SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ ] દર્શન અને ચિંતન હયાત હતા. એના પહેલાં પણ સંસ્કૃત અને વિવિધ પ્રાકૃત ભાષાઓના અનેક ગદ્યપદ્ય કવિ—વિદ્વાનો જાણીતા છે, જેના ખાણે પણ કાબરીની પ્રસ્તાવનામાં જ સમ્માનપૂર્વક નિર્દેશ કર્યાં છે. કાદમ્બરી રચાયા પછી તરત જ સંસ્કૃત અને પ્રાકૃત કવિ-વિદ્યાતાએ તેના અનુકરણમાં ગદ્યકથા લખી છે. અને ખાણના હચરતની પ્રથમથી ચાલતી અનુકરણુપર પરા પણ આગળ ચાલતી રહી છે. કાદમ્બરીના અનુકરણમાં રચાયેલ યશસ્તિલકચમ્પૂ અને તિલકમજરી એ એ ગદ્યકાવ્યોને નિર્દેશ અહીં જરૂરી છે, બન્નેના લેખક શ્વેત છે, પણ યશસ્તિલકના લેખક સામદેવ એ જૈન આચાય છે, જ્યારે ધનપાલ જૈન પણ બ્રાહ્મણ છે. બન્ને કાદમ્બરીની અનુકૃતિ હોવા છતાં યાસ્તિલક કરતાં તિલકમંજરીની ભાત જુદી પડે છે. યશસ્તિલકનાં સાંસ્કૃતિક અધ્યયનરૂપે પ્રે. કૃષ્ણકાન્ત હિન્દિીના એક અભ્યાસગ્રંથ નામે યશસ્તિલક એન્ડ ઈંડિયન કલ્ચર ' અંગ્રેજીમાં હમણાં જ પ્રસિદ્ધ થયા છે, જેમાં લેખકના ગીર અભ્યાસ પ્રતિિિચ્છત થયેલે છે. : > પ્રસ્તુત પુતકમાં છૅ. અગ્રવાલે હરિતને અવલખી તેમાં આલેખા શૈલ કે સૂચવાયેલ ભારતીય સંસ્કૃતિને લગતાં અનેક પાસાંઓનું અતિહાસિક તેમ જ તુલનાત્મક દૃષ્ટિએ શિલ્પ, સ્થાપત્ય, ચિત્ર, ઇતર લલિતકળા, શાસનપટ્ટ, સિક્કા અને સાહિત્યિક પુરાવાઓને આધારે નિરૂપણ કર્યું છે અને તે તે નિરૂપણની સવ રજૂઆત માટે તેમણે ૨૮ ક્લર્કા ઉપર ૧૦૦ જેટલાં ચિત્રા પણ આપ્યાં છે, જેમાંનાં કેટલાંક તે ઉપલબ્ધ મૂર્તિ, મકાનખડ, વાસણુ, અલંકાર, વસ્ત્ર, સિક્કા, ચિત્ર આદિ અનેકવિધ સામગ્રી ઉપરથી ફેટા લઈ તૈયાર કરાવેલાં છે. અને જ્યાં એવી સામગ્રી મળી નથી ત્યાં આનું નિરૂપણ સ્પષ્ટ કરવા તેમણે પોતે નિરૂપિત વસ્તુની પોતાની જ કલ્પના આકૃતિ રચી તેનાં ચિત્રો આપ્યાં છે. આ ચિત્રસામગ્રીને લીધે તેમણે તે તે વસ્તુનુ કરેલ નિરૂપણ વાંચનારને એટલું પ્રતીતિકર થાય છે કે જ્યારે રૂપિત વસ્તુને સામે જ નઈ રહ્યો હોય. રૅન્તુ સાંસ્કૃતિક અધ્યયન તૈયાર કરવામાં એમણે ઉપર સૂચવેલ શિલ્પ, આદિની અનેકવિધ સામગ્રી ઉપરાંત જર્મન, ફ્રેંચ, અંગ્રેજી આદિ પાન્ય અનેક ભાષાએ માં લખાયેલ સાહિત્યના તથા ભારતીય સંસ્કૃત, પ્રાકૃત, પાલી, ગુજરાતી, હિંદી આદિ ભાષાઓમાં લખાયેલ પ્રાચૉન-અર્વા ચીન સાહિત્યના જે વિશાળ, અને કીમતી ઉપયોગ કર્યો છે તેની યાદી જ એક સપૂર્ણ લેખ અને એટલી છે. એ સમગ્ર આધારભૂત સામગ્રીના આક લનના તેમ જ તેને આધારે લખાયેલ પ્રસ્તુત સાંસ્કૃતિક અધ્યયનના વિચાર ܕ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249237
Book TitleHarshcharitna Sanskrutik Adhyayannu Avalokana
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages14
LanguageGujarati
ClassificationArticle & Literature
File Size272 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy