તવ્ય it આ પંચતીર્થી ધાતુપ્રતિમા પણ પાટણના જ શ્રાવક-શ્રાવિકાઓએ ભરાવેલ છે. ભરાવનાર શ્રીશ્રીમાલજ્ઞાતિના ગાંધી કુટુંબના છે. પ્રતિમા જીવિતસ્વામી શીતલનાથની છે અને તે પૂર્ણિમાપક્ષના ભીમપલ્લીય જયચન્દ્રસૂરિના ઉપદેશથી સં. ૧૫ર૩} ઈસ. ૧૪૬માં ભરાવવામાં આવી છે. संवत १५२३ वर्षे वैशाष बदि १ सोमे श्रीश्रीमालज्ञा० गांधी जावड भा० गुरी सुत धना द्वि० भा० हर्षादनाम्न्या सु० शंकर-श्रीदत्त-सहितया स्वपुण्यार्थं जीवितस्वामि-श्रीशीतलनाथबिंबं का० पूर्णिमापक्षे भीमपल्लीय श्रीपार्श्वचन्द्रसूरिपट्ट श्री जयचंद्रसूरिणामुपदेशेन प्रतिष्ठितं श्रीपत्तनवास्तव्य ॥ પ્રાગ્વાટ જ્ઞાતિના કુટુંબે સંભવનાથની ચતુર્વિશતિપટ્ટ યુકત આ ધાતુપ્રતિમા સં. ૧૫૪૧ | ઈ. સ. ૧૪૮૫માં Jain Education International Education international For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249338
Book TitleMandalana Jinalyoni Dhatupratimaona Lekho
Original Sutra AuthorN/A
AuthorLakshman Bhojak
PublisherZ_Nirgrantha_1_022701.pdf and Nirgrantha_2_022702.pdf and Nirgrantha_3_022703.pdf
Publication Year1996
Total Pages4
LanguageGujarati
ClassificationArticle & Tirth
File Size300 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy