SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ $] દર્શન અને ચિત્તન સમાજગત કરવા યત્નશીલ હતા. મુદ્દે પાતાના જીવનમાં અહિં સા અને સંયમ પૂરેપૂરાં વણ્યાં હતાં અને છતાંય તેમણે અહિંસા અને સંયમના અર્થ લખાવી પ્રવૃત્તિ દ્વારા વ્યાવહારિક લેકસેવાનાં ખીજ પણ નાખ્યાં. આ બાબતમાં જૈન પરંપરા બૌદ્ધ પરંપરા કરતાં કાંઈક પછાત રહી, અને તેમાં સોગબળે પ્રવૃત્તિનું પરિમિત તત્ત્વ દાખલ થયા છતાં નિવૃત્તિનું જ રાજ્ય મુખ્યપણે રહ્યું. મુદ્દે પેાતાના ધ્વન અને ઉપદેશ દ્વારા જે લોકસ’ગ્રહનાં ખીજો નાખ્યાં હતાં તે આગળ જતાં મહાયાનરૂપે વિકાસ પામ્યાં. મહાયાન એટલે ાના લૌકિક અને લત્તર કલ્યાણ માટે પોતાની જાતને ગાળી નાખવાની વૃત્તિ—ખીજી આજી આ મહાયાની ભાવનાનાં પ્રબળ મેાજાને લીધે કે સ્વતંત્રપણે પણ કાઈ સાંખ્યાનુયાયી દીદી વિચારકે વાસુદેવ ધર્મ, જે તે વખતે રીક ઠીક પ્રતિા પામ્યા હતા અને વિસ્તરતા જતા હતા તેને કેન્દ્રસ્થ બનાવી અત્યાર લગી ચાલ્યા આવતા પ્રત્તિ અને નિવૃત્તિના સધ પરંતું સમાધાન કરી એમ સ્થાપ્યું કે કાઈ પણ સમાજગામી ધર્મદુન્યવી નિવૃત્તિ ખાનિષ્ક્રિયતા ઉપર ટકી ન શકે. ધર્મ-વન વાસ્તે પણ પ્રવ્રુત્તિ અનિવાર્ય છે અને સાથે સાથે એણે એમ પણ સ્થાપ્યું કે કાઈ પણ પ્રવૃત્તિ સમાજને ત્યારે જ હિતાવહુ નીવડે જો તે વૈયક્તિક વાસનામૂલક ન હાઈ સ્વાર્થથી પર હાય. નિવૃત્તિલક્ષી આચાર અહિંસા અને બીજા તમ્મૂલક બધા આચારોની પહેલી ભૂમિકા નિવૃત્તિલક્ષી હોવાથી તેની વ્યાખ્યા પણ નિવૃત્તિલક્ષી જ હતી. જે કાળક્રમે બૌદ્ધ પરંપરા અને વાસુદેવ પર પરાને પ્રભાવે પ્રવૃત્તિલક્ષી તેમ જ લાકસંગ્રહપરાયણ અની. અહિંસાને અર્થે માત્ર અભાવાત્મક ન રહેતાં તેમાં વિધાયક પ્રવૃત્તિ બાજુ પણ ઉમેરાઈ. ચિત્તમાંથી રાગદ્રૂષ દૂર કર્યો પછી પણ જો તેમાં પ્રેમ જેવા ભાવાત્મક તત્ત્વને સ્થાન ન મળે તે તે ખાલી પડેલું ચિત્ત પાછું રાગદ્વેષનાં વાળાથી ઘેરાઈ જવાનું, એમ સિદ્ધ થયું. તે જ રીતે માત્ર મૈથુનવિરમણમાં બ્રહ્મચર્ય પૂર્ણ અર્થ ન મનાતાં તેને અર્થ વિસ્તર્યો અને એમ સિદ્ધ થયું કે બ્રહ્મમાં એટલે કે સર્વ ભૂતોમાં પાતાને અને પેતામાં સર્વ ભૂતોને માની આત્મૌપશ્નમૂલક પ્રવૃત્તિ કરવામાં રચ્યાપચ્યા રહેવું તે જ ખરું બ્રહ્મચર્ય. આ અર્થમાંથી મૈત્રી, કરુણા વગેરે ભાવનાઓના અર્થ પણ શ્રી. 'પૂર્ણાનંદજી તેમના છેલ્લા પુસ્તક ચિ૬િલાસમાં કરે છે તેમ વિસ્તર્યો અને તે બ્રહ્મવિહાર ગણાઈ. એ તે આવા ભાવાત્મક બ્રહ્મચર્યનું અંગ બની રહ્યું r મૈથુનવિરમણ્ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249275
Book TitleGandhijino Jivan Dharm
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages10
LanguageGujarati
ClassificationArticle & Biography
File Size177 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy