________________
વિશ્વમાં દીક્ષાનું સ્થાન અને તેને ઉપયોગ
[ ૩૬૩ ભૂતકાળનાં ત અને દલીલનાં મડદાં ચરવામાં વિશેષ રસ નથી આવતો.. તેઓ જે તરસિક અને ભાષાલાલિત્યના રસિક હોય તે પિતાના વડવાઓની પ્રશંસા કરી ફુલાઈ જાય છે, અને જો ઈતિહાસઉસિક હેય તે ભૂતકાળના પિતાના પૂર્વજોએ આવી આવી ક્ષક બાબતમાં ખર્ચેલ અસાધારણ બુદ્ધિ અને કીમતી જીવનનું સ્મરણું કરી ભૂતકાળની પામરતા ઉપર માત્ર હસે છે,
પણ થા ઉપર ચડેલા અને સંસ્કૃત-પ્રાકૃત ભાષાને વેશ પહેરેલા. તેમ જ શાસ્ત્રનું સુંદર નામ ધારણું કરેલા આ ક્ષક કલહને નિસાર જોનાર આજને તરુણવર્ગ અથવા તે કેટલેક બૂઢ વર્ગ વળી દીક્ષાની એક બીજી મહનીમાં પડ્યો છે. એ મેહની એટલે ઉંમરની અને સંમતિપૂર્વક દીક્ષા લેવા ન લેવાની. અત્યારનાં છાપાંઓને અને તેના વાંચનારાઓને ભૂતકાળના દીલાપરત્વે સ્ત્રીને અધિકાર હેવા ન હોવાના અમુક ચિહ્ન રાખવા - રાખવાના જૂના ઝઘડાઓ નિરસ લાગે છે ખરા. પણ એમની પરાપૂર્વથી ઝઘડા માટે ટેવાયેલી ધૂળ વૃત્તિ પાછી નો ઝઘડે ભાગી જ લે છે. તેથી જ તે આ ઉંમરે પરત્વેને અને સંમતિ પરત્વેને મઝેદાર ઝઘડે ઊભે થે છે અને તે વિકસે જ જાય છે, માત્ર છાપાંઓમાં આ વડે મર્યાદિત ન રહેતાં રાજદરબારે સુધ્ધાં પહોંચ્યા છે. જૂના વખતમાં રાજદરબાર માત્ર બને પક્ષોને ચર્ચા કરવાનું સ્થાન હતું, અને હારજીતને નિકાલ વાદીની કુશળતા ઉપરથી આવી જતે; પણ આજના રાજદરબાર જુદો છે. એમાં તમે ચડે. એટલે બન્ને પક્ષકારાની બુદ્ધિની વાત જ નથી રહેતી. પક્ષની સત્યતા અથવા પક્ષકાર વાદીની બુદ્ધિમત્તા પૈસાની કોથળી આડે બાઈ જાય છે. એટલે જે વધારે નાણું ખર્ચે તે છત ખરીદી શકે. રાજતંત્રને આ વ્યક્તિ સ્વતંત્રતા વિષયક ગુણ ભલે બુદ્ધિમાન અને રાજ્યકર્તાઓ માટે લાભદાયક છે, પણ જૈન સમાજ જેવા બુહુ અને ગુલામ સમાજ માટે તે એ ગુણ નાશકારક જ નીવડતો જાય છે.
અત્યારે બે પક્ષો છે. બન્ને દક્ષામાં તો માને જ છે. દીક્ષાનું સ્વરૂપ અને દીક્ષાના નિયમ વિશે બનેમાં કઈ ખાસ મતભેદ નથી. બંનેનો મતભેદ . દીક્ષાની શરૂઆત પરત્વે છે. એક કહે છે કે ભલેને આઠ કે નવ વર્ષનું બાળક હેય તે પણ જીવનપર્યંતની જૈન દીક્ષા લઈ શકે. અને એવાં બાળકે. ઉમેદવાર મળી આવે તે ગમે તે રીતે તેઓને દીક્ષા આપવી એ યોગ્ય છે. તેમ જ તે કહે છે કે સેળ કે અઢાર વર્ષે પહોંચેલે તરુણ કોઈની પરવાનગી લીધા સિવાય, માબાપ કે પતિ પત્નીને પૂછ્યા સિવાય, તેમની હા સિવાય પણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org