________________ 154]. દર્શન અને ચિંતજ અનેકાંતનો વિકાસ કરવાની અને એના મર્મને જીવનમાં ઉતારીને સમભાવ, સહિષ્ણુતા અને ઉદારતા કેળવવાની જરૂર છે. સમાજમાં આવા સંસ્કારનું સિંચન કરવામાં, ધર્મ અને તત્વજ્ઞાનના ઉચ્ચ શિક્ષણને પ્રચાર કરવામાં અને ઉચ્ચ કોટીનું સાહિત્ય પ્રગટ કરવામાં કોન્ફરન્સ ધણું ઘણું કરી શકે એમ છે. સદ્ગત શ્રી મોહનલાલ દેસાઈએ આ બાબતમાં કોન્ફરન્સ દ્વારા પહેલ કરી છે, અને આપણે માટે કર્તવ્યની દિશા સૂચવી છે. હવે એ દિશાને વિકસાવવા અને સમૃદ્ધ કરવામાં જ એમનું ખરું સ્મરણ રહેલું છે એમ સૌ કોઈ સ્વીકારશે. આટલા પ્રાસંગિક નિવેદનને અંતે સગત શ્રી મેહનભાઈની નિષ્ઠા અને સાહિત્યસેવાને અંજલિ આપી, મને શાંતિપૂર્વક સાંભળવા બદલ આપ. સૌને આભાર માની હું મારું વક્તવ્ય પૂરું કરું , --જૈન, 21 જુલાઈ 1956 * તા. 15-7-1956 ને રવિવારના રોજ સગત શ્રી મેહનલાલ દ. દેસાઈના તૈલચિત્રની અનાવરણવિધિ પ્રસંગે આપેલું વકતવ્ય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org