SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન મહાવીરના ત્રિવિધ સંદેશ [ ક આવે ત્યારે તે સિદ્ધાંતાનું ગૌરવ માઈ પાશ્ત્ર એ જ નિર્થક સિદ્ધ થયેલ ખાદ્ધ આચારના ખાખાના અચાવ કરીએ છીએ, ભગવાન મહાવીરે અહિંસા અને અપરિગ્રહના જીવનગત બીજોને વિકસાવવા તેમ જ સિદ્ધ કરવા ધરખર છેડયાં, જંગલના રાહે લીધે . અને ખીજાના શ્રમ ઉપર જીવવાનું બાજુએ મૂકી માત્ર સ્વાવલંબી અને સહિષ્ણુ ત્યાગીવન સ્વીકાર્યું. તેમણે એ જીવન દ્વારા તે કાળે અનેકાંતદૃષ્ટિ અને અહિંસા-અપરિગ્રહ સિદ્દ કરી તેના વારસા બીજાને આપ્યો. પણ અનુયાયીઓ બદલાતી પરિસ્થિતિમાં પણ ભગવાનના તે વખતના બાહ્ય જીવનના માખાને જ વળગી રહ્યા અને ઊંડાણથી એ જોવું ભૂલી ગયા કે વસ્તુતઃ મૂળ સિદ્ધાંતો પ્રમાણે જીવન જિવાય છે કે નહિ. પરિણામ એ આવ્યું કે ભગવાનના સીધા વારસદાર ગણાતા ત્યાગીએ જ એ ધ્રુવ સિદ્ધાંતથી સાવ વેગળા જઈ પડથા, અને હારા વર્ષ પહેલાના ત્યાગીના આચાર–ખાખાતે મજબૂતપણે વળગી રહ્યા. ગૃહસ્થા, કે જે મુખ્યપણે ત્યાગીઓના જીવનને આદશ માની ચાલે છે અને તેમનુ અનુકરણ કરે છે તે, પણ એવા જ શુષ્ક આયારના ખાખાને મજબૂતપણે વળગી રહ્યા અને અનેકાંત તેમ જ અહિ સા—અપરિગ્રહની જાગતી દૃષ્ટિ જ લગભગ ગુમાવી બેઠા. બીજાના શ્રમ ઉપર ન વવાની દૃષ્ટિએ કયારેક યોજાયેલા અનગારમાર્ગ આજે એટલા બધા વિકૃત થઈ ગયે છે કે તેનુ પાલન એકમાત્ર બીજાના શ્રમને જ આભારી થઈ ગયું છે. ઉધાડે પગે ચાલવું, હાથે વાળ ખેંચી લઈ લાચ કરવા વગેરે કણ માચારો અને મિલમાં તૈયાર થયેલ ઝીણાં તેમ જ રેશમી—ભાગી જનને શેોભે તેવાં કપડાં એ એને ત્યાગીજીવનમાં મેળ શૉ, એ વિચારવું ઘટે છે. અહિંસા અને અપગ્રિહ માટે જ નગ્નત્વ કે અર્ધનગ્નત્વ સ્વીકારનાર ત્યાગીવગ જમાનો અદલાતાં વસ્ત્ર ધારણ કરે અને શહેરમાં પણ રહે તો તે એ જ સિદ્ધાંતને અનુસરી પોતાનાં કપડાં પોતે તૈયાર કેમ ન કરે ? આ પ્રશ્ન અઘરા અને ધર્મ ધાતક લાગતા હોય તે તેનું કારણ એ છે કે આપણામાં એ ધ્રુવ સિદ્ધાંતા વિશેની સાચી અને ઊંડી સમજણુ જ નથી. નિર્દોષ ગણાય એવા નિરક્ષરતાનિવારણ અને સામાજિક જ્ઞાનદાનનુ કાર્ય કાઈ ત્યાગી જવાબદારીપૂર્વક કરે તે તેને સમાજ ત્યાગચુત થયેલ માને છે. આનું કારણ એ છે કે આપણે નિત્તિને જ પૂર્ણ ધમ માની લીધા અને એ ભૂલી ગયા કે દોષનિવૃત્તિ એ તો ધમ માત્રની એક બાજી જ છે, અને તે પણ સામાજિક કલ્યાણની પ્રવૃત્તિ કરવાની માત્ર પ્રાથમિક શરત છે. પરિણામે સત્પ્રવૃત્તિના આગ્રહ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249190
Book TitleMahavirno Trividh Sandesh
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages3
LanguageGujarati
ClassificationArticle & Tirthankar
File Size36 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy