________________
મા પંજાબને પ્રવાસ
[ ર૦૭ રઈ પકવવા વગેરેનું કામ ચૂલા ઉપર થાય છે. અહીંની પેઠે ત્યાં આવીને ઉપયોગ થતો નથી. ત્યાંના દૂધમાં, ત્યાંની રસોઈમાં કાંઈક ઓર જ મીઠાશ આવે છે.
અમૃતસર ગુજરાનવાલામાં ૧૧ દિવસ રહીને અમે અમૃતસર આવ્યા. અમૃતસરની બજારે ને શેરીએ ગુજરાનવાલા કરતાં બહુ જ ચાખી હતી. અહીંનું પ્રથમ જોવા જેવું સ્થાન શીખેનું સુવર્ણ મંદિર હતું. એ મંદિરની ભવ્યતા જાણીતી છે. મંદિર વિશાળ, સેનાથી જડેલું અને તળાવની વચ્ચે શહેરના મધ્યભાગમાં છે. આ તળાવનું પાણી અમુક દિવસ પછી કાઢી નાખી બીજું તાજું પાણી ભરવામાં આવે છે. મંદિરમાં શીખેને ગ્રંથ સાહેબ એ જ પ્રધાન પૂજ્ય વસ્તુ છે. ગ્રંથસાહેબની ચોમેર ભક્ત સ્ત્રી-પુરુષોનું એક મોટું મંડળ સતત વીંટળાયેલું હોય જ અને ખૂબ જ ગાનવાદન ચાલતું હોય. હાર નિયમે તો ત્યાં પણ જૈન મંદિરની પેઠે એટલે બધે પગપેસારો કર્યો છે કે આપણા પ્રાચીન સુંદર અને ઉરસાદી વાદ્યોને સ્થાન રહ્યું નથી. નવાં વાદ્યોની પેઠે ગાને પણ એવાં ક્ષુદ્ર થઈ ગયાં છે કે પંજાબની એ પ્રાચીન કઠેકળા અને હદય-બળ આજે વિરલ જ છે. મંદિરના ચેકમાં હલવા (શીરા) ની પ્રસાદી ચાખી બહાર નીકળ્યા. ડા દિવસ પહેલાં શીખો અને વૈષ્ણવ વચ્ચે ધાર્મિક ખેંચતાણ થયેલી. કેટલાક વૈષ્ણવોને શીખ મંદિરમાં જતા સાંભળી તેઓને વૈષ્ણવ ધર્માચાર્યોએ ઉશ્કેર્યા. પરિણામે એ સુવર્ણ મંદિર જેવું બીજું વૈષ્ણવે સુવર્ણ મંદિર બંધાયું. આ મંદિર “દૂરગ્યાના” સ્થાન ઉપર શહેરના બહારના ભાગમાં આવેલું છે. આ મંદિર સ્પર્ધાજનિત હોઈ તેમાં સોનું વાપરવામાં આવ્યું છે. મંદિરની રચના, તેનું પ્રમાણ એ બધું શીખમંદિર જેવું જ છે. તળાવ પણ તેવું જ, બલકે વધારે વિશાળ છે. એક તરફના ભાગની લંબાઈ ૨૫૦ કદમથી વધારે છે. શીખમંદિર કરતાં આ મંદિરની વિશેષતા અને એ જણાઈ કે અહીં લંગરશ્રી છે. લંગરશ્રી એટલે ભેજનગૃહ. તેમાં વિદ્યાર્થીઓ, પંડિતો કે સાધુ-સંતોને ખાવાપીવાની સગવડ છે. સાથે એક સંસ્કૃત પાઠશાળા પણ છે. આ મંદિરનું ઉત્થાપન મારા ગયા પહેલાં ઘડા દિવસ અગાઉ જ પંડિત માલવિયાએ કરેલું. જે કે અમૃતસરમાં જનારને એકને બદલે બે મંદિર જેવાનાં થયાં એ આનંદની વાત છે, પણ આ મંદિરમૃષ્ટિ ધાર્મિક ઝનૂનમાંથી ઉત્પન્ન થયેલી હોવાને લીધે તેટલી જ દુઃખકારક છે. અમૃતસરમાં મારે એક પંડિતની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org