________________
વહેમમુક્તિ
[૧૪]
પજુસણ એ ધર્મપર્વ છે. ધર્મપર્વને લીધે અને સરળ અર્થ તો એટલે જ છે કે જે પર્વમાં ધર્મની સમજણ દ્વારા, હોઈએ તે કરતાં કાંઈક સારી અને ચઢિયાની ભૂમિકા પ્રાપ્ત કરવી. આ દૃષ્ટિએ વિચાર કરીએ અને પૂર્વગ્રહથી મુકત થવા જેટલી હિંમત કેળવીએ તે આપણને સમજાવ્યા સિવાય નહિ રહે
આપણે મેટેભાગે ધર્મપર્વને વહેમપુષ્ટિનું જ પર્વ બનાવી મૂક્યું છે. જૈનધર્મ કે બીજે કોઈ પણ સારો ધર્મ હોય તે તેને વહેમો સાથે કશી જ લેવા-દેવા હોઈ શકે નહિ. જેટલે અંશે વહેમની પુષ્ટિ કે વહેમનું રાજ્ય તેટલે અંશે સાચા ધર્મને અભાવે–આ વસ્તુ વિવેકી વાચકને સમજાવવાની ભાગ્યે જ
નાનામોટા બધા જ વહેમનું મૂળ અજ્ઞાન કે અવિવામાં જ રહેલું છે, પણ અજ્ઞાન અને અવિદ્યાની ગુફા એટલી બધી મેડી તેમ જ અંધકારમય છે કે સરળતાથી તેનું સ્વરૂપ સર્વસાધારણને ગમ્ય થઈ શકતું નથી. તેમ છતાં એ અજ્ઞાન જ્યારે વહેમોની સૃષ્ટિ ખડી કરે છે ત્યારે તે સીધી રીતે તેવી સૃષ્ટિ ન સરજતાં બીજી ગમ થઈ શકે એવી વૃત્તિઓ દ્વારા જ સર્જે છે. એવી વૃત્તિઓમાં બે વૃતિઓ મુખ્ય છે: એક લેભ અને બીજો ભા. લાલચ અને ડર બને અજ્ઞાનનાં જ પરિણમે છે. ઘણાં વહે લાલચમૂળક છે તે બીજા ભથમૂળક છે. અજ્ઞાનનું આવરણ ગયું ન હોય કે નબળું પડ્યું ન હોય તે તે, ન કળાય એવી રીતે ધર્મના ક્ષેત્રમાં પણ લાલચ અને ભયના તને જન્મ આપે જ છે તેમ જ તેની પુષ્ટિ પણ કરે છે. એટલું જ નહિ, પણ વધારામાં તે માણસનાં વિચારને ઉપર એવો ગાઢ પડદે નાખે છે કે માણસ પોતે વહેમોને ભેગ બનવા છતાં તેનાં કારણે લાલચ અને ભયને જોઈ શકતા નથી અને ઊલટું વહેમેને જ ધર્મ માની તેનાં કારણે લેભ અને ભયને પળે જાય છે. અજ્ઞાનની ખૂબી જ એ છે કે પિતાના વિધી સમજ્ઞાનનું સાચું સ્વરૂપ તે સમજવા ન જ દે, પણ પિતાનું સાચું સ્વરૂપ સમજતાં માણસને રેકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org