SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ માંગી ૧૦૩૩ ભંગીની દૃષ્ટિ પહેલવહેલી જાય છે. તે નક્કી કરે છે કે આત્મા નિત્ય છે, પણું 'સવ' દૃષ્ટિએ નહિ; માત્ર મૂળ તત્ત્વની દૃષ્ટિએ તે નિત્ય છે, કારણ કે કારે. પણ તે તત્ત્વ ન હતું અને પછી ઉત્પન્ન થયું એમ નથી, તેમ જ ભારેક એ તત્ત્વ મૂળમાંથી જ નાશ પામશે એમ પણ નથી. તેથી તત્ત્વપે એ અનાદિનિધન છે અને તે જ તેનું નિયત્વ છે. આમ છતાં તે અનિત્ય પણ છે, પરંતુ એનુ ં અનિત્યત્વ તત્ત્વદષ્ટિએ ન હોતાં માત્ર અવસ્થાની દષ્ટિએ છે. અવસ્થાએ તા પ્રતિસમયે નિમિત્તાનુસાર બદલાતી જ રહે છે. જેમાં કાંઈ ને કાંઈ રૂપાંતર થતુ ન હેાય, જેમાં આંતરિક કે બાહ્ય નિમિત્ત પ્રમાણે સૂક્ષમ કે સ્થૂળ અવસ્થાભેદ સતત ચાલુ ન હોય એવા તત્ત્વની કલ્પના જ નથી થઈ શકતી. તેથી અવસ્થાભેદ માનવા પડે છે અને એ જ અનિત્ય છે. આ રીતે આત્મા તત્ત્વરૂપે (સામાન્યરૂપે) નિત્ય છતાં, અવસ્થારૂપે (વિશેષરૂપે) અનિત્ય પણ છે. નિયત અને અનિત્યત્વ બન્ને એક જ સ્વરૂપે એક વસ્તુમાં માનતાં વિરાધ આવે; જેમ કે, તસ્વરૂપે જ આત્મા નિત્ય છે એમ માનનાર તે જ રૂપે અનિત્ય પણ માને તો. એ જ પ્રમાણે આત્મા નિત્ય નિત્ય આદિ રાખ્ત દ્વારા તે તે રૂપે પ્રતિપાદ્ય હ્તાં સમગ્રરૂપે કાઈ પણ એક શબ્દથી કહી શકાય નહિ, માટે તે સમગ્રપે શબ્દનો વિષય થાય છે; છતાં સમગ્રરૂપે એવા કાઈ શબ્દને વિષય નથી થઈ શકતે, માટે અવક્તવ્ય પણ છે. આ રીતે એક નિત્યત્વ ધર્મને અવલખી આત્માના વિષયમાં નિત્ય, અનિત્ય અને અવક્તવ્ય એવા ત્રણ પક્ષા—ભગા વાજબી ઠરે છે. એ જ પ્રમાણે એકત્વ, સત્ત્વ, ભિન્નત્વ, અભિલાપ્યત્વ આદિ સર્વસાધારણ ધર્માં લઈ કાઈ પણ વસ્તુ વિશે એવા ત્રણ ભગે અને, અને તે ઉપરથી સાત ને. ચેતનત્વ, ધત્વ આદિ અસાધારણ ધર્માંને લઈને પણ સપ્તભંગી લટાવી શકાય. એક વસ્તુમાં વ્યાપક કે અવ્યાપક જેટજેટલા ધર્માં હાય તે દરેકને લઈ તેની બીજી બાજી વિચારી સપ્તભંગ ઘટાવી શકાય. પ્રાચીન કાળમાં આત્મા, શબ્દ આદિ પાર્થોમાં નિયત-અનિયત્વ, સત્ત્વ-અસત્ત્વ, એકત્વ-બહુ, વ્યાપકત્વ-અવ્યાપકત્વ આદિની બાબતમાં પરસ્પર તદ્દન વિરાધી વાઘે ચાલતા. એ વાદાના સમન્વય કરવાની વૃત્તિમાંથી ભગકપના આવી. એ ભગ૫નાએ પણ પાછું સાંપ્રદાયિકવાનુ રૂપ ધારણ કર્યું અને સપ્તભ’ગીમાં પરિણમન થયું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249266
Book TitleSaptabhangi
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages3
LanguageGujarati
ClassificationArticle & Anekantvad
File Size59 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy