________________
૯૬]
અને અભ્યાસની જાગૃતિ છે. એમણે મળેલ વારસામાં હવે પછી આચાય પદે આવનાર વ્યક્તિને સૂચવી શાસનની ખરી સેવા દત્તક લીધેલ ગ્રંથાથી અગર ખરીદેલ પીએથી નહિ થાય.
દર્શન અને ચિંતન
આટલો ઉમેશ કરી આપ્યું કે જૈન
(ર) એમની જગ્યા કાછુ લઈ શકે?
એ પ્રશ્નના ઉત્તર એ જ આજની સમસ્યાના ઉકેલ છે. જેનામાં સ્વતંત્ર બુદ્ધિ વિનાની શ્રદ્ધા એટલે આજકાલ ચાલતી વ્યાખ્યા પ્રમાણે આસ્તિકતા માત્ર હશે અને ચિકિત્સા કરવાની, દેશકાળ પ્રમાણે પૂરવણી કરવાની, નવાં મળે પચાવવાની અને કિંમતી જૂનાં ખળે સાચવવાની, એક પણ બાધક અધન સ્વીકાર્યાં સિવાય–સંકુચિતતા રાખ્યા સિવાય બધી વિદ્યાઓને અપનાવવાની અને બદલાતા સંયોગા પ્રમાણે નવા નવા ચેાગ્ય ઇલાજો લેવાની નાસ્તિકતા જેનામાં નહિ હોય તે જો આચાર્ય પદે આવશે તો પણ ભાવિ ધર્મ સમાજ ઘટનામાં તેનું સ્થાન કશું જ નહિ હોય. મહારાજશ્રીને પદે આવનારમાં લાયમાન અને યાકાખી જેવી વિદ્યાનિકા તથા ચિકિત્સાશક્તિ જોઈશે. આ આનંદશંકર ધ્રુવ ડૉ. શીલ જેવા તાત્ત્વિક અને તટસ્થ વિશાળ અભ્યાસ જોઈશે, કવિ ટાગારની કલ્પનાશક્તિ જોઈશે અને ગાંધીજીની નિર્ભયતા તેમ જ નિખાલસતા જોઈશે. આટલા ગુણા ઉપરાંત એમનું સ્થાન લેવા ઈચ્છનાર અને જૈન સમાજને વિત રહેવામાં ફાળે આપવા ઇચ્છનાર વ્યક્તિમાં પંચને નહિ પણ અંદરને ત્યાગ જોઈશે. એનામાં ક્રાઈરેટની સેવાભાવનાની તપસ્યા અને એનીબિસેટના ‘ આગળ વધે ’ને ઉત્સાહ જોઈશે. પાતાની પરિસ્થિતિમાં રહી નવા નવા માર્ગો ચાજવાની અને તે દ્વારા જ્ઞાન અને ત્યાગની સમૃદ્ધિ વધારવાની શક્તિ જોઈ શે.
જયંતીની પુષ્પાંજલિ માત્ર ગુણાનુવાદમાં પૂરી થાય છે પણ તેથી જે જે કૃત્રિમતા-અવાસ્તવિકતાના કચરા એકઠા થવાના સંભન્ન ઊભો થાય છે તે લાભના પ્રમાણમાં બહુ જ મોટા છે. તેથી કાઈ પણ પૂજ્ય વ્યક્તિની જયંતી વખતે ગુણાનુવાદમાં ભાગ લેનાર ઉપર યથાર્થતા સામે દૃષ્ટિ રાખવાની ભારે જવાબદારી ઊભી થાય છે. એ વાત ધ્યાનમાં રાખી મારે કહેવું જોઈએ કે મહારાજશ્રીએ બહુશ્રુતપણાની ગંગા શરૂ કરી છે તે નવી પરિસ્થિતિ જોતાં માત્ર ગંગાત્રી છે અને સંપ્રદાયની ભૂમિકા ઉપર ઊભા રહી તેમણે જે સ શેાધનત્તિ તેમ જ ઐતિહાસિકવૃત્તિ દાખવી છે તે ભાવી સંશોધકો અને ઐતિહાસિકાને ઇતિહાસને મહેલ બાંધવા માટે પાયામાં મૂકાતા એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org