SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન [ ૧૧૬૭ પછી મેં તેને કહ્યું: “આ શરીર વેદી છે, આત્મા યજમાન છે, તપ અગ્નિ છે, જ્ઞાન વત છે, કર્મ સમિધ છે, ક્રોધાદિક પશુઓ છે, સત્ય ધૂપ છે, દયા દક્ષિણ છે અને જ્ઞાન, દર્શન, ચારિત્ર એ ત્રણે રત્નો તે ત્રણ દેવ (બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર) છે. આ વેદોક્ત યજ્ઞ મુક્તિનું સાધન છે. જેઓ ફર થઈ બકરાં વગેરેને મારી યજ્ઞ કરે છે. તેઓ નરકયાતના ભોગવે છે. માટે હે સજન ! આ પાપ છોડ. જે હિંસાથી સ્વર્ગ મળે તે આખું જગત સ્વર્ગ પામે.” મારા આ કથનથી બ્રાહ્મણે ચિઢાયા અને મને માર્યો. હે રાવણ! હું ભાગી તમારે શરણે આવ્યો છું. તમે હવે એ પશુઓને બચાવો.” નારદના આ કથનથી એ ઘટના જેવા રાવણ વિમાનમાંથી ઊતરી યજ્ઞસ્થળમાં આવ્યું. તેણે મતને હિંસાયજ્ઞ કરતા રોક્યો અને નારદને “આવા હિંસાત્મક યજ્ઞ ક્યારથી પ્રવર્યાં હશે ? એમ પૂછ્યું. નારદે રાવણને કહ્યું, “ચેદિ દેશના એક નગરમાં પીર કબક નામના ગુરુને ત્યાં તેઓને પુત્ર પર્વત, હું અને રાજપુત્ર વસુ એમ ત્રણે ભણતા. અમારા ત્રણમાંથી કોઈ બે નરકગામી એવું જ્ઞાનીનું વચન સાંભળવાથી ક્યા બે નરકગામી એની ખાતરી કરવા ગુએ યુક્તિ રચી. લોટના ટૂકડા બનાવી અમને ત્રણને આપ્યા ને કઈ ન દેખે ત્યાં મારવા કહ્યું. પર્વત અને વસુએ એકાંતમાં જઈ કૂકડા મારી નાખ્યા, પણ મને વિચાર આવ્યો કે જ્યાં બીજું કોઈ નથી દેખતું ત્યાં પણ હું તે જોઉં જ છું અને જ્ઞાની તો સર્વત્ર જુએ છે, માટે ગુરુની આવી આશામાં કાંઈક રહસ્ય હોવું જોઈએ, એવા વિચારથી તે કૂકડે મેં ગુરુને પાછો સોંપ્યો. તેઓ મારા ઉપર પ્રસન્ન થયા, પણ પર્વત અને વસુ ઉપર નારાજ થયા. કુકડાને મારનાર એ બંનેના ભાવી નરકગામીપણાની ચિંતાથી દુઃખિત થઈ ગુએ દીક્ષા લીધી અને ગુપુત્ર પર્વત શાસ્ત્ર ભણાવવા લાગ્યું. હું મારે સ્થાને ગયે ને વસુ રાજ્ય કરવા લાગ્યો. સ્ફટિકની અદશ્ય શિલા ઉપર આસન મૂકી વસુ બેસ ને સત્યને પ્રભાવે આસન ઊંચું રહ્યાની વાત ફેલાવતે. એક વાર ગુસપુત્ર પર્વતને ત્યાં હું જઈ ચઢયો. તેણે શિષ્યને ભણાવતાં ચક એ વાક્યને અર્થ કર્યો કે બકરાઓ વડે યજ્ઞ કરો. આ અર્થ સાંભળી મેં તેને ગુરુકથિત અર્થથી વિરુદ્ધ અર્થ કરવા બદલ ઠપકો આપે. મેં કહ્યું ગુરુ તો એ જ શબ્દને (ત્રણ વર્ષના જૂના ન ઊગે એવા જવ) એ અર્થ કરતા અને તું બકરા એ અર્થ કેમ કરે છે?” પર્વતે મારું કથન ન સ્વીકાર્યું ને સહાધ્યાયી વસુ પાસે નિર્ણય કરાવવા તત્પર થયે. અમે બંને વસુ પાસે નિર્ણય અર્થે ગયા. પણ ગુરુપત્ની પર્વતની માતાના દબાણથી વસુએ પર્વતના પક્ષમાં ચુકાદો આપતાં અજ શબ્દને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249271
Book TitleSampradayikta ane Tena Puravanu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages90
LanguageGujarati
ClassificationArticle & Society
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy