SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૨] દર્શન અને ચિંતન રહ્યું હ।ત તા કદાચ ચલાવી પણ લેવાત, પણ એ વિષ બીજા વિષેની પેઠે ચેપ ફેલાવે તે સ્વાભાવિક જ હતું; એટલે બધાં જ ક્ષેત્રામાં એ વિષ ફેલાયું. આજે તે નછૂટકે તે લાચારીથી જ ત્રણે ફિરકાવાળા મળે છે, અને એ લાચારી એટલે ત્યાંઈક વ્યાપારી સંબંધ, કાંઈક લગ્નસ બધ અને કાંઈક રાજકીય સબંધ. પરંતુ એ સંમેલન નથી તેા વ્યાપક અને નથી તે બુદ્િ પૂર્ણાંકનું, તેમ જ નથી હાર્દિક. આ દેખાતું વિરલ સ ંમેલન પણ ગૃહસ્થામાં જ છે, કારણ કે પેલી લાચારી ગૃહસ્થાને જ મળવાની ક્રજ પાડે છે; પરંતુ ગુરુવર્ગ અને પતિ ઉપદેશકવગ માં તા એ લાચારીજન્ય વિરલ સંમેલન પણ. નથી. ગુરુઓને કે પતિ ઉપદેશને નથી જરૂર વ્યાપાર ખેડવાની કે નથી પ્રસ`ગ લગ્નાદિતા. એ વર્ગને રાષ્ટ્ર અને રાજકીય બાબતોનું તે સ્વમ પણ. નથી, એટલે તેમનામાં પારસ્પરિક સમેલન કે સગઠનના સંભવનું વ્યાવહારિક કારણ એય નથી; અને જે ધમ તેમને અરસપરસ મેળવવામાં સૌથી વધારે અને સૌથી પહેલા કારણભૂત થવા જોઈએ અને થઈ શકે તે જ ધમે તેમને ઊલટા હંમેશને માટે દૂર કર્યાં છે. એક ખાજી વ્યાવહારિક જરૂરિયાતાને લીધે ત્રણે ફિરકાના ગૃહસ્થા અરસપરસ વધારે મળવા અને સંગઠિત થવાના વિચાર કરે, ત્યાં તે બીજી બાજુ પેલા ગુરુ અને ઉપદેશકવર્ગ એમાં ધનાશ જોઈ એમને મળતા અટકાવવા અને અરસપરસ ગાઢ સંબંધ બાંધતા રોકવા કમર કસે છે. પરિણામે એ ફિરકા નથી પડી શકતા તદ્દન છૂટા કે નથી થઈ શકતા એકરસ અને સ'ગતિ. આ સ્થિતિ લગભગ ગામેગામ છે, ત્યારે હવે શું કરવું જોઈએ ? ઉત્તર ટૂ”કા અને સીધા છે. તકરાર અને વિરોધ મટાડવાની આશા ધર્મ પાસેથી હતી, પણ આજના ધર્મોંમાંથી એ સફળ થવાના સંભવ જ નથી. એટલે ત્રણે ફિરકાઓને પોતાને મેળ સાધવા–વધારવા અને સંગઠન કરવા માટે એ જ રસ્તા બાકી રહે છે. પહેલા એ કે નિ ય અને સ્વત બુદ્ધિવાળી વ્યક્તિએ ( તે ગૃહસ્થ હોય કે ત્યાગી) ધનાં સૂત્રેા હાથમાં લેવાં અને તેના ઉપર જે કડવાશના મેલ ચડ્યો છે તે દૂર કરી ધર્મની મારફત જ ખુધી કામેામાં વધારેમાં વધારે મેળ સાધવે. અને ખીજો ભાગ, પરંતુ છેવટના માર્ગ (ભલે ને તે ક્રાન્તિકારી લેખાય), એ છે કે ગૃહસ્થાએ આ નવા ધર્માંતે જ એટલે કે વિકૃત અને સાંકડા ધમ ને શરણે જવુ ઊંડી અને જાણે કે ધર્મના વારસો ન જ મળ્યો હાય. એવી રીતનું મનને ધી વ્યાવહારિક ભૂમિકા ઉપર એકત્ર થવુ, અને ખુદ્ધિપૂર્વક તથા અગત્યનું સગડન કરવું, જેમાં ઇચ્છા પ્રમાણે એક ફ્રિકાના ગૃહસ્થા બીજા ફિરકાના ગૃહસ્થા સાથે હૃદયથી દરેક ક્ષેત્રમાં ભેટી શકે અને અરસપરસ સહકાર કરી શકે. જ્યારે ગૃહસ્થો પેલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249206
Book TitleTran Jain Phirkaona Paraspar Sambandh ane Melno Vichar
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages7
LanguageGujarati
ClassificationArticle & Jain Sangh
File Size113 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy