SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ *૪ ] દન અને થિતન એના પ્રેરક દૃષ્ટિબિન્દુમાં મહદ અંતર જણાય છે. તે તે દર્શનની ઉપર સૂચવેલી અને મીજી સિદ્ધિએ અમુક વિષયની માત્ર દલીલ દ્વારા ઉપપત્તિ કરે છે અને વિધી મંતવ્યનું તર્ક કે યુક્તિથી નિરાકરણ કરે છે. વસ્તુતઃ એવી દાર્શનિક સિદ્ધિએ મુખ્યપણે તર્ક અને યુક્તિને ખળે રચાયેલી છે, પણ એની પાછળ આત્મસાધના કે આધ્યાત્મિક પણિતિનું સમથ ખળ ભાગ્યે જ દેખાય છે, જ્યારે પ્રસ્તુત આત્મસિદ્ધિ ’ની ભાત જ જુદી છે. એમાં શ્રી. રાજદ્રે જે નિરૂપ્યુ છે તે તેમના જીવનના ઊંડાણમાંથી અનુભવપૂર્વક આવેલું હાઈ એ માત્ર તાર્કિક ઉપપત્તિ નથી, પણ આત્માનુભવની થયેલી સિદ્ધિ-પ્રતીતિ છે, એમ મને સ્પષ્ટ લાગે છે. તેથી જ તેા તેમના નિરૂપણમાં એક પણ વેણુ કડવું, આવેશપૂર્ણ, પક્ષપાતી કે વિવેક વિનાનું નથી. જીવસિદ્ધિ તે શ્રીમદ અગાઉ કેટલાય આચાર્યોએ કરેલી અને લખેલી છે, પણ તેમાં પ્રસ્તુત આત્મસિદ્ધિ'માં છે તેવું બળ ભાગ્યે જ પ્રતીત થાય છે. અલબત્ત, એમાં યુક્તિ અને દલીલો ઢગલાબંધ છે. શ્રી. રાજદ્રે આત્મસિદ્ધિ 'માં મુખ્યપણે આત્માને લગતા છ મુદ્દા ચર્ચ્યા છે : (૧) આત્માનું સ્વત ંત્ર અસ્તિત્વ, (૨) તેનું નિયત્વ-પુનર્જન્મ, (૩) કર્તૃત્વ, (૪) કફ્ળભાતૃત્વ, (૫) મેક્ષ, અને (૬) તેનો ઉપાય. આ છ મુદ્દાની ચર્ચા કરતાં તેના પ્રતિપક્ષી છ મુદ્દા ઉપર પણ ચર્ચા કરવી જ પડી છે. એ રીતે એમાં ખર મુદ્દાઓ ચર્ચાયા છે. એ ચર્ચાની ભૂમિકા એમણે એટલી બધી સખળ રીતે અને સંગત રીતે બાંધી છે, તેમ જ એના ઉપસંહાર એટલો સહજપણે અને નત્રણે છતાં નિશ્રિત વાણીથી કર્યો છે કે તે એક સુસંગત શાસ્ત્ર બની રહે છે. એની શૈલી સવાદની છેઃ શિષ્યની શકા કે પ્રશ્નો અને ગુરુએ કરેલ સમાધાન. આ સંવાદોલીને લીધે એ ગ્રંથ ભારેખમ અને જટિલ ન બનતાં, વિષય ગહન હવા છતાં, સુખાધ અને ચિપાષક બની ગયા છે. ( k Jain Education International * આચારાંગ, સૂત્રકૃતાંગ, ઉત્તરાધ્યયન અને પ્રવચનસાર, સમયસાર જેવા પ્રાકૃત પ્રથામાં જે વિચાર જુદી જુદી રીતે વીખરાયેલો દેખાય છે, ગણધર વાદમાં જે વિચાર તક શૈલીથી સ્થપાયેા છે અને આચાય હરિભદ્ર કે શેશવિજયજી જેવાએ પોતપેાતાના અધ્યાત્મવિષયક ગ્રંથેમાં જે વિચાર વધારે પુષ્ટ કર્યાં છે, તે સમગ્ર વિચાર પ્રસ્તુત · આત્મસિદ્ધિ’માં એવી રીતે સહજભાવે ગૂંથાઈ ગયા છે કે તે વાંચનારને પૂર્વાચાર્યાંના પ્રથાનુ પરિશીલન કરવામાં એક ચાવી મળી રહે છે. શંકરાચાર્યે કે તે પૂર્વના વાત્સ્યાયન, પ્રશતપાદ, વ્યાસ આદિ ભાષ્યકારાએ આત્માના અસ્તિત્વની બાબતમાં જે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249241
Book TitleShrimad Rajchandrani Atmopanishada
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages12
LanguageGujarati
ClassificationArticle & Soul
File Size225 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy