________________ ધર્મ કે જ્ઞાન પર્વ [343 અને ખાનગી જ હતી, છતાં શ્રેતૃવનું પ્રમાણમાં સારો એકત્ર થતો. બધા લગભગ જિજ્ઞાસુ આવતા. વિદ્વાનો ખાસ ભાગ લેતા. જેનેતરે પણ, જેને માલૂમ પડે તે, આવતા. વિષયે પણ વ્યાપંક રખાયા હતા. બેલનારાઓ પણ જાણતા જ હતા. દષ્ટિ જરા પણ સંકુચિત ન રાખતાં તદ્દન ઉદાર રખાઈ હતી. તેથી અમે તે માણસ પોતાના વિચાર છૂટથી દર્શાવે એવી તક મળી હતી. આ તે માત્ર પ્રથમ પ્રેગ ગણાય. અનેક વિષય ઉપર જુદા જુદા વિચારકોએ ઉદાર ચિતે જે જે વિચારે જણવ્યા તે બધાને અહીં સંગ્રહ આપવામાં આવે છે. આમાનાં ઘણું પ્રવચને તે તે વક્તાઓએ લખીને જ વાચેલાં અગર પાછળથી તેમણે પોતે જ લખીને આપેલાં છે. કેટલાકની તે વખતે નેધ લેવાયેલી; તે ખાસ તપાસ્યા પછી અહીં આપવામાં આવે છે, આ પ્રવચનસંગ્રહ દરેક વાચકને સુલભ થાય તે માટે “સુઘોષા'ના સંપાદકે એક ખાસ અંક કાઢવા ધાર્યો છે, તે મેચ જ થયું છે. આથી નીચેનાં પરિણામે આવવાને સંભવ છેઃ (ક) જે ચાલુ પ્રથામાં રસ ન લેતા હોય કે ઓછો લેતા હોય અને છતાં ધર્મપર્વ ઉજવવાનો આગ્રહ રાખતા હોય તે તેમને માટે એક જાતનું માર્ગ સૂચન. () અનેક વિચારકે પાસેથી તેમના વિચારનું દહન કરી વિચારશીલતા કેળવવી અને અનેક બાજુથી વસ્તુને વિચાર કરવાની દષ્ટિ ખીલવવી; તેમ જ આવે નિમિત્તે જૈનેતર વિદ્વાને અને શ્રદ્ધાળુઓને જેને સાથે મળતા કરવા અને વિચારમાં ઉદારતા આવી. (7) લિખિત પ્રવચનને લીધે કઈ એક સ્થળે અપાયેલ પ્રવચનને અનેક સ્થળે ઉપયોગ થવો અને તે રીતે વિચાર તેમજ ઉત્સાહમાં જાગતિ થવી. સુષા, આધિન 1984. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org