SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૩૪ ] દર્શન અને ચિંતન ચેતવણી છેવટે પુત્રપૌત્રાના બંગલામાં જ વાનપ્રસ્થ ળ્વન ગાળવા સુધી પરિણમી. એ જ સ્થિતિ સન્યાસીની થઈ. તે નિર્ભયતાની મૂર્તિ મઢી ભયથી રક્ષણ માટે આશરે સાધતાં શોધતાં ગૃહસ્થના સગા ભાઈ ખની ગયા. આજે શ્રમણ, ભિક્ષુ કે વૈદિક સંન્યાસી દરેકની આ સ્થિતિ છે. તેથી જ ચારે આશ્રમમાં નિ યતાનું તત્ત્વ દાખલ કરી તેના આધુનિક દૃષ્ટિએ ઉપયોગ કાકાએ મુલ્યે છે તે વેળાસરનું જ છે. વજ્રપાત્ર, ખાનપાન, ઔષધઆરામ આદિની બાબતમાં સર્વથા પસ્ત્રલખન ન રહે અને આત્માવલઅન વધવા સાથે આધ્યાત્મિક આત્મવિશ્વાસ વધે એ દૃષ્ટિથી યુદ્ધ, મહાવીર વગેરેએ ભિક્ષુકા માટે નિયમો પડ્યા છે. હવે એ નિયમે કળિયુગના કળણમાં પડી એટલા બધા સડી ગયા છે કે તે નિયમાન પ્રાણ ચાલો ગયા અને નિષ્પ્રાણ નિયમો પાળનારા ભિક્ષુ છેવટે ગૃહસ્થાના ગુલામ બની ગયા છે. તેથી નિર્ભયતાની સૂચના એ એથ્નમાં આખું ભિન્નુવન માટે તે પ્રાણપાષક જ છે. જો એવી પ્રાણનિરપેક્ષ નિર્ભયતા ન હોય તે બહેતર છે કે ભિક્ષરૂપે ગુલામ ન બનવું. કંમ્, જીવનયાગ, શિા પ્રમાળમૂ અને ક્લાનાસક્તિ તથા બ્રહ્મચય જેવા માત્ર આધ્યાત્મિક અને વ્યક્તિગત જેવા દેખાતા વિષયોને સમષ્ટિની દૃષ્ટિએ જે રીતે ચર્ચ્યા છે તે રીતે જ ખરી રીતે વ્યક્તિ અને સમાજ અનેે માટે લાભદાયક છે. એટલે આ ચર્ચા સામાજિક ધર્મની નિશ્પક છે. આધ્યાત્મિકતા એટલે વ્યક્તિગત જીવનમાં રહેલાં દ્વેષ, વાસનાઓ અને કુસંસ્કારોને નિવારવાં અને સામાજિક જીવનના પ્રવાહમાં તે આધ્યાત્મિકતાના પધ્રા પાડવા તે. જો વ્યક્તિ પોતાના અંગત જીવનની ભૂમિકા તૈયાર કરવામાં પડે અને સામાજિક જીવનના પ્રવાહની કસોટીએ પોતાના જીવનને ન કસે તા એણે કરેલી સાધના અને આદરેલી તપસ્યા નક્કર છે કે પાકળ છે એની ખાતરી શી રીતે થાય ? જેમ બાળક, કુમાર કે તરુણ ભણે છે ત્યારે પોતાની અમુક જાતની તૈયારી કરે છે, પણ તે આગળ જતાં એ તૈયારીના ઉપયોગ કૌટુંબિક અને સામાજિક ક્ષેત્રે કરે છે ત્યારે જ તેનું ભણતર કેવુ છે એની ખાતરો તેને અને અન્યને થાય છે. તે જ રીતે આધ્યાત્મિકતાના સંસ્કારોની આબતમાં પણ વિચારવું ધડે. સામાજિક જીવનમાં ઉપયોગ કરાયા ન હોય તે ચાડેણે અંશે કેળવેલા ગુણો પશુ તે માણસને આત્મવિશ્વાસનું પૂર્ણ ખળ આપી નથી શકતા અને તેની વાણી તેટલે અંશે મક્કમ કે અસરકારક બનતી પણુ નથી. તેથી જે મેળવવું કે જે કેળવવું તેના ઉપયોગ વ્યાપક રીતે કરવામાં જ તેની કૃતાતા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249227
Book TitleGita Dharmnu Parishilan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages22
LanguageGujarati
ClassificationArticle & Religion
File Size121 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy