SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૫૮ ] દન અને ચિંતન તો શું વાત, એના પ્રત્યેક અશમાં શકા, દુઃખ તથા ચિન્તાના ભાવ ભરેલા હાવાને કારણે ઘડિયાળના લોલકની જેમ તે મનુષ્યના ચિત્તને અસ્થિર રાખે છે. ધા કે યુવક કે યુવતી પેાતાના પ્રેમપાત્ર પ્રત્યે સ્થૂળ મેાહને કારણે ખૂબ જ ચિત્ત રહે છે; એની પ્રત્યે કતવ્ય પાળવામાં કાઈ પણ ત્રુટિ આવવા નથી દેતાં. એમાં એને રસાનુભવ તથા સુખસવેદન પણ થાય છે. તાપણું ઝીણુવટથી પરીક્ષા કરવામાં આવે તે જણાઈ આવશે કે તે સ્થૂળ માહ જો સૌન્દર્યું કે ભાગલાલસામાંથી ઉત્પન્ન થયા હશે તો કાણ જાણે કઈ ક્ષણે તે નષ્ટ થઈ જશે, કઈ ક્ષણે તે આ થઈ જશે કે બીજા રૂપમાં ફેરવાઈ જશે. જે ક્ષણે યુવક કે યુવતીને પ્રથમના પ્રેમપાત્ર કરતાં ખીજુ કાઈ વધારે સુંદર, વધારે સમૃદ્ધ, વધારે બળવાન કે વધારે અનુકૂળ પ્રેમપાત્ર મળશે એ જ ક્ષણે એનું ચિત્ત પ્રથમના પાત્ર તરફથી ખસી જઈ બીજા તરક ઝૂકશે. એ ઝૂકવાની સાથે જ પ્રથમ પાત્રની પ્રત્યે કર્તવ્યપાલનનું ચક્ર, જે પહેલાંથી ચાલતુ હતું, તેની ગતિ તથા દિશા બદલાઇ જશે. બીજા પાત્ર પ્રત્યે પણ તે ચક્ર યેાગ્યરૂપે ચાલી નહિ શકે તથા માહના રસાનુભવ, જે કત વ્યપાલનથી સંતુષ્ટ થઈ રહ્યા હતા તે રસાનુભવ, કવ્યપાલન કરવાથી કે નહિ કરવાથી અતૃપ્ત જ રહેશે. માતા માહવશ થઈ પોતાથી ઉત્પન્ન થયેલ બાળક પ્રત્યે પોતાનુ જે કાંઈ પણ હોય તે બધુ અર્પણ કરી રસાનુભવ કરે છે, પરંતુ એની પાછળ જો કેવળ મેાહના ભાવ હોય તો રસાનુભવ તદ્દન અસ્થિર તથા સૌંકુચિત થઈ જાય છે. ધારો કે તે બાળક મરી ગયું અને એના બદલામાં એના કરતાં પણ વધારે સુંદર તથા વધારે હૃષ્ટપુષ્ટ બાળક ઉછેરવા માટે મળ્યું કે જે બિલકુલ માતૃહીન હોય; પરંતુ આવા નિરાધાર તથા સુંદર આળકને મેળવીને પણ તે બાળકરહિત થયેલ માતા તે નિરાધાર અને સુંદર ખાળક પ્રત્યે કતવ્યપાલન કરવામાં આનંદ કે રસાનુભવ નહિ માને, જે તે પોતાથી ઉત્પન્ન થયેલ પેાતાના બાળક પ્રત્યે કર્તવ્યપાલન કરવામાં માનતી હતી. આનું કારણ શું છે? બાળક તેા પહેલા કરતાં પણ વધારે સારું મળ્યું છે. એ માતામાં બાળકની સ્પૃહા તથા અણુ કરવાની વૃત્તિ પણ છે. પેલું નિરાધાર બાળક પણ માતા અપેક્ષા રાખતી માતાની પ્રેમત્તિનું ચિત્ત તે ખાળક પ્રત્યે મુક્ત ધારાથી જ છે અને તે એ કે તે માતાની સસ્વ વૃત્તિના પ્રેરક ભાવ કેવળ માહ હતા, જે વિનાનું હોવાથી આવી ખળકની અધિકારી છે. તેપણ તે માતાનું નથી વહેતું. એનું કારણ એક ન્યાવર તથા અર્પણ કરવાની સ્નેહ હાવા છતાં પણ વ્યાપક તથા શુદ્ધ ન હતા. આ કારણથી તે માતાના હૃશ્યમાં એ ભાવ હોવા છતાં એમાંથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249239
Book TitleVikasnu Mukhya Sadhan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages9
LanguageGujarati
ClassificationArticle & Society
File Size178 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy