________________
પ્રામાણ્ય સ્વતકે પરત
[ ૧૦૩૫ વિષય અને સાહિત્યને કમિક વિકાસ
પહેલાં તે ઉપરની કલ્પના વેદ અને તેને લીધે મુખ્યપણે શબ્દ-પ્રમાણ ના પ્રદેશમાં હતી, પણ ધીરે ધીરે વેદ–નિયત્વવાદીએ સમગ્ર પ્રમાણમાં તે કલ્પના લંબાવી અને કહ્યું કે પ્રત્યક્ષ, અનુમિતિ કે અન્ય કોઈ પણ જાતનું જ્ઞાન હોય તે દરેક સ્વભાવથી યથાર્થ હેય છે. જે આગંતુક દોષ ન હોય તે તેમાં અપ્રામાણ્ય આવતું જ નથી. અનિત્યસ્વાદીએ પણ પિતાની કલ્પનાને લંબાવી કહ્યું કે શાબ્દિક જ્ઞાન હોય કે અન્ય જ્ઞાન, દરેકમાં પ્રાભણ્ય કાંઈ સ્વાભાવિક નથી, તે તે ફક્ત કારણના ગુણથી આવે છે જેવી રીતે કારણુના દોષથી અપ્રામાણ્ય. આ રીતે શબ્દ-પ્રમાણમાં જન્મેલી સ્વતઃ–પરતની કલ્પના સમગ્ર પ્રમાણુના પ્રદેશમાં ફેલાઈ તેવી જ રીતે પહેલાં સ્વતઃ–પરતની વામિ મુખ્યભાગે પ્રામાણ્યની ઉત્પત્તિ હતી; તેને ધીરે ધીરે વિકાસ થતાં પ્રામાણ્યની જ્ઞપ્ત અને તેનાં કાર્યો સુધી તે વિસ્તરી. તેથી અત્યારે સ્વતઃ–પરત ની ચર્ચા પ્રામાણ્યની ઉત્પત્તિ, જ્ઞપ્તિ અને કાર્યના વિષયમાં જોઈએ છીએ.
જેમ જેમ ચર્ચાના વિષયની સીમા વધતી ચાલી અને તેની વિશદતા. પણ થતી ચાલી તેમ તેમ તેનું સાહિત્ય પણ વિકસ્યું. આપણે જોઈએ છીએ કે ઉપનિષદ્ગા પ્રાચીન જમાનામાં સ્વતઃ–પરત ની ચર્ચાના શબ્દનું નિત્યત્વઅનિયત્વ” જેવા કેટલાક અંશે માત્ર છૂટાછવ્વાયા નિરુક્ત જેવા ગ્રન્થમાં અસ્પષ્ટ રૂપમાં મળે છે. ક્રમે તેને વિકાસ થતા ચાલ્ય, પણ છેક ચેથી-પાંચમી શતાબ્દી સુધીમાં એ ચર્ચાનું સાહિત્ય બહુ નહોતું વધ્યું. સ્વત: પક્ષમાં રાબર
સ્વામીનું શાબરભાષ્ય અને પરત પક્ષમાં બૌદ્ધાચાર્ય દિદ્ભાગના, જૈનાચાર્ય સિદ્ધસેનના તથા સમંતભવના ગ્રન્થ–એટલું જ સાહિત્ય ત્યારસુધીમાં આ વિષયને લગતું મુખ્યપણે કહી શકાય, પણ કુમારિલના બ્લેકવાર્તિકમાં સ્વતઃ– પક્ષની ખૂબ ચર્ચા થતાં જ બૌદ્ધ, જૈન અને નૈયાયિકે તેની વિરુદ્ધ ઊતરી પડ્યા. શાંતરક્ષિતકૃત તત્વસંગ્રહ અને નાલંદા વિદ્યાપીઠના તત્રના અધ્યાપક કમલશીલની (આશરે ઈ. સ. ૭૫૦) તે ઉપરની ટીકા સિવાય આજે સંસ્કૃત બૌદ્ધ ગ્રન્થ આપણી સામેન હેવાથી તે વિશે મૌન જ ઠીક છે. પણ જૈન વિદ્વાન વિદ્યાનંદ પિતાની અષ્ટસહસ્ત્રી, બ્લેકવાર્તિક આદિ કૃતિઓમાં તથા પ્રભાચજે પોતાની. પ્રમેયકમલમાર્તક, ન્યાયકુમુદચંદ્રોદય આદિ કૃતિઓમાં તે વિશે જરાયે કંટાળ્યા સિવાય ખૂબ લખેલું આપણી સામે છે. આવી ચર્ચામાં તૈયાયિકે તો કુશળ હેય જ, એટલે તેઓનું સાહિત્ય પણ તે વિશે ઊભરાવા લાગ્યું. દશમા સૈકા. દરમ્યાન અભયદેવે સન્મતિત ઉપરની પિતાની ટીકામાં સ્વતઃ–પરતઃ પ્રામાણ્યની.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org