SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪૦ ] દર્શન અને ચિંતન પક્ષ ચિત્તવ્યાપારના અનુભવ ઉપર અવલખેલા છે. તે કહે છે કે દરેક જ્ઞાનના પ્રામાણ્યમાં કઈ સદેહ થતા નથી. જ્યાં સદેહ ન થાય ત્યાં સ્વગ્રાહ્ય છે જ, તેથી અનવસ્થાને અવકાશ નથી; પણ એક જગ્યાએ સદેહ ન થવાથી. સ્વતામ્રાજ્ઞ માનીએ એટલે તે પ્રમાણે જ્યાં સસ્નેહ થતો હોય ત્યાં પણ વતા ગ્રાહ્ય માની લેવું એ અનુભવવિરુદ્ધ છે. જે વિષય જાણવાના બહુ પરિચય નથી હાતા તેનું જ્ઞાન થતાંવેંત તેના પ્રામાણ્યની બાબતમાં જરૂર સંદેહ થાય છે. તેથી માનવું જોઈ એ કે તેવા સ્થળમાં પ્રામાણ્ય સ્વાગ્રા; નથી. જ્ઞાન ઃ આ વિષયની ચર્ચાનેા વિકાસ થતાં સ્વતઃ--પરતઃની ચર્ચા પ્રામાણ્ય માંથી આગળ વધી કેવલજ્ઞાનમાં ઊતરી. સ્વતઃવાદીઓમાં ત્રણ પક્ષ પડવા. એક એમ માનતા કે જ્ઞાન સ્વપ્રકારા હાઈ પેાતે જ પોતાને જાણે છે. આ પક્ષ ગુરુ ( પ્રભાકર ) તે છે. બીજો પક્ષ ભટ્ટ (કુમારેિલ )ના છે. તે એમ માનવે કે જ્ઞાન સ્વપ્રકાશ તા નથી, પણ પરપ્રકાશ્ય એટલે અન્ય જ્ઞાન દ્વારા પ્રત્યક્ષ કરવાયાગ્ય પણ નથી, માત્ર પરાક્ષ હાઈ અનુમતિ દ્વારા જાણી શકાય છે. ત્રીજો પક્ષ મુરારિ મિશ્રને છે. તે નૈયાયિકાની પેઠે એમ માનતો કે જ્ઞાનનું પ્રત્યક્ષ થાય છે, પણ તે સ્વપ્રકાશ નથી. પશ્ચાદ્શાવી અનુવ્યવસાયજ્ઞાન દ્વારા પૂર્વ જ્ઞાનનું પ્રત્યક્ષ થાય છે, આ ત્રણે પક્ષો જોકે દાનના સ્વરૂપમાં એકમત નથી, છતાં તે મીમાંસક હાઈ સ્વતઃપ્રામાણ્ય પક્ષને વળગી રહી પોતપોતાની જ્ઞાનસ્વરૂપતી કલ્પનામાં પણ સ્વતઃપ્રામાણને ઘટાવી લે છે; અને તેથી એમ કહેવું જોઈ એ કે આ ત્રણ પક્ષ પ્રમાણે જ્ઞાન યા તે સ્વારા ગૃહીત થાય યા અનુમિતિ દ્વારા યા અનુવ્યવસાય દ્વારા, પણ જ્યારે તે જ્ઞાન ગૃહીત થાય ત્યારે તેનું પ્રામાણ્ય પણ તેની સાથે જ ગૃહીત થઈ જાય છે. કા : કાર્યના વિષયમાં બન્ને પક્ષને આશય જણાવ્યા પહેલાં પ્રામાણ્ય અને તેનું કાર્યાં એ બે વચ્ચે શું અન્તર છે તે જાણવું જોઈએ. પ્રામાણ્ય એટલે વિષયને વાસ્તવિક રૂપમાં ગ્રહણ કરવાની જ્ઞાનની શક્તિ, અને કા એટલે એ શક્તિ દ્વારા પ્રકટતા વિષયનો યથા ભાસ. આ કાર્યને ઘણીવાર પ્રમાણનું કાર્ય પણ કહેવામાં આવે છે. કાર્યના વિષયમાં સ્વતઃવાદી કહે છે કે પોતાની સામગ્રી ઉપરથી પ્રમાણુ ઉત્પન્ન થયું કે લાગલું જ કાઈની આપેક્ષા રાખ્યા સિવાય તે પેાતાનું પૂર્વોક્ત કાય કરે છે. આમ માનવામાં તેઓ એવી ન્સીલ આપે છે કે જો પોતાનુ કાર્ય કરવામાં પ્રમાણુને કારણગુણાનું જ્ઞાન અગર સવાતી અપેક્ષા રાખવી પડે તે જરૂર અનવસ્થા થઈ જાય. ત્યારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249263
Book TitlePramanya Swata ke Parat
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages10
LanguageGujarati
ClassificationArticle & Logic
File Size183 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy