________________
૬૯૨ ]
દર્શન અને ચિંતન fણ ઓર વધ્યું. શ્રી. અરવિંદ જેવા લેગીન્દ્રના સમીપમાં લાંબે વખત સતત રહેવાની અને સાધનામાં ભાગીદાર બનવાની તક એ પણ આકર્ષણનું જેવું તેવું નિમિત્ત નથી.
શ્રી. સુંદરમ તો મારા ડાઘણા પરિચિત છે જ. તેમની શક્તિઓ વિશે મારો પ્રથમથી જ અતિ આદર હ્યું છે. એટલે તેમના તંત્રીપદે સંપાદિત થતા “દક્ષિણા'ના લેખો અવારનવાર વાંચવા પ્રેરાઉ છું. છેલ્લે જ્યારે અહિંસા વિશે વિસ્તૃત લેખ વાંચ્યું ત્યારે હું અનેક રીતે વિચારમાં પડી ગયો.
યેગીન્દ્રની પરિચર્યામાં રહેનાર અને યોગસાધનામાં ભાગ લેનાર પ્રઢ વ્યક્તિને હાથે સદા વિકાસ પામતા અને ઉત્તરોત્તર વધારે ઊહાપોહ માગતા અહિંસા જેવા કાળજૂના સુક્ષ્મ તત્ત્વ વિશે જે કાંઈ લખાયું હોય તે સાધારણું, તુચ્છ કે ઉપેક્ષાપાત્ર હોઈ ન શકે એ વિચારે એ લેખને હું અનેક વાર સાંભળી ગયો અને તે ઉપર યથાશક્તિ સ્વતંત્ર તેમ જ તટસ્થપણે મનન પણ કર્યું, પરંતુ દુઃખ સાથે કહેવું પડે છે કે શ્રીયુત પુરાણીની અહિંસા વિશેની ચર્ચા ઘણે સ્થળે વિચાર, તર્ક અને સત્યથી વેગળી છે. કેટલીક વાર એમ લાગે કે આ સત્યલક્ષી તત્ત્વમીમાંસા નહિ, પણ એક પૂર્વગ્રહરિત પીંજણ અને શબ્દછળ માત્ર છે. વળી, આખા લેખને ઝોક એમ સૂચવતે લાગે છે કે તેઓ અહિંસાની તટસ્થ અને મૂળગામી ચર્ચાને નિમિત્તે માત્ર ગાંધીજીની પદ્ધતિની સામે કાંઈ ને કાંઈ કહેવા બેઠા છે.
શ્રી. પુરાણી અહિંસાતત્ત્વને નથી માનતા એમ તો નથી જ. એમણે અહિંસાની ઉપયોગિતા સ્વીકારી છે અને અહિંસાની વ્યાખ્યા પણ કરી છે. છતાં તેમના પ્રશ્નોત્તરીમાં મધ્યસ્થાને જાણે ગાંધીજી જ ન હોય તેમ ગાંધીજી માં ઉદય પામેલી અને વિકસેલી અહિંસાને વિચાર આવે છે તેમ જ તેમની અહિંસક પદ્ધતિને પ્રશ્ન આવે છે ત્યારે શ્રી. પુરાણી માત્ર મનનું યોગસુલભ સમતોલપણું જ નથી ગુમાવતા, પણ તેઓ જે પૂર્ણગની દિશાને પ્રવાસી છે અને જે પૂણુગની મહત્તા શ્રી અરવિંદના તથા શ્રી. માતાજીના ધ્રુવ મંત્ર જેવા પ્રસન અને ગંભીર લેખેમાં પ્રતિપાદિત થઈ છે તેને જ અન્યાય કરે છે. જ્યારે હું ફરીફરીને દક્ષિણના પ્રથમ વર્ષના પ્રથમ અંકમાં પ્રસિદ્ધ થયેલા શ્રી. માતાજીને “વિશ્વસંવાદની સ્થાપના અને શ્રી. અરવિંદના “અમારે આદર્શ તેમ જ “ રૂપાંતર', “નવું પ્રસ્થાન' એ લેખ વાંચું છું તેમ જ પ્રથમ વર્ષના બીજ અંકમાં પ્રસિદ્ધ થયેલ શ્રી. અરવિંદન “આદર્શી” એ લેખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org