________________
૧૦૧૨ ]
દર્શન અને ચિંતન પ્રાચીન કાળમાં શ્રમણપંથની બીજી અનેક શાખાઓ હતી, પણ આજે તે શાખાઓનાં સ્વતંત્ર સાહિત્ય કે સંપ્રદાય કાંઈ પણ શેષ નથી. શ્રમણપંથની અનેક પ્રાચીન શાખાઓનાં છૂટાંછવાયાં નામ અથવા અસ્તવ્યસ્ત મંતવ્ય વર્તમાન સંપ્રદાયના સાહિત્યમાં મળી આવે છે. તેમાં આછવક સંપ્રદાયનું નામ ખાસ બેંધવા જેવું છે, કારણ કે તેનાં અન્ય મંતવ્યો સાથે આધ્યાત્મિક ઉ&ાતિના કમને લગતા કેટલાક વિચારો બૌદ્ધ સાહિત્યમાંથી મળી આવે છે. બાહ્મણપંથ અને શ્રમણપથની અનેક ભિન્નતાઓમાંની એક ભિન્નતા એ છે કે જ્યારે બ્રાહ્મણપથનું સાહિત્ય મુખ્યપણે સંસ્કૃત ભાષાનું ગૌરવ વધારે છે, ત્યારે શ્રમણપયનું સાહિત્ય મુખ્યપણે પ્રાકૃત ભાષાનું ગૌરવ વધારે છે. આ કારણથી અને અન્ય કારણથી આધ્યાત્મિક ઉત્ક્રાન્તિના ક્રમને લગતા તે બંને પશેના વિચારમાં ભાષા, પરિભાષાનો અને પ્રતિપાદન પદ્ધતિને ભેદ હોય તે સ્વાભાવિક છે, છત કંમ્ દષ્ટિએ નિમજ્જન કરનારને તે વિચારેનું ઐક્ય સમજાયા સિવાય ૨. નહિ.
આધ્યાત્મિક ઉત્ક્રાન્તિના ક્રમને વિચાર આવતાં જ તેની સાથે તેનાં આરંભને અને સમાપ્તિને વિચાર આવે છે. તેને આરંભ એ તેની પૂર્વ સીમા અને તેની સમાપ્તિ એ તેની ઉત્તર સીમા, પૂર્વ સીમાથી ઉત્તર સીમા સુધી વિકાસને વૃદ્ધિઝમ એ જ આધ્યાત્મિક ઉત્ક્રાંતિક્રમની મર્યાદા. તેના પહેલાંની સ્થિતિ એ આધ્યાત્મિક અવિકાસ અથવા પ્રાથમિક સંસારદશા અને તેના પછીની સ્થિતિ એ મોક્ષ અથવા આધ્યાત્મિક વિકાસની પૂર્ણતા. આ રીતે કાળની દૃષ્ટિએ સંક્ષેપમાં આત્માની અવસ્થા ત્રણ ભાગમાં વહેંચાઈ જાય છે ? (અ) આધ્યાત્મિક અવિકાસ, (૪) આધ્યાત્મિક વિકાસમ, (૪) મોક્ષ
એઆત્મા સ્થાયી સુખ અને પૂર્ણજ્ઞાન માટે તલસે છે, તેમ જ તે દુઃખ કે અજ્ઞાનને જરાયે પસંદ કરતો નથી. છતાં તે દુઃખ અને અજ્ઞાનના વમળમાં ગેથી ખાય છે, તેનું શું કારણ? આ એક ગૂઢ પ્રશ્ન છે, પણ તેને ઉત્તર તત્ત્વોને સ્કૂલે છે. તે એ છે કે “સુખ અને જ્ઞાન મેળવવાની સ્વાભાવિક વૃત્તિથી આત્માનું પૂર્ણાનંદ અને પૂર્ણજ્ઞાનમય સ્વરૂપ સાબિત થાય છે, કારણ કે તે જ્યાં સુધી પૂર્ણાનંદ અને પૂર્ણજ્ઞાન ન મેળવે ત્યાં સુધી સતિષ પામી શકતો નથી, છતાં તેના ઉપર અજ્ઞાન અને રાગદેષના એવા પ્રબળ સંસ્કારે છે કે જેને લીધે તે ખરા સુખનું ભાન કરી શકતા નથી, અગર કાંઈક ભાન થયું તો પણ તે ખરા સુખની પ્રાપ્તિ માટે પ્રવૃત્તિ કરી શકતા
૧, જુઓ દીપનિકાય, બ્રહ્મજાલસુત્ત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org