SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ અંજલિ [૧૫ જન સંધના બંધારણમાં ચતુર્વિધ સંઘનું સ્થાન એકસરખું છે. ક્યારેક કોઈ વ્યકિત મુખ્ય ભાગ ભજવતી દેખાય યા સર્વોપરી મેવડી જેવી લાગે તેય તેના મૂળમાં ગુણ અને કાર્યશક્તિ રહેલાં હોય છે, નહિ કે પિઠીઉતાર સત્તાને વારસે. આ જૈન સંધનું સ્વરૂપ આજકાલની ભાષામાં કહીએ તો લેકશાહી છે; અલબત્ત, તે એક ધર્મપરંપરા પૂરતી. કોન્ફરન્સે પિતાને કાર્યપ્રદેશ મુખ્યપણે ત્રણ બાબતોમાં મર્યાદિત કરેલે એમ હું સમજું છું. (૧) ધાર્મિક, (૨) સાહિત્યિક, અને (૩) સામાજિક, ધાર્મિક બાબતમાં તીર્થના પ્રશ્ન ઉપરાંત ધર્માચાર અને તાંત્રિક શિક્ષણ વગેરેને સમાસ થાય છે. બને ત્યાં લગી નવા જમાનાની માગણીને અનુકૂળ થાય એ રીતે કોન્ફરન્સ સાધન ને શક્તિના પ્રમાણમાં એ બાબત કાંઈક ને કાંઈક કર્યું જ છે, અને હજીયે એ કાંઈક ને કાંઈક કરે જ છે. સાહિત્યની બાબતમાં એનું કામ વિશેષ ધ્યાન ખેંચે એવું છે, પ્રથમથી જ એણે પ્રાચીન સાહિત્યવારસાને પ્રકાશમાં લાવવાની નેમ રાખી છે અને એ દિશામાં યથાશક્તિ પણ નકકર કામ કર્યું છે. સામાજિક બાબતમાં કોન્ફરસે દેશમાં વિકસતા જતા ઉદાર વિચારને ઝીલ્યા અને યથાશક્તિ પ્રચાય પણ છે. કોન્ફરન્સની ઉપર સૂચવેલી ભૂમિકામાં સદ્દગત મોહનભાઈને શો સંબંધ હતા અને તેમણે શે ફાળો આપ્યો, મુખ્યપણે એ જાણવું તે જ આજના પ્રસંગ સાથે વિશેષ સંગત છે. મુંબઈમાં સદ્ગત ડે. બાલાભાઈ નાણાવટીના પ્રમુખપણું નીચે અધિવેશન થયું ત્યારે હું પહેલવહેલે કે રન્સમાં આવેલે, એમ યાદ છે. ઘણું કરી તે જ વખતે મોહનભાઈને પ્રથમ પરિચય થયો અને તેમની રુચિ, પ્રવૃત્તિ તથા પ્રકૃતિ વિશે કાંઈક જાણવા પાપે. તે જ વખતે મારા મન ઉપર એમને વિશે જે સામાન્ય છાપ પડેલી તે જ છેવટ સુધી વધારે ને વધારે પ્રત્યક્ષ પરિચયથી સ્પષ્ટ થતી ગઈ. મેં જોયેલું કે તેમની પ્રકૃતિ જેમ હસમુખી તેમ આશાવાદી હતી. મેં એ પણ જોયું કે તે કાંઈક ને કાંઈક સારું કામ કરવાની ધગશવાળા અને જાતે જ કાંઈક કરી છૂટવાની વૃત્તિવાળા હતા અને એ પણ જોયેલું કે જ્યાંથી જે પ્રાપ્ત થાય અને શીખવાનું મળે ત્યાંથી મુક્તમને તે મેળવવું અને તેને યોગ્ય વિનિમય કરે. - મુંબઈના પ્રથમ મિલન પછી તે તેમના છેલ્લા દિવસે સુધીમાં હું અને તેઓ એટલી બધી વાર મળ્યા છીએ કે તેને આંક સ્મૃતિમાં પણ ૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249293
Book TitleAnjali
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages11
LanguageGujarati
ClassificationArticle & Biography
File Size194 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy