________________ 1064 ] દર્શન અને ચિંતન સાતથી વધારે ભેગો સંભવતા નથી, માટે જ સાતની સંખ્યા કેહ્મી છે. મૂળ ત્રષ્ટ્રની વિવિધ સંજના કરે અને સાતમાં અંતર્ભાવ ન પામે એવે ભંગ ઉપજાવી શકે તે જૈન દર્શન સપ્તભંગિને આગ્રહ કરી જ ન શકે. આને ટૂંકમાં સાર નીચે પ્રમાણે - 1. તત્કાલીન ચાલતા વિરોધી વાદનું સમીકરણ કરવું. એ ભાવના સખંભગીની પ્રેરક છે. 2. તેમ કરી વસ્તુના સ્વરૂપની ચોકસાઈ કરવી અને યથાર્થ જ્ઞાન મેળવવું, એ એનું સાધ્ય છે. 3. બુદ્ધિમાં ભાસતા કઈ પણ ધર્મ પરવે મૂળમાં ત્રણ જ વિકલ્પો સંભવે છે અને ગમે તેટલા શાબ્દિક પરિવર્તનથી સંખ્યા વધારીએ તો સાત જ થઈ શકે. 4. જેટલા ધર્મે તેટલી જ સપ્તભંગી છે. આ વાદ અનેકાંતદષ્ટિને વિચારવિષયક એક પુરાવે છે. આના દાખલાઓ, જે શબ્દ, આત્મા વગેરે આપ્યા છે, તેનું કારણ એ છે કે પ્રાચીન આર્ય વિચારકે આત્માને વિચાર કરતા અને બહુ તો આગમ–પ્રામાણ્યની ચર્ચામાં શબ્દને લેતા. 5. વૈદિક આદિ દર્શનમાં, ખાસ કરી વલ્લભદર્શનમાં, “સર્વધર્મ સમન્વય” છે, તે આનું જ એક રૂપ છે. શંકર પિોતે વસ્તુને વર્ણવે છે, છતાં અનિર્વચનીય કહે છે. 6. પ્રમાણથી બાધિત ન હોય એવું બધું જ સંવરી લેવાનો આની પાછળ ઉદ્દેશ છે—પછી ભલે તે વિશ્વ મનાતું હાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org