SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ દર્શન અને ચિંતન સિવાય એમ જ ઊભો રહી કહેવા લાગે કે જેમ તમારા શિષ્ય અપૂર્ણ - અવસ્થામાં તમારાથી છુટા પડ્યા અને પાછા અપૂર્ણ સ્થિતિમાં જ તમારી પાસે આવ્યા છે તેમ હું નથી આવ્યો. હું અહંન, જિન, સવંત અને પૂર્ણ થઈ અહીં આવ્યો છું. આ સાંભળી શ્રમણ ભગવાનની પાસે બેઠેલ તેઓના પ્રધાન શિષ્ય ગૌતમે જમાલને કહ્યું કે જે તે સર્વજ્ઞ હેય તે ' લોક શાશ્વત છે કે અશાશ્વત અને જીવ શાશ્વત છે કે અશાશ્વત’ એ બે પ્રશ્નોને ઉત્તર આપ. જમાલિ વિચારમાં પડી ગયો અને ઉત્તર ન આપી શક્યો. એ જોઈ શ્રમણ ભગવાને કહ્યું કે “જલાલિ મારા ઘણા છદ્મસ્થ (અસર્વ) શિગે છે જેઓ આ પ્રશ્નોને ઉત્તર ભારી પેઠે આપી શકે છે, ક્તાં તેઓ તારી પેઠે પિતાને સર્વજ્ઞ નથી કહેતા.' એમ કહી ભ્રમણ ભગવાને તે પ્રશ્નોને ઉત્તર આ પ્રમાણે આ લેક અને જીવ શાશ્વત પણ છે, કારણ કે, તે ઉત્પન્ન કે નષ્ટ થતા નથી. તેમ જ અશાશ્વત પણ છે; કારણ કે, તે બંને અનેક પરિવર્તને પણ અનુભવે છે.” શમણુ ભગવાનને આ ઉત્તર જમાલિએ ન માન્યા અને ત્યાંથી ચાલ્યા ગયે. છૂટા પડી તેણે અનેક વર્ષ સુધી ભિક્ષપદ પર કાયમ રહી શ્રમણ ભગવાન વિરુદ્ધ હિલચાલ કરી અને પિતાને તથા બીજા અનેકને આડે રસ્તે દેર્યો. છેવટે પંદર દિવસની સંખના (અનશન) કરી, ભરી નીચ દેવલમાં પેદા થયે. મતભેદની બાબત જમાલિ અને શ્રમણ ભગવાન વચ્ચે બીજી કોઈ પણ બાબતમાં મતભેદ હતો કે નહિ તેનું વર્ણન મળતું નથી. માત્ર એક બાબત વિશેના મતભેદનું વર્ણન મળે છે, અને તે આ. જમાલિનું કહેવું હતું કે ધારેલું ફળ ન આવે ત્યાં સુધી તે માટે ચાલતા પ્રયત્નને સફળ ન જ કહી શકાય. શ્રી મહાવીરનું કહેવું હતું કે ધારેલું છેવટનું ફળ મળ્યા પહેલાં પણ તે માટેના ચાલુ પ્રયત્નને સફળ પણ કહી શકાય. આ મતભેદ જે શબ્દોમાં અહીં મૂકવામાં આવ્યા છે તે શબ્દો જેકે શાસ્ત્રોમાં નથી, છતાં શાસ્ત્રોમાં વર્ણન કરેલ મતભેદનું સ્વરૂપ વ્યાવહારિક ભાષામાં આ રીતે મૂકવું સરળ ને એગ્ય છે એમ કાઈને જણાયા વિના નહિ રહે. મુંબલિપુત્ર શાલક મહાવીરની સાધક અવસ્થામાં જ તેઓ સાથે રહેલે અને છૂટા પડેલ; આવું વર્ણન જન ગ્રંથમાં છે, પણ મહાવીરના ઉપદેશક જીવનમાં તેઓની આજ્ઞા અવગણી તેઓથી છુટા પડનાર અને જુદો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249189
Book TitleMahavir ane Jamali na Matbhednu Rahasya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages9
LanguageGujarati
ClassificationArticle & Philosophy
File Size67 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy