SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૧૪ ] દર્શન અને ચિંતન વધારે ને વધારે નિર્બળ કરતે પિતાની સહજ સ્થિતિ તરફ આગળ વધતા જાય છે. આ સ્થિતિ આધ્યાત્મિક વિકાસક્રમની છે. લા. આ સ્થિતિની છેવટની મર્યાદા એ જ વિકાસની પૂર્ણતા. આ પૂર્ણતા પ્રાપ્ત થઈ એટલે સંસારથી પર સ્થિતિ પ્રાપ્ત થઈ. તેમાં કેવળ સ્વાભાવિક આનંદનું જ સામ્રાજ્ય હાય છે. આ મેક્ષકાળ. આટલે સામાન્ય વિચાર કર્યા પછી હવે તે સંબંધમાં પ્રત્યેક દર્શનના વિચારે ક્રમશઃ જોઈએ. વૈદિક દર્શન ઉપનિષદ અને અન્ય ગ્રંથમાં આધ્યાત્મિક વિચારની પ્રધાનતા હોવાથી તેમાં વિકાસકમને લગતા કિારે મળી આવે એ સ્વાભાવિક છે. છતાં વૈદિક સાહિત્યમાં ગદર્શન ઉભાઇ વ્યાસભાષ્ય અને યોગવાસિષ એ બે થે એવા છે જેમાં આધ્યાત્મિક વિકાસક્રમ વ્યવસ્થિત રીતે સાંગોપાંગ આલેખાથેલે છે, જ્યારે અન્ય ગ્રંથોમાં તેટલો પૂર્ણ રીતે નથી. તેથી એ બે માંથી જ વૈદિક દર્શનની તે સંબંધી માન્યતા અત્રે જણાવીશું. ગદર્શનમાં મહર્ષિ પતંજલિએ મોક્ષના સાધનરૂપે વેગનું વર્ણન કરેલ છે. વેગ એટલે આધ્યાત્મિક વિકાસક્રમની ભૂમિકાઓ. જે ભૂમિકામાં વેગને આરંભ થાય છે, તે ભૂમિકાથી માંડી અને તે યોગ ક્રમશઃ પુષ્ટ થતાં થતાં જે ભૂમિકામાં પૂર્ણ કક્ષાએ પહોંચે છે ત્યાં સુધીની ચિત્તની ભૂમિકા આધ્યાત્મિક વિકાસક્રમમાં આવી જાય છે. યોગને આરંભ થયા પહેલાંની ભૂમિકાઓ એ આધ્યાત્મિક અવિકાસની ભૂમિકાઓ છે. આ પ્રકારના સૂત્રકારના અભિપ્રાયને સ્પષ્ટ કરવા માટે ભાષ્યકાર મહર્ષિ વ્યાસે ચિત્તની પાંચ ભૂમિકાઓ બતાવી છે(૧) લિય, (૨) મૂઢ, (૩) વિક્ષિપ્ત, (૪) એકા, અને (૫) નિદ્ધ. આ પાંચમાં પહેલી બે એટલે ક્ષિત અને મૂઢ ભૂમિકાઓ અવિકાસ સૂચક છે. ત્રીજી વિક્ષિણ ભૂમિકા એ અવિકાસ અને વિકાસનું સમેલન છે, પણ તેમાં વિકાસ કરતાં અવિકાસનું બળ ઘણું વધારે છે. જેથી એકાગ્ર ભૂમિકામાં વિકાસનું બળ વધે છે, અને તે સવિશેષ વધતાં ૧ (1) ચિત્ત હમેશાં ગુણની બહુલતાથી અનેક વિષયમાં પ્રેરાતું હોવાથી અત્યન્ત અસ્થિર હોય છે, તે ક્ષિત, (૨) જે ચિત્ત તમે ગુણના પ્રાબલ્યથી નિદ્રાવૃત્તિવાળું બને તે મૂઢ. (૩) જે ચિત્ત અસ્થિરતા વિશેષ હોવા છતાં ક્યારેક ક્યારેક પ્રશસ્ત વિષયોમાં સ્થિતા અનુભવે તે વિક્ષિપ્ત, (૪) જે ચિત્ત એકતાન-સ્થિર બની જાય તે એકાગ્ર. (૫) જે ચિત્તમાં તમામ વૃત્તિઓને નિરાધ થઈ ગયા હોય અને માત્ર સંસ્કાર જ બાકી રહ્યા હોય તે નિરુદ્ધ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249261
Book TitleBharatiya Darshanma Adhyatmik Vikaskram
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages12
LanguageGujarati
ClassificationArticle & Spiritual
File Size246 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy