SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ આપણુ કર્યાં છીએ ? I ૩૫૧ સાં આવે? વાસસ્થાનામાં એ ચેખ્ખાઇને એક પણ અશ છે? મંદિર અને ઉપાશ્રયમાં જે ચોખ્ખાઈ હોય છે તે કરતાં અનેકગણી ગક્કી તેની આસપાસ હાય છે, એ હકીકત દીવા જેવી છે. અચિત્વની ભાવના મૂળે સાચાભિમાન દૂર કરવા અગર ચોખ્ખાઈ તો રાગ નિવારવા માટે યોજાયેલી, પણ તેના સ્થાનમાં જૈનાએ અશુચિનુ પેષણુ એટલું બધુ કર્યું છે કે તે જોઈ કાઈને પણ તેના પ્રત્યે અણગમો કે ડૅષ આવ્યા વિના રહે નહિ, રાગ નિવારવા જતાં દ્વેષનુ તત્ત્વ પાષાયું અને સમાજે આરાગ્ય તેમ જ પ્રતિષ્ઠા ગુમાવ્યાં. શું આ પ્રશ્ન સાંવત્સરિક આત્મનિરીક્ષણમાં સ્થાન નથી પામતા ? જો હા, તો આ વાસ્તે કાણુ વિચાર કરશે ? સાધુ કે વહીવટકર્તા કે બન્ને ? જો એકે પૂર્ણ જવાબદાર ન હોય તે સુપ આવે કે જાય તેથી સમાજનું શું વળવાનું ? દેવદ્રવ્યનો ઉદ્દેશ સુંદર છે, એ વિશે તેના મતભેદ છે જ નહિ; પણ એ ઉદ્દેશ સાધી શકાય તે કરતાં વધુ પ્રમાણમાં એકઠું થયેલું દેવદ્રવ્ય જ્યાં ત્યાં એક અથવા બીજે રૂપે પથુ' રહે, તેના કાઈ સામાજિક હિતમાં ઉપયાગ થઈ જ ન શકે અને છેવટે કાં તે એ સ્થાવર મિલકતરૂપે રહે અને કાં તા જ્યારે ત્યારે જેના તેના હાથે ભરખાઈ જાય—આ સ્થિતિ શું પુનઃવિચારણા નથી માગતી ? શું વિદ્વાન ગણાતા અને વિદ્વાન છે એવા ત્યાગીઓનું તેમ જ ડાહ્યા ગણાતા વ્યાપારી શ્રાવકાનું માનસ આમાંથી કાઈ ઉકેલ શોધવાની શક્તિ જ નથી ધરાવતું ? જો એમ હોય તે પન્નુસણ કે સવત્સરીપવ આવે ને જાય એ બધું પથ્થર ઉપર પાણી ઢોળ્યા બરાબર છે. સમાજ તે જ્યાં હતા ત્યાં જ છે, અગર સમયની દૃષ્ટિએ તુલનાત્મક વિચાર કરીએ તો પ્રથમથીયે પાછો પડ્યો છે એમ માનવું જોઈ એ. તત્ત્વજ્ઞાન અને ધર્મનું શિક્ષણ આપતી નાનીમોટી અનેક પાશાળાઓ છે, કેટલાંક ગુરુકુળ તે બ્રહ્મચર્યાશ્રમ પણ છે, અનેક છાત્રાલયા પણ છે. એમાં ત્યાગીઓ, પંડિત અને અત્યારના સુશિક્ષિત ગણાતા મહાશાને પૂરુંપૂરો હાથ છે; અને તેમ છતાં તેમાં ધાર્મિક અને તાત્ત્વિક શિક્ષણ લેનારની દશા જોઈએ છીએ ત્યારે એમ માનવાનું મન થઈ જાય છે કે જેટલા પ્રમાણમાં જેણે વધારે ધશિક્ષણ લીધુ તે તેટલા પ્રમાણમાં વધારે પાકા મૌલવી કે મુલા. અત્યારે અપાતુ ધર્મનું તેમજ તત્ત્વનું જ્ઞાન એને લેનારમાં કાઈ નવે વિચાર પ્રેરતુ ંય નથી અને ‘તમસો મા જ્યેાતિયમય’અંધારામાંથી અજવાળામાં લઈ જા એવી મને દશાને ખલે ચેતિણે માઁ સમો ગમય' એવી મનેાદશા સ છે! કાઈ પણ સાચે સમજનાર અને નિર્ભય ધર્માંતત્ત્વજ્ઞ ઉપર કહેલ એવી સસ્થાનું અને તેમાં શીખતા વિદ્યાથી એનું માનસ જોશે તે તેને જણાયા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249198
Book TitleAapne Kya Che
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages5
LanguageGujarati
ClassificationArticle & Ceremon
File Size78 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy