________________
પુનઃ પંચાવન વર્ષ
[ ૫૫૭
ચેાડુ કહી દઈએ. નર્દિષણ એ ક્ષત્રિય પ્રકૃતિનો છે, જ્યારે કલિકુમાર બ્રાહ્મણુ પ્રકૃતિના. નર્દિષણ ક્ષણમાત્રમાં રાજવૈભવ ત્યજી તપ-ત્યાગ તરફ ઢળે છે અને વળી તેમાંથી વ્યુત થઈ પાછે ભાગ ભણી ભાગે છે. કપિલકુમાર સરસ્વતીની સાધના કરતાં કરતાં વચ્ચે જ એક તરુણી તરફ આકર્ષાય છે અને એ સાધનાને ત્યાંજ જતી કરી ગુરુવાસ છેાડી તરુણી સાથે ચાલી નીકળે છે. નર્દિષેણુ વિશે ભગવાન મહાવીરે ભાખેલું સત્ય સાધુ કરે છે, તે કપિલકુમાર વિશે વિદ્યાગુરુએ કલ્પેલું ભાવી સાચું પડે છે. નર્દિષેણ ગણુકાના પાશમાંથી એકાએક છૂટી મૂળ માગે પાછો ફરે છે, તેમ જ કપિલકુમારનુ પણુ ખને છે. પત્નીના આગ્રહથી ગરીબી નિવારવા રાજદ્વારે દાન મેળવવા જતાં જ્યારે તેને રાન્ન તરફથી જોઈ એ તે માગી લેવાનું કહેવામાં આવે છે ત્યારે કપિલકુમાર · આ માગું, તે માગું, આટલું માગું તેટલું માગું ?—— એવી અનેક પ્રકારની વિકલ્પજાળેામાં સપડાય છે, પણ તરત જ તેની સ્વલક્ષી વીરવ્રુત્તિ—કહે કે ધર્મવૃત્તિ—પ્રગટે છે અને તે કાંઈ પણ મેળવવાના લાભથી તદ્દન ઊંચા ઊડી પરમ સંતોષની ભૂમિકા ઉપર જઈ બેસે છે. હવે એને કાઈ વસ્તુ લલચાવી શકતી નથી. આમ જે થેડી ક્ષણેા પહેલાં દીનત્તિથી ક’ગાળ દેખાતા તે જ થોડી પળેામાં સાવ બદલાઈ માસ ચ જંતુષ્ટે જોડર્થવાન હા વિઃ એવી સામ્ય અવસ્થામાં આવે છે. આમ ક્ષત્રિયપુત્ર ન દિષણનુ જેવું પતનોત્થાન જોવામાં આવે છે તેવુ જ પતનાહ્વાન બ્રાહ્મપુત્ર કપિલકુમારમાં પશુ દેખાય છે. આવાં પતનાત્થાન દ્વારા લેખકે મનુષ્યસ્વભાવનુ વાસ્તવ ચિત્ર જ ખેચ્યું છે.
―
બીજી વાર્તા સંયતિરાજની છે. સંયતિરાજ પણ ક્ષત્રિયપ્રકૃત્તિના છે.. એને મુખ્ય નાદ છે શિકારના, તે શિકાર પાછળ એટલો બધો ઘેલો છે કે જાણે તેના જીવનનુ તે ધ્યેય જ ન હોય! એની આ હિંસાપરાયણ ચંચળ વૃત્તિ જ એક દિવસ એને સાવ સામે છેડે લઈ જઈ મૂકે છે. તે શિકાર પાછળ પડી એક ભાગતા મૃગલાને તીરથી વીધે છે. મૃગલુ તીર વાગતાં જ ઢળી પડે છે, લક્ષ્યવેધની સફળતા જોઈ સતિરાજ મલકાય તેટલામાં તો તેની નજર સામે નવુ જ જગત ખડુ થાય છે જ્યાં એ શિકાર પડ્યો છે ત્યાંજ નજીકમાં એક પ્રશાંત અહિંસક વૃત્તિની સાક્ષાત્ સ્મૃતિ ન હોય એવા યોગીમુનિને ધ્યાનમુદ્રામાંથી ઊઠતા તે નિહાળે છે. મુનિ મૃગલાના પ્રાણત્યાગથી દુઃખી છે તેા ખીજી ખાજી તે શિકારને વીંધનાર શિકારીના અજ્ઞાન અને મિથ્યા કૃત્યથી પણ દુ:ખી છે. મુનિનું સાત્ત્વિક દુઃખ કલ્યાણુગાની છે. પેલા સંયતિરાજ મુનિના મુખ તરફ જોઈ રહે છે કે એ તપવી શાપ કે કેા તે નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org