SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦] દર્શન અને ચિંતન મેહનભાઈએ વિવિધ પ્રકારનું સાહિત્ય, પિતાનાં લખાણે, નેટ, ટિપ્પણીઓ આદિ પૂરાં પાડયાં છે. તેમની સંશોધન અને સંપાદનની ધગશ એટલી બધી ઉત્કટ હતી કે કોઈ એ વિષે તેમની પાસેથી મદદ માગે તો બીજે ગમે તેટલો જ હોવા છતાં આ વધારાનો બોજો લેવાનું તેઓ સ્વીકારે અને તેમને નિભાવે પણ. એ જ વૃત્તિને લીધે તેમણે આત્માનંદ જૈન શતાબ્દી સ્મારક ગ્રંથનું દળદાર પુસ્તક સંપાદિત કરી આપ્યું. મેહનભાઈ પાસેથી મદદ લેનારમાં એવા બહુ જ ઓછા છે કે જેમણે તેમની મદદની કૃતજ્ઞતાપૂર્વક નોંધ લીધી હોય. તેથી ઊલટું મેહનભાઈને સ્વભાવ એવો હતો કે કોઈની પાસેથી તેમને કોઈ પણ મદદ મળી હોય તે તેને ઉલ્લેખ કર્યા વિના તેઓ ન રહે. કઈ વિદ્વાન કે સગુણ વ્યક્તિને મળવાની અને તેમની પાસેથી કાંઈ ને કઈ જાણવાની તક મળતી હોય તે મોહનભાઈ ધૂકે નહીં. એવી વ્યક્તિ પાસે જતાં તેમને ઉંમર, જતિ કે પંથનું અંતર નડતું નહિ. વિદ્વાનોને સત્કાર કરવામાં ગૌરવ લેતા મેં તેમને જોયા છે. એમને વિદ્યાગ અપક્ષી નહોતો. તેમણે પિતાની સાધારણ કમાણુને પણ ઠીક ઠીક ભાગ સાહિત્યકૃતિઓ સરજવામાં અને સાહિત્યવૃત્તિ સંતોષવામાં ખર્યો છે અને જ્યાં બદલે મળે તેમ હતું ત્યાં પણ તેમણે બદલે લીધા વિના કેવળ સાહિત્યસેવાની દષ્ટિએ જ કામ કર્યું છે. એટલું જ નહીં પણ હું એવા પ્રસંગે જાણું છું કે જેમાં તેમણે વિદ્યા અને સાહિત્યને ઉત્તેજન આપવા આર્થિક મદદ પણ કરેલી. એકવાર પરદેશ અભ્યાસ અર્થે જતા એક મિત્રને તેમણે સંગીન મદદ આપેલી. બીજો પ્રસંગ પં. દરબારીલાલ સત્યભક્ત છે. મેહનભાઈ દરબારીલાલનાં લખાણ અને વિચારે પ્રત્યે બહુ આદર ધરાવતા. એકવાર તેમને માલુમ પડ્યું કે દરબારીલાલને સાહિત્ય પ્રગટ કરવામાં આર્થિક મુશ્કેલી નડે છે ત્યારે તેમણે વગર ભાગ્યે જ મદદ મોકલાવી દીધી. અત્રે એ ધ્યાનમાં રાખવા જેવું છે કે મોહનભાઈને શ્રદ્ધાપાત્ર વિદ્વાને અને લેખકે તદ્દન સુધારક અને ક્રાંતિકારી વિચાર ધરાવનાર હતા, તેથી એ નિઃશંક છે કે મેહનભાઈને વિદ્યાગ સમજપૂર્વક અને નિષ્કામ હતું. સામાજિકતા અને રાષ્ટ્રીયતા મોહનભાઈ જૈન શ્વેતાંબર કોન્ફરન્સના મુખપત્ર જૈન હેરલ્ડના લાંબા વખત લગી તંત્રી રહેલા. કોન્ફરન્સની એવી કઈ પ્રવૃત્તિ નથી કે જેમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249292
Book TitleKetlak Sansmarano
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages9
LanguageGujarati
ClassificationArticle & Biography
File Size168 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy