SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ નિગેટ જાતિના જીવસમૂહ વિષયક પ્રશ્નોત્તર [ ૧૦૬૯ વૃદ્ધિની સાથે કાષાયિક માત્રા વધે તો પણ તે જ જ્ઞાન અને વીર્ય દ્વારા ઉપગપૂર્વક તે જ કાષાયિક માત્રા ન્યૂન કરવાનો અને તેને અત્યંત નિર્મલ કરવાનો સંભવ સંસી માં છે અને આ પ્રકારને જે સંભવ તે જ વિકાસ છે. તેથી એકેન્દ્રિય જીવોમાં વિકાસનો પ્રશ્ન જ નથી. વિકાસનો આરંભ જ્ઞાન અને વીર્યની વૃદ્ધિની સાથે હોય છે, અને આ વૃદ્ધિ ભાવિક વિકાસની સહચારિણી હેય તો પણ તેવી અવસ્થામાં કોઈ ને કોઈ વખત પણ સ્વાભાવિક વિકાસને સંભવ છે. ૨. પ્રશ્ન: અવ્યવહાર-રાશિના નિગદ જીવોને તીવ્ર કવાયનો ઉદય અનાદિ કાળથી આજ સુધી અસંભવ હોવા છતાં તેઓએ નિગોદમાં ઈ જ્ઞાન તેમ જ વીર્યની આત્યંતિક અભાવગ્રસ્ત અવસ્થા કેવી રીતે પ્રાપ્ત કરી? જે તેને ઉત્તર એ જ હોય કે અનાદિ કાળથી તે છે એ જ સ્થિતિમાં છે તે તે મારી ક્ષક બુદ્ધિને ઠીક લાગતું નથી, કારણ કે કર્મ તો સ્વકૃત જ છે. જીવરાશિની હીનતમ અવસ્થામાં જવાને અને રહેવાને માટે જ્ઞાનાવરણીય અને વીર્યાન્તરાય કર્મને જેટલે રસ અને સ્થિતિને બંધ કરવાની જરૂર છે તેટલો બંધ કરવાનો અવસર તે જીવોને અત્યાર લગી પ્રાપ્ત થયે નથી, કેમ કે તે જે હજી સુધી વ્યવહાર–રાશિમાં આવ્યા જ નથી. જ્યારે તે જીવને અવ્યવહાર–રાશિનું નામ આપ્યું છે ત્યારે આટલું તે માની લીધેલું જ છે કે તે એ સંજ્ઞી જીવોના ભવને પ્રાપ્ત કર્યો નથી. તે પછી આવાં ચીકણાં કર્મ તે એ કયારે બાંધ્યાં ? જે એમ કહેવામાં આવ્યું હતું કે નિગોદમાં જતાં પહેલાં તે છએ અન્યા ભવમાં ઘોર ચીકણું કર્મને બંધ કરી લીધેલું, જેથી નિગોદમાં હીનતમરૂપે રહેવું પડે છે, તે તે કહેવું ઠીક ગણાત. પરંતુ જ્યારે આપણે કહીએ છીએ કે અનાદિ કાળથી તે જીવો નિગોદમાં જ છે તે પ્રશ્ન એ ઉભવે છે કે તેમણે એ ગાઢ ચીકણું કર્મને ક્યારે બંધ કર્યો? જે તેને અવ્યવહાર-રાશિની સંજ્ઞા ન હોત તે એમ પણ કહી શકાત કે તેઓએ અનાદિ કાળમાં કોઈ ને કઈ વખતે તીન કષાયના ઉદયને લઈને ચીકણાં કમેને બંધ કર્યો હશે; પરન્તા જ્યારે તેમને અવ્યવહાર–રાશિ જ કહ્યા છે – અનાદિકાળથી વર્તમાન કાળ, સુધી તેઓ વ્યવહાર–રાશિમાં આવ્યા જ નથી ત્યારે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે તેઓએ એવાં કમને બંધ ક્યારે કર્યો? આટલી આત્મિક અશુદ્ધિ ક્યાંથી આવી ? શું કઈ સૃષ્ટિકર્તાએ શેર કર્મ સહિત છને ઉત્પન્ન કરી નિગેદમાં, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249267
Book TitleNigod Jatina Jivasumaha Vishayaka Prashnottaro
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages7
LanguageGujarati
ClassificationArticle & Nine Tattvas
File Size132 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy