SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ અને કયા આદરો કાશીમાં માંધ્યા ? [૨૯ જે કાશી વિશ્વવિદ્યાલયનાં સ્વમ સેવાઈ રહ્યાં હતાં તે વિશ્વવિદ્યાલયને એના વિશાળ મૂત આકારમાં અહીં આવી મે માત્ર જોયું જ નહિ પણ તેમાં જ રહી કામ કરવાનું સુદ્ધાં ભારે ભાગે આવ્યું. ગમે તેવા પ્રતિકૂળ પ્રસંગ પણ આખરે મને અનુકૂળ ફળદાયક જ નિવાહ્યો છે અથવા મે” એવા પ્રસંગને અનુકૂળ તક જ માની એમાંથી કાંઈક માગ શેાધવાના જે જિંદગીમાં અનુભવ કર્યાં છે. તેમાંની આ એક ઘટના હતી. લગભગ શવષ પહેલાં જ્યારે અહીં આવ્યા ત્યારે ન હતા જૈન વિદ્યાથી કે ન હતા ઇષ્ટ સાથીઓ, પણ કાંઈક ધગશ હતી. એ ધગશે અચાનક છેક જ એક નાના ઝૂંપડામાં પ્રેરણા કરી અને સ્વર્ગવાસી ઉક્ત ભવ્યાત્માના આદર્શને મન સામે તાદશ ઉપસ્થિત કર્યો. મે એ આદર્શને મારી ઢબે અને મારી શક્તિ પ્રમાણે વિચાર્યો અને તેને કાશીમાં જ કાંઈક મૂર્તરૂપ આપવાનો દૃઢ નિર્ધાર કર્યોં. સાધન અને સામગ્રી પહેલાં કરતાં બહુ વધી ગયાં હતાં, પણ હું માત્ર. એકાકી હતા. છતાં મને એ આદશ એટલા બધા ઉપયેગી અને આકર્ષક લાગ્યા કે તેને જ લીધે નિવૃત્તિ ગાળવા ધારેલ વર્ષો પણ મને રસપ્રદ પ્રવૃત્તિ-વાળાં સિદ્ધ થયાં. આ સ્થળે હું એ પ્રવૃત્તિ અને એનાં પરિણામ વિષે લખવા નથી ઈચ્છતે . કદાચ એ વિષે આગળ લખું, અત્યારે હું એ આદર્શ વિષે જ કાંઈક લખવા ધારું છું, અને તે માત્ર સામાજિક તેમ જ માનવીય સંસ્કૃતિના પોષાક એક અંગ તરીકે જ. વિજયધમ સૂરિજીને આદશ હતા કે જેમ ત્યાગી વર્ગ શાસ્ત્રીય વિદ્યા ભણે છે તેમ ગૃહસ્થવગે પણ એ વિદ્યાઓનું ગભીર અને વિશાળ અધ્યયન કરવું એ જૈનસમાજની વધતી જતી આવશ્યકતા અને વર્તમાન સમયની સખળ માગણીની દૃષ્ટિએ અનિવાર્ય રીતે જરૂરી છે. આજે જ્યાં ત્યાં નવાં ઉદ્ભવતાં કા ક્ષેત્રા અને સંસ્થાનાની વાસ્તવિક માગણીને યયા રૂપમાં પોતાના પ્રબળ વિદ્વાને સિવાય સંતોષી શકાય જ નહિ, તેમ જ ડિંગ, સ્કૂલો, કૅલેજો અને યુનિવર્સિટીઓમાં જે સંસ્કૃતિ, સાહિત્ય અને તિહાસના અધ્યયનના માર્ગો દિવસે દિવસે વધારે વધારે ખુલ્લા મુકાતાં જાય છે તેને એવા ગૃહસ્થ વિદ્વાન સિવાય પહેાંચી વળી શકાય પણ નહિ. બૌદ્ધ ભિક્ષુક વિદ્વાનાની જેમ જૈન ભિક્ષુક વિદ્યાના સાર્વજનિક સંસ્થામાં જવાબદારીપૂર્વક કામ લેવાનું સેવાકૃત્ય ન સમજે ત્યાં લગી તે આ કામની પુરવણી એક માત્ર ગૃહસ્થ વિદ્વાન વારા જ સંભવી શકે અને બીજી રીતે નહિ. એક વાર જૈન ત્યાગી વર્ગ એવી જાહેર જવામદારી ઈચ્છાપૂર્વક લેવાની ઉચ્ચ ભૂમિકાએ પહોંચે ત્યારે પણ તે વર્ગને પોતાના અંગત સાથી અને સહાયક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249307
Book TitleMane Kaya Adarshe Kashima Bandhyo
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages4
LanguageGujarati
ClassificationArticle & Biography
File Size77 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy