________________
સર્વાંગીણુ શોધન અને સમાલોચના
[ ૮૧૭
અને થાડું અધૂરું પણ છે. તેમણે અંગ્રેજીમાં પણ અનેક ગ્રંથેનાં ભાષાંતર અને સપાદન ક્યો અને રાજયોગ જેવા સ્વતંત્ર ગ્રંથ પણ લખ્યા. મણિલાલની આ કામગીરીનું નિન નિમધમાં વિગતે છે અને જિજ્ઞાસુને પ્રેરણા પણ આપે છે.
મણિલાલે અંગ્રેજીમાં લખાયેલ કેટલાંક પુસ્તકા ઉપરથી માતાની એ તે તે વિષ્યમાં ગુજરાતીમાં સ્વતંત્ર પુસ્તકા પણ લખ્યાં છે અને તર્કશાસ્ત્ર તેમ જ માનસશાસ્ત્રની પેાતાના દાર્શનિક જ્ઞાનને આધારે નવી પરિભાષાઓ પણ યોજી છે. આ દૃષ્ટિએ તેમના ન્યાયશાસ્ત્ર ' અને ચૈતનશાસ્ર 'એ ગ્રંથા ઘણા ઉપયાગી છે.
"
મણિલાલ સમય ગદ્યસ્વામી તરીકે ઓળખીતા તે છે જ, પણ તેમની ગદ્યશૈલીની ગુણવત્તા વિશે કાઈ એ અદ્યાપિ વિગતે ચર્ચા-સમાલોચના નથી કરી, જે આ નિબધમાં પહેલી જ વાર જોવા મળે છે. આ ચર્ચા કરતાં લેખકે ગાવધનરામ, નરસિંહરાવ અને પ્રકારની ગદ્યશૈલીની વેગવત્તા કરતાં મણિલાલની વેગવત્તા કેવી ચડિયાતી છે એ તટસ્થભાવે નિરૂપ્યુ છે. મુનશીજીની વેગવત્તા સાથે પણ મણિલાલની વેગવત્તાની તુલના કરવામાં આવી છે અને લેખકે બતાવ્યું છે કે મણિલાલની બેગવત્તામાં જે ઊંડાણ અને પર્યેષતા છે, તે મુનશીજીના લખાણમાં વેગ છતાં નથી દેખાતાં.
મણિલાલની સદેશીય વિદ્યાવિહાર કરવાની શક્તિએ તેમને લખાણમાં પ્રયોજવાની ભાષા વિશે પણ લખવા પ્રેર્યાં છે. તેમણે બહુ જ યથાર્થ રીતે લેખકાના ચાર વર્ગ પાડી તેનાં, સમકાલીન જીવિત લેખમાંથી, ઉદાહરણ પણ આપ્યાં છે, અને પેાતાને આદરણીય હાય ઍવી મનસુખરામ જેવી વ્યક્તિની લેખનભાષા વિશે પણ નિર્ભય ટીકા કરી છે, જ્યારે પોતાના પ્રતિપક્ષી મનાતા રમણભાઈ જેવાની લેખનશૈલીને યથા પક્ષમાં મૂકી આવકારી છે (જુએ પૃ. ૩૦૧-૩૦૩).
મણિલાલ ચિંતક હાવા ઉપરાંત કવિ પણ હતા. તેમણે પોતાનું કવિકમ જુદી જુદી રીતે અજમાવ્યું છે, તેમણે ગેય ઢાળેામાં ભજનો લખ્યાં છે, તે ગઝલરૂપે ફારસી શૈલીનાં કાવ્યો પણ રચ્યાં છે. વળી તેમણે ચેડાંક વૃત્તબદ્ધ પદ્યો પણ આપ્યાં છે.
પ્રસ્તુત નિબંધ તૈયાર કરવા માટે છાપાં અને સુલભ--દુભ સેકડા પુસ્તકાના ત। લેખકે યથાસ્થાન ઉપયાગ કર્યું જ છે, પણ તેમણે નિબંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org