________________
૧૯૪]
દર્શન અને ચિંતન આખ્યાનમાં પિતા વાજશ્રવસ્ત્ર, પુત્ર નચિકેતા અને વરદાતા યમ એ ત્રણ મુખ્ય પાત્રો છે.
ધર્મના ત્રણ બે પૈકી પ્રથમ કંધમાં યજ્ઞ, અધ્યયન અને દાનનું સ્થાન છે. તેમાંથી યજ્ઞ અને તેને અંગે અપાતા દાનની પ્રથાને આખ્યાનમાં ઉલ્લેખ છે. સૂત્રાત્મક વાક્યથી સૂચવાતી કથાને સ્થૂળ સાર એ છે કે પિતા યાને અંતે પ્રણાલિકા પ્રમાણે દાન આપે છે–પણ તે જાણે પ્રણાલિકાને સાચવવા પૂરતું જ ન આપતે હોય તેવી રીતે. તે કાળે ગદાનની પ્રથા બહુ વ્યાપક હતી અને તેનાં મૂળ ઊંડે સુધી ગયાં હતાં. પિતા પિતાની પાસેની દુધાળ, તરુણ, નવવત્સ ગાને રાખી, આજકાલની ભાષા વાપરીએ તે, પાંજરાપોળમાં મૂકવા જેવી ગાયો દાનમાં આપે છે. વાજત્રવત્ શ્રદ્ધાળુ અવશ્ય છે, પણ તે સાથે તે લેભી અને ગણતરીબાજ પણ છે. દાન આપવું તે એવી વસ્તુ કેમ ન આપવી કે જે હવે સાચવવાને બહુ અર્થ ન હોય સર્વ શ્રદ્ધા
. નચિકેતાની પ્રકૃતિ સાવ જુદી છે. તે શ્રદ્ધાળુ હોવા ઉપરાંત તદ્દન ઉદાર અને વિવેકી છે. પિતાની પ્રવૃત્તિ જોઈ પુત્રને દુઃખ થાય છે. તેને એમ થાય છે કે જે દાન કરવું તે પછી સજીવ શ્રદ્ધા સાથે પિતાની પાસે હોય તેમાંથી સારી વસ્તુ કેમ ન આપવી? તેને પિતાની સીધી ટીકા કરતાં વિવેક રેકે છે, એટલે તેણે બીજો ભાગ લીધો અને પિતાને કહ્યું કે, તમે મારું જ દાન કરી દે ને! તમે મને કોને આપશે ? તેણે તે આ માગણી સાચા દિલે કરી હતી, પણ તેની જીદ જેઈપિતાએ આવેશમાં કહી દીધું કે હું મને તારું દાન કરીશ.
આવેશમાં બોલતા તે બેલાઈ ગયું, પણ પુત્ર તે પિતાના વચનને ઝેલી સી યમને ઘરે સિધાવ્યો. યમ ઘેર ન હતું, એટલે નચિકેતા ત્રણ દિવસ તેને આંગણે ઉપવાસ સાથે રહ્યો. આંગણે આવેલ અતિથિ આમ અન્ન પાણી વિના રહે તે આતિથેયને જીવનધર્મ માનનાર માટે એક ધર્મથળ હતું. ચમે ઘેર પાછા ફરી જ્યારે એ ધર્મશાળની વાત જાણું ત્યારે તેણે પ્રાયશ્ચિત્ત કરવા અથવા તે આતિથેય ધર્મને સદી માટે દીપાવવા એ બ્રાહ્મણ અતિચિને સત્કારપૂર્વક ત્રણ લાંધણુ બદલ ત્રણ વર માગવા કહ્યું.
વિવેકી નચિકેતાએ જે વર માગ્યા તે તેની આધ્યાત્મિક સાધના અને વિવેકના સૂચક છે. એ પહેલું વર માગે છે કે એને પિતા એના પ્રત્યે રોષમુક્ત ચઈ પ્રસન્ન થાય. કુપિત પિતાને પ્રસન્ન જેવા તત્પર આ કુમારની વડીલભક્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org