________________
હિંસાની એક આડકતરી પ્રતિષ્ઠા
[૬૯
હણાતા નથી અને દેઢુ તો આપણે ન મારીએ તેાય મર્યા વિના રહેવાને નથી. તેથી જ્યારે આપણી પ્રવૃત્તિથી ખીજાતા દે નાશ પામે કે ધસાય ત્યારે તેમાં આપણે કશું નવું ઉમેરતા નથી. આવી સમજણુ છેવટે ક્રૂરતામાં જ પરિણામ પામે. ગીતાનું ઉક્ત કથન એ જ અર્થાંમાં સાચું છે કે ઉચ્ચ ધ્યેય સાધવા કે સારું કામ કરવામાં મરણુથી ન ડરવું, દેહરખું ન થવુ. ગમે તેટલું ધસાવુ પડે તેય પોતાની જાતને ધસીને પણ વ્યક્તિ તેમ જ સમાજને ઊંચે ઉડાવવામાં પાછી પાની ન કરવી. ગાંધીજીએ ગીતાનો એ અર્થ જીવનમાં જીવી બતાવ્યા છે, અને તેને જ અને અત્યાર લગી નહિ ખેડાયેલાં એવાં રાજકીય, સામાજિક વગેરે અનેક ક્ષેત્રમાં પણ તેમણે નવી અહિંસક પતિનું દશ ન કરાવ્યું છે. ગાંધીજીએ જીવી ખતાવેલ અને સૌને ક્ષેમ કર થાય એવા ગીતાના સવળેા અર્થ છેડી કાળજૂના રૂઢિગત અને આશ્રય લેવામાં પુરાણીને શું નવું રહસ્ય બતાવવાનું છે, એ જ સમજમાં ઊતરતું નથી.
પુરાણી પોતાના લેખમાં એક સ્થળે કહે છે કે નાઝીવાદના નાશ કરવા હાય તો કેટલાક નાઝીઓને માર્યો વિના તે ન બને. આ સ્થળે કાઈ પુરાણીને એમ પૂછી શકે કે મૂડીવાદી અમેરિકા સામ્યવાદને ઉચ્છેદ કરવા ભાગે તે શુ તેણે કેટલાક સામ્યવાદીઓને ઠાર કરવા? એ જ રીતે સામ્યવાદી રશિયા મૂડીવાદના મૂળાચ્છેદ કરવા ઇચ્છે તે શુ તેણે કેટલાક સમર્થ મૂડીવાદીઓને મારવા ? જો આ વસ્તુ પુરાણીને કરવા જેવી દેખાય તે પછી નાઝીવાદીઓના નાશની ગઈ ગુજરી વાત ભૂલી જઈ અત્યારે મૂડીવાદ અને સામ્યવાદ વચ્ચે જે સંધર્ષ ચાલી રહ્યો છે તેના પ્લાજ લેખે તેમણે મૂડીવાદીએ અને સામ્યવાદીના પરસ્પર નાશના સંહારક મા જ સૂચવવા જોઈ તા હતા, કેમ કે તેમના મતે કાઈ પણ સિદ્ધાંતની સ્થાપના તેના કેટલાક વિધીઓના નાશ વિના શક્ય જ નથી. એટલે પુરાણીની ગણતરી પ્રમાણે જગતના સંવાદી તંત્ર માટે સુંàપસંદ ન્યાય જ મહત્ત્વનો છે એમ યુ
પુરાણીના લેખના મુખ્ય એક હિંસક વૃત્તિની અનિવાર્યતા તેમ જ તેના લાભા સૂચવી વિરોધીઓ સામે શસ્ત્ર ઉગામવાની વૃત્તિને ઉત્તેજન આપવાના છે. તેથી જ તેઓ અહિંસાના અમલથી સિદ્ધ થયેલા લાભાને કાં તે ધ્યાનમાં જ નથી લેતા અને કાં તો તેને હળવામાં હળવી રીતે રજૂ કરે છે. તેથી ઊલટુ, અહિ'સાના અમલ દરમ્યાન એક થા ખીજે કારણે અનિષ્ટ જમ્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org