________________
મારા પાને પ્રયાસ
[૧૩
અરસામાં ત્યાં ચૈત્ર સુદ ૧૩ આવી એટલે મહાવીર જયંતીના દિવસ. જૈનાચાર્ય વિરાજમાન અને જૈન સંપ્રદાયના પ્રધાન પુરુષ ભગવાન મહાવીરની જયંતી એટલે સામાન્ય રીતે જ તે વખતે મારે કાંઈક એવું એવી માગણી થ. તેમના અતિ આગ્રહને વશ થઈ તે પ્રસ ંગે જે થાડુંક હું એણ્યા હતા તેને ટૂંક સાર પ્રસ્થાનના વ્યવસ્થાપકના તેટલા જ આગ્રહ હેાવાથી વિષય અહાર હોવા છતાં અત્રે આપું છું.
મહાવીરજયંતી પ્રવચન
હિંદુસ્તાનમાં માત્ર દેવપૂજા નથી, તેમાં પુરુષપૂજા પણ છે, અને અત્યારે તે મુખ્ય છે. જે પુરુષોની પૂજા અસાધારણપણે ચાલે છે તે ચારે ક્ષત્રિય છે. રામ, કૃષ્ણ, બુદ્ધ અને મહાવીર એ યારે ક્ષત્રિય પુરુષો આય જાતિના વિશિષ્ટ આદર્શોના આત્મા છે. રામે કુટુબમર્યાદા અને પ્રજાનીતિને આદર્શ પૂરા પાડી મર્યાદાપુરુષોત્તમ તરીકેની ખ્યાતિ મેળવી છે. કૃષ્ણે વિત્તિમાં માર્ગ કાઢવાની કુશાત્ર બુદ્ધિ દાખવી જગત સમક્ષ કર્મયોગ મૂક્યો છે. બુધ્ધે વૈયક્તિક જીવનની શાન્તિ માટે ધ્યાન અને સમષ્ટિ જીવનની શાન્તિ માટે ધ્યાને માર્ગ દાખવ્યો છે, ત્યારે મહાવીરે સૂક્ષ્માતિસૂક્ષ્મ પ્રાણીને પણ પેાતાના તરફથી જરાએ ત્રાસ ન થાય એવી રીતે કંઢારતમ સંયમ અને તપેમાં વનમાં ઉતારી, હરેશ અગવડાનુ હસતે ચહેરે પાન કરી અહિં’સાને પાડે શીખવ્યે છે. આ વારસા માત્ર આતિનો નથી પણ તે કારા સમસ્ત વિશ્વના છે.
આ
રામની જન્મતિથિ . રામનવમીને જૈને પણ જાણે જ, કૃષ્ણની જન્માષ્ટમીને ન જાણનાર બાળક પણ અહીં નહિ હાય; પરંતુ મુદ્દની જન્મતિથિ જાણનાર વિદ્વાનો પણ આ દેશમાં કેટલા છે એ પ્રશ્નના ઉત્તર મેળવવા જનાર સહુને તે! આંસુ સારવાં પડે. મઢાવીરની જન્મતિથિ જાણનાર જના કહેરો કે બુદ્ધને અને અમારે લેવાદેવા શા છે? પણ જો તે રીતે એક મહાન પુરુષ વિષે ઉદાસીન રહેવા માગતા હોય તે પછી પેાતાના માન્ય મહાવીરને સાંભળવા ખીજાએ આવે એવી આશા રાખવી ખરેખર વધારે પડતી જ ગણાય. આપણા લોકેાની જ્ઞાનસકતા અને સંપ્રદાયાંધતા એ એ તત્ત્વએ જ આપણને સામાજિક, ધાર્મિક, કે રાજકીય ક્ષેત્રમાં ગુલામ બનાવી રાખ્યા છે. રામના ભક્ત કૃષ્ણ, ખુદ્દ કે મહાવીર વિષે કાંઈ ન જાણું:—અથવા માત્ર વિરાધની દૃષ્ટિએ જાણે, તેવી જ રીતે કૃષ્ણ, મુદ્દ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org